SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ માનવતાવાદી સાધુના હૃદયમાં સૌ ગરીબ અમીર સઘળી જાતિના લોકો માટે સમભાવ હોય છે. સાચી મૂલ્યાંકન દ્રષ્ટિ હોય છે. વ્યક્તિનાદાનમાં દાનની માત્રા કરતાં તેની ભાવનાનું મૂલ્ય સવિશેષ હોય છે. પૂજ્ય ગુરુદેવ આવા જસત્યનિષ્ઠસમભાવી સાધુ હતા. અમદાવાદના ચાતુર્માસ દરમ્યાન તપસ્વીશ્રીગુણવિજ્યજી મહારાજે પર્યુષણ પર્વમાં ઉપવાસની તપસ્યા કરી હતી. તેમની તપસ્યા નિમિત્તે એ સંઘના રિવાજ મુજબ કેટલાક લોકો અઠ્ઠાઇ મહોત્સવ માટે ઉપાશ્રયમાં ફાળો ઉઘરાવવા લાગ્યા. પૂજ્ય ગુરુદેવ ત્યારે એ લોકોને સ્પષ્ટપણે કહ્યું હતું. “ભાગ્યશાળીઓ! શક્તિ હોવા છતાં રૂપિયો આઠ આના માંગીને અક્રાઈમહોત્સવ કરવો શું શોભાસ્પદ લાગે છે? આરીતે મહોત્સવ કરવા કરતાં એન ઉજવાય એ વધુ સારું છે. જે લોકો માત્ર ભક્તિભાવથી પ્રેરાઈપોતાના ઘરબાર, વ્યવસાય છોડી અહીં આવે છે એમને આવતારકવાનો આરસ્તો છે! અહીં જેટલા શ્રાવકો હાજર છે, તેમાં એક પણ વ્યકિત ધનિક હોય એવું મને લાગે છે?મોટીમોટી મિલોવાળા તથા પેઢીઓવાળા તો ભૂલેચૂકેજવ્યાખ્યાનમાં આવે છે અને તે પણ પર્યુષણનાં પર્વોમાં જ!હંમેશાંતો આ સામાન્ય સ્થિતિના શ્રાવકો જ આવે છે. આ રીતે વારંવાર ફાળા એકઠા કરવાથી લોકોશરમનામાર્યાફાળો લખાવવાની પળોજણથી બચવા વ્યાખ્યાનમાં ન જવામાં ભલાઈ સમજશે! આ તો ધર્મની હાનિની વાત થશે!” જ્ઞાન પ્રાપ્તિ સત્સંગનું મહત્ત્વ માનવજીવન માટે સવિશેષ છે. આવા ધાર્મિક ઉત્સવો મનાવાય એની સામે વિરોધ ન હોઇ શકે, પરંતુ માનવતાની ઉપેક્ષા કરી આવી રીતે ફાળા ઉઘરાવવા સામે પૂજ્ય ગુરુદેવે લાલબત્તી ધરી હતી. વિ.સં. ૨00નો ચાતુર્માસ પૂજ્યશ્રીજી જંડિયાલા ગુરુ મુકામે વ્યતીત કરતા હતા. તેમની પુનિત નિશ્રામાં પર્યુષણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી ચાલતી હતી. ત્યાં એક દિવસ તેમને સમાચાર મળ્યા. સમાચાર સાંભળી તેમના હૈયામાં વિષાદ વ્યાપી ગયો. વ્યથિત થયેલા મહાપુરુષે પોતાની વેદનાને વ્યાખ્યાનમાં વાચા આપતા જણાવ્યું... “ભાઈઓ! બંગાળ તથા મેવાડની ધરતી પર પ્રકૃતિનો કોપ ઉતર્યા છે. હજારો પરિવારો સંકટપૂર્ણ સ્થિતિમાં મુકાઈ ગયા છે. આપણો ધર્મ છે જીવો પર દયાભાવ રાખવો... અરે! આપણે નાનાં નાનાં નિર્દોષ પ્રાણીઓ તથા જીવો પર દયા રાખીએ છીએ, ત્યારે આપગ્રસ્ત મનુષ્યો પરતો દયા કરવી, એ આપણું પ્રથમ પંક્તિનું કર્તવ્ય થઇ પડે છે. મારી ભાવના છે કે આપણા સંકટગ્રસ્ત બાંધવોના હિતાર્થે એક રાહતફાળો ઉઘરાવવામાં આવે અને એ રકમ વિપદાગ્રસ્ત લોકોની સહાયતા માટે મોકલી આપવામાં આવે.” આર્દ હદયના ઊંડાણથી ઉઠેલા પૂજ્યશ્રીજીનામાનવતાપૂર્ણ પોકારને ભાવિકોએ ઝીલી લીધો. ખૂબ જ ટૂંકાગાળામાં સારી એવી રકમ એકઠી કરવામાં આવી અને તેનો યથોચિત ઉપયોગ કરવામાં આવ્યો. સાચી માનવતા મેઘવર્ષા જેવી સર્વત્ર વરસનારી હોય છે. માનવ ધર્મને જાતિ જ્ઞાતિના ભેદ, ભાષાના ભેદ, પ્રાંત રાજ્ય દેશના ભેદકદાપિ બાંધી શકતા નથી. પૂજ્યશ્રીજી માનવધર્મના નિબંધ ઉપાસક હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy