SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જીવોને મદદ કરવા હંમેશા અનુરોધ કર્યો હતો. વિ.સં. ૧૯૭૦માં પાલિતાણામાં મોટી જળ હોનારત થઈ હતી. આવા આપત્તિજનક સમાચાર સાંપડતા પૂજ્ય ગુરુદેવ ખૂબ જ વ્યથિત થઈ ગયા. તેમણે સિસોરાના ભાવિકોને એકઠા કર્યા. તેમને કુદરતી આપત્તિની વાત જણાવી અને પીડિત માનવબંધુઓ સારુયથાશક્તિ મદદતાત્કાલિક મોકલાવવા અનુરોધ કર્યો. પૂજ્ય ગુરુદેવની વાત લોકોને સ્પર્શી ગઈ. ખૂબ જ ઝડપથી લોકોએ સારી એવી રકમ એકઠી કરી, કપડાં અનાજ ભેગાં કરી તાત્કાલિક બધું પાલિતાણા મોકલાવી આપ્યું. મદદ મોકલાઈ ગઈ, ત્યારે જ પૂજ્યશ્રીજીના હૃદયનો ઉચાટ શમ્યો. આવા સંવેદનશીલ, કરુણામૂર્તિ, માનવતાના પરમ પૂજારી, પૂજ્ય ગુરુદેવ હતા. વિ. સં. ૨૦૦૬ ની ફાગણ સુદ સાતમની રાતે મારવાડના ભીમરાણા મુકામે રોકાયેલા પૂજ્યશ્રીજીને હોંશિયારપુરના લાલા શાંતિલાલજી મળ્યા. તેમની સાથે પટિયાલા જિલ્લાના તેમના મિત્ર બદ્રીપ્રસાદજી પણ હતા. બદ્રીપ્રસાદજી પ્રખર પંડિત હતા. દ્વારકાની યાત્રાએ જવા નીકળ્યા હતા. તેમને પૂજ્યશ્રીજીનાર્શન કરવાની તીવ્ર અભિલાષા હતી. તેમણે ભાવપૂર્વક પૂજ્યશ્રીજીના દર્શન કર્યા અને ધન્યતા પ્રગટ કરી. ત્યારે પૂજ્યશ્રીજી થોડીવાર ચિંતનમાં ડૂબી ગયા પછી ગંભીરતાથી બોલ્યા... “પંડિતજી! જગતના સઘળા દર્શન આત્મશુદ્ધિ, આત્મશાંતિ તથા આત્મકલ્યાણનો ઉપદેશ આપે છે... જૈન દર્શનમાં અહિંસા અર્થાત્ જીવમાત્ર સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો અને અપરિગ્રહ અર્થાતુ ખપ સિવાયની સઘળી વસ્તુઓનો ત્યાગ કરવો એ બે સિદ્ધાંતોને પ્રાધાન્ય અપાયું છે. જેનસાધુકંચન કામિનીના ત્યાગી, તપસ્વી, પાદવિહારી અને મધુક્રીની ભિક્ષા પરજીવન નિર્વાહરવાવાળા હોય છે. બ્રાહ્મણોએ પણ પોતાના ત્યાગ તથા સેવાભાવથી જગતના ખૂણે ખૂણે ધર્મભાવનાના દીપકને પ્રાણવંતો રાખ્યો છે. ધર્મમાં કલેશ, રાગદ્વેષ નથી હોતા. હું તો સર્વધર્મ સમભાવમાં શ્રદ્ધા ધરાવું છું. જગતના સઘળા પ્રાણીઓ સાથે મૈત્રી ભાવ રાખવાની વાત શીખવનાર ધર્મ કેવો વિશાળ હશે. એનો વિચાર થવો જોઈએ.” આવા ઉન્નત વિચારો ધરાવતાપૂજ્યશ્રીજીએ સર્વધર્મ સમભાવને આત્મસાત્ કરી લીધો હતો. એ સમયમાં અંતરિયાળ ગામોમાં જૈન શ્રાવકોના ઘરઝાઝાં નહોતાં. વળી પંજાબમાં સ્થાનકવાસીઓ પણ પૂજ્ય ગુરુદેવ પ્રત્યે સદ્ભાવ ઓછો રાખતા. ઉપાશ્રયોની સંખ્યા પણ સીમિત હતી. તેથી પૂજ્યશ્રીજીને ઘણીવાર ધર્મશાળાઓમાં, હિંદમંદિરોમાં, ગુરુદ્વારામાં રાત્રિ રોકાણ કરવું પડતું. પૂજ્યશ્રીજી સર્વધર્મ સમભાવના હિમાયતી હતા. તેમનું વ્યક્તિત્વ સર્વગ્રાહી હતું, એટલે જૈનેતર લોકોમાં પણ તેમની લોકચાહના ખૂબ હતી. પૂજ્યશ્રીજી ઘણીવાર જિજ્ઞાસુ જૈનેતર ભક્તોની ભાવનાને માન આપી જે તે ધર્મના અનુયાયીઓને તેમના ધર્મ વિશે પણ મનનીય પ્રવચન આપતા. તેમના આવા પ્રવચનોમાં સમગ્ર માનવજાતિના ઉત્કર્ષ અને આધ્યાત્મિકલ્યાણની સરવાણી પ્રગટ થતી. વિ.સં. ૧૯૯૭ના સિયાલકોટના ચાતુર્માસ દરમ્યાન તેમના ભક્તોની લાગણીને માન આપી પૂજ્ય ગુરુદેવે જન્માષ્ટમીના પર્વ પર હિંદુ મંદિરમાં જઈયોગેશ્વર શ્રીકૃષ્ણના જીવનકવન તથા સિદ્ધાંતો પર સરસ વ્યાખ્યાન આપ્યું હતું. શ્રીકૃષ્ણનાકર્મવાદસ્વધર્મ વિશે સુંદરસમજ ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy