SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શિવપૂજા માટે કાવડમાં ગંગાજળ લઈ જતા આ સંતે રસ્તામાં તરસે મરતા ગધેડાને ગંગાજળ પીવડાવી તેના પ્રાણ બચાવ્યા હતા. એજીવપૂજામાં જ તેમની સાચી શિવપુજા પરિપૂર્ણ થઈ ગઈ હતી. એ રાજપૂત ભાઈ જ્યાં સુધી સાર્કો ન થયો, ત્યાં સુધી પૂજ્ય ગુરુદેવે અંગત દરકાર કરી તેની સારવાર કરાવી અને પછી જ એ ક્ષેત્રમાંથી પોતે વિહાર કર્યો. આવીમાનવતા વંદનીય છે. આવો સમભાવ સરાહનીય છે. પૂજ્ય ગુરુદેવની ધાર્મિકતા વિશાળ સાગર સમાન હતી. સૌમાં તેમને પરમાત્માનો વાસ જણાતો હતો. એટલે તેમના વ્યક્તિત્વમાં નિર્ભયતા હતી. તેઓ જૈનેતર ભક્તોમાં પણ અત્યંત લોકપ્રિય હતા. તેમને પોતાના હિંદુ, મુસ્લિમ, શીખ ભક્તો પર પૂર્ણ વિશ્વાસ હતો. રાયકોટના સઘળી કોમના જૈન, હિંદુ, મુસ્લિમો, શીખોએ એકઠા મળી પૂજ્ય ગુરુદેવને પોતાને ત્યાં ચાતુર્માસ કરવા વિનવણી કરી હતી. પૂજ્ય ગુરુદેવે એમની વિનંતી સ્વીકારી હતી. ચાતુર્માસને શરૂ થવા આડે ગણત્રીના દિવસો બાકી હતા, ત્યારે પંજાબના ભક્તોએ પૂજ્યશ્રીજીને જણાવ્યું કે ‘આગામી ટૂંક સમયમાં રાયકોટમાંકોમી તોફાન થવાનાં છે, તેથી આપ ચોમાસાંની જગ્યા બદલી નાખો. આપને ગુમાવવા અમને પરવડે તેમ નથી.’ પૂજ્યશ્રીજીએ ત્યારે એ લોકોની વાત ન સ્વીકારી. તોફાનોની અફવા ખોટી સાબિત થઈ. પૂજ્યશ્રીજીએ રાયકોટમાં શાંતિથી ચાતુર્માસ કરી ધર્મ પ્રભાવનાકરી. પરમાત્માના સ્વરૂપમાં વસેલા વિભિન્ન ધર્મોના માનવો પર વિશ્વાસ મુકનાર પૂજ્યશ્રીજીના માનવતાવાદી અભિગમનો એ વિજય હતો. અલગ અલગ ધર્મ પાળતી વ્યક્તિ અલગ અલગ રીતે પ્રાર્થના, પૂજા, બંદગી, ઈબાદત કરી જો પરમાત્માની જ આરાધના કરતી હોય તો એમાં પરમાત્માનું સ્મરણ જ મહત્વપૂર્ણ છે. ગોડ, ખુદા, ભગવાન, પ્રભુ આ બધા ઈશ્વરના અલગ અલગ નામ છે, પરંતુ સત્ય સ્વરૂપ પરમાત્મા તો વિશ્વમાં એક અનન્ય છે. આ વાત પૂજ્યશ્રીજી જાણતા હતા, એટલે તેમની દ્રષ્ટિમાં હિંદુ, મુસ્લિમ, શીખ, જૈન, બૌદ્ધના કોઈ ભેદ નહોતા. સૌ લોકોમાટેતેમના અંતરમાં સદ્ભાવ હતો,સમભાવ હતો. પંજાબમાં પપખાના નામના ગામમાં જૈન મંદિર તથા એક મસ્જિદસામ સામે બંધાયેલા હતાં. બન્ને ધર્મસ્થાનોમાં જવાનો એક જ સામાન્ય માર્ગ હતો. એ માર્ગ જૈનોની માલિકીમાં આવતો હતો. એક વાર પૂજ્ય ગુરુદેવ ૫પખાનામાં પધાર્યા. ત્યાં તેમને મુસ્લિમ આગેવાનો મળવા આવ્યા. તેમણે જણાવ્યું કે, ‘અમને લોકોને મસ્જિદમાં ઈબાદત કરવા જવા સારુ માર્ગ સાંકડો પડેછે, તો આપશ્રીકૃપાકરી જૈન ભાઈઓ પાસેથી અમારા માર્ગને પહોળો કરાવી આપો, એવી અમારી પ્રાર્થના છે.’ પૂજ્ય ગુરુદેવે તેમને ખાતરી આપી રવાના કર્યા. તેમણે શ્રીસંઘના અગ્રણીઓને આ બાબતમાં વાત કરી. ‘મુસ્લિમો મસ્જિદમાં ઈબાદત કરવા જાય છે. જેમ આપણે મંદિરમાં પ્રાર્થના સારુ જઈએ છીએ. બંદગી કરવી ખુદાની, એ વાત સારી છે. તો એવા શુભ ધાર્મિક ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy