SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણોમાં મસ્તક મૂકી દીધું. દીવાનચંદજીના અતિ આગ્રહના કારણે પૂજ્ય ગુરુદેવે તેમને નવરાત્રીમાં વાસક્ષેપ આપીનવકારમંત્ર આપ્યો. એ દિવસથી દીવાનચંદજીએ સપરિવાર જૈન ધર્મ અંગીકા કરી, સામાયિક, પ્રતિક્રમણ જેવા સઘળા આચાર-વિચાર નિયમપૂર્વકપાળવાનું શરૂ કરી દીધું. પૂજ્ય ગુરુદેવની પ્રતિભા, ચમત્કારિક વાણી, પ્રભાવ તથાસાત્વિક હૃદયસ્પર્શી જ્ઞાનયુક્ત વાતો સાંભળી દીવાનચંદજી જેવીનાસ્તિક વ્યક્તિનું હૃદય પરિવર્તન થયું, એ અસાધારણ ઘટના જગાગાય. ગુજરાવાલાની ઘટના છે. સંવત ૧૯૯૭નો ચાતુર્માસ પૂજ્યશ્રીએ ગુજરાંવાલામાં કર્યો હતો.દેવયોગે એ વર્ષે એ વિસ્તારમાં વરસાદની અછત હતી. ગરમી ભયંકરપડતી હતી. પશુપક્ષી, માણસો અને પ્રાણી માત્ર કુદરતી કોપથી પરેશાન થઈ ચૂકયા હતા. ચાતુર્માસની સમાપ્તિ પર લોકોએ છા, અદમ તથા અઠ્ઠાઈઓની તપસ્યા કરી. જ્યારે ભક્તોએ પાંચ પાંચ ઉપવાસના પચ્ચકખાણ લીધા ત્યારે પૂજ્ય ગુરુદેવ બોલ્યા, ભક્તો તમારી તપશ્ચર્યા પ્રશંસનીય છે.મેઘરાજા રિસાયા છે, પરંતુ મને વિશ્વાસ છે કે તમારું તપ જોઈને મેઘરાજા અવશ્ય પ્રસન્ન થશે.” માત્ર ચોવીસ કલાકમાં જ, બીજા જ દિવસે આકાશમાં કાળાં ભમ્મર વાદળો ચઢી આવ્યાં અને ગુજરાંવાલામાં જોરદાર વરસાદ થયો. પૂજ્યશ્રીજીના આશીર્વાદનો એ પ્રસાદ હતો. પૂજ્ય ગુરુદેવ વચનસિદ્ધિધરાવતાકેવા સમર્થ મહાત્મા હતા એનું આ પ્રમાણ છે. ખરેખર મહાપુરુષોના વચન કદાપિ મિથ્યા થતાં નથી. આબુની યાત્રા કરી પૂજ્ય ગુરુદેવ પાલનપુર પધાર્યા હતા. અહીંયા વિ.સં. ૧૯૬૫ના જેઠસુદ આઠમના ગુરુવારના દિવસે પૂજ્ય શ્રી આત્મારામજી મ.સા.ની પુણ્યતિથિના અવસર પર પાલનપુરના જૈન સમાજે પૂજ્ય ગુરુદેવના નિર્ણય પ્રમાણે આંતરિક ભેદભાવ દૂર કરી એકતા સ્થાપી અમારા ઉત્સાહથી ઉત્સવ મનાવ્યો. પૂજ્ય ગુરુદેવના વ્યક્તિત્વથી પ્રભાવિત થયેલાસી શ્રાવકોએ તેમને પાલનપુરમાં જ ચાતુર્માસ કરવા સાગ્રહ વિનંતી કરી. આગામી ચાતુમાંસ વડોદરામાં કરવાનો નિર્ણય પૂજ્ય ગુરુદેવ કરી ચૂક્યા હતા. અને મુનિરાજશ્રીમીતી-વિજ્યજી મહારાજ તો વિહાર કરી ઉંઝા પણ પહોંચી ચૂક્યા હતા. આવી પરિસ્થિતિમાં પૂજ્યશ્રીજીએ પાલનપુરમાં ચાતુર્માસ કરવા સારુ અસમર્થતા જણાવી. ભક્તો પણ જીદલઈ બેસી ગયા. રાત્રિકાળ હતો. મોડું પણ થઈ ગયું હતું. ત્યાં અચાનક જ શ્રાવકોમાંથી ગોદડશાહ ભક્તિસભરસાદેબોલી ઉઠ્યા, કૃપાનિધિ !આપ મહેરબાની કરી શ્રીસંઘની વિનંતીનો સ્વીકાર કરી. મારો અંતરાત્મા કહે છે, આપ અહીં બિરાજશો તો ઘાગા ઉપકાર થશે. આપઅહીં ચોમાસું કરવાની હમાગાં જસ્વીકૃતિ આપતા હો, તો હું મારું મકાન જે આ ધર્મશાળાની સામે છે, તે આપવા તૈયાર છું!' ઉપસ્થિત શ્રાવકો તો ગોદડશાહની વાતથી આશ્ચર્યચકિત થઈ ગયા. ગોદડશાહની વાત ઉપાડી લેતાશ્રાવકો બોલ્યા, ‘ગુરુદેવ! આપ આ સંકલ્પને સામાન્ય નગાગશો. એ મકાન વિના આ ધર્મશાળાની કિંમત કોડી સમાન છે. આ મકાન માટે તો કેથયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy