________________
મારાથી આવી શકાશે તે હું દીક્ષા મહોત્સવ ઉપર આવીશ, નહીં તે આ૫ છગનને ઉપરોક્ત મુહૂર્ત પર દીક્ષા આપશે. ” આ વચન સાંભળી આપને તેમજ અન્ય શ્રોતાવર્ગને ખુબ હર્ષોલ્લાસ થયા. ગુરૂદેવે પણ ખીમચંદભાઈને ધન્યવાદ આપે. ખીમચંદભાઈ વંદન કરી વડેદરા પધાયા અને આપ ગુરૂમહારાજના ચરણેમાં રહ્યા અને ખૂબ હર્ષોલ્લાસથી જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યા.
શંખેશ્વરજી તીર્થની પાસે રાધનપુર એક રમણીય શહેર છે. અહીં લગભગ એક મહિના પહેલાંથી લોકોએ આપને વાયણ દેવાં શરૂ કર્યા. તેમજ દીક્ષા ઉત્સવ માટે ભારે ઉત્સાહથી તૈયારીઓ થવા લાગી. સં. ૧૯૪૩ ના વૈશાખ સુદિ ૧૩ ના દિવસે શુભ મુહૂર્ત આપશ્રીને છે કાયની રક્ષા તથા કંચન-કામિનીના ત્યાગરૂપ એવં અષ્ટ પ્રવચન માતાના પાલન તેમજ મેક્ષની સાધનારૂપ ભાગવતી દીક્ષા આપવામાં આવી. આપનું નામ મુનિરાજ શ્રી વલલભવિજયજી રાખ્યું. આપશ્રીને આચાર્ય મહારાજ સાહેબે પિતાના પ્રશિષ્ય શ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય તરીકે સ્થાપિત કર્યા. આ વખતે જે ઠાઠમાઠ થયે હતે તે ઘણે જ પ્રશંસનીય અને અકથનીય હતે.
જ્ઞાનાધ્યયન અને ગુરૂવિરહ સંસારાવસ્થાને ત્યાગ કરી આપે સાધુજીવનમાં પ્રવેશ કર્યો. ગઈકાલના છગનલાલ આજે મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજીના નામથી પ્રખ્યાત થયા. દીક્ષા લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org