SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ નાભાના મહારાજા હીરાસિંહજી ધર્મનિષ્ઠ સાધુ સંગતના પ્રેમી શ્રદ્ધાળુ આદમી હતા. પૂજ્યશ્રીજીની ખ્યાતિથી પ્રભાવિત થઈ તેમને સાદર દરબારમાં તેડાવ્યા. શાસ્ત્ર ચર્ચા દરમ્યાન પૂજ્યશ્રીએ દરેક ધર્મમાં અહિંસાનો સિદ્ધાંત કેવી રીતે કાર્ય કરે છે, તે સુંદર રીતે સમજાવ્યું. સૌ દરબારીઓ તથા મહારાજ પ્રસન્ન થયા. આ જ્ઞાનચર્ચા દરમ્યાન મહારાજાના બાળપણના મિત્ર વિષગવપંથી લાલા જીવારામ અગ્રવાલ પણ ઉપસ્થિત હતા. તેઓ એટલા પ્રભાવિત થયાકે ત્યારબાદ તે નિયમિતપણે પૂજ્યશ્રીજીના વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યા. પૂજ્યશ્રીજી સાથે તેમના આત્મીય સંબંધો કેળવાઈગયા. એકવાર પૂજ્ય ગુરુદેવે તેમને કેટલાક ધાર્મિક પ્રશ્નોના ઉત્તર લાવી આપવા જણાવ્યું. આડકતરી રીતે તો મહારાજા હીરાસિંહજી સ્થાનકવાસી પરંપરાના શ્રી સોહનલાલજીને દરબારમાં બોલાવી તેમની સાથે નિર્ણયાત્મક શાસ્ત્રાર્થ કરે એવી ભાવના પૂજ્યશ્રીજીની હતી. આમ થાય તો શ્રી સોહનલાલજી દ્વારા ચલાવાતાઅપપ્રચારનો અંત આવે એવી સંભાવના હતી. લાલાજીવારામે તો શાસ્ત્રાર્થનું આયોજન મહારાજાના દરબારમાં ગોઠવી દેવડાવ્યું. - શ્રી સોહનલાલજીને ભય હતો કે રાજદરબારના શાસ્ત્રાર્થમાં તેમની હાર થશે, એટલે પોતાની પ્રતિષ્ઠાને ઓછી હાનિ થાય એટલા માટે તેમણે તેમના શિષ્ય શ્રી ઉદયચંદ્રજીને શાસ્ત્રાર્થ કરવા મોકલી આપ્યા. એમણે લેખિતમાં જણાવ્યું હતું કે જો શ્રી ઉદયચંદ્રજી હારી જશે તો એ હાર પોતાની જ ગણાશે. નાબાના દરબારમાં દિવસો સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. એ શાસ્ત્રાર્થના અંતમાં શ્રી સોહનલાલજીના પક્ષનો પરાજય થયો. સ્થાનકવાસીઓની પ્રતિષ્ઠા ઝંખવાણી, નાભાના શાસ્ત્રાર્થ પર પાછળથી એકપુસ્તિકા પણ પ્રકાશિત થઈ હતી. આ પ્રમાણે પંજાબમાં મૂર્તિપૂજકો વિરૂધ્ધ ચાલતા અપપ્રચારનો અંત આવ્યો. પૂજ્યશ્રીજી દ્વારા ધર્મની સારી પ્રભાવના થઈ. વિ.સં. ૧૯૫૦ નો ચાતુર્માસ પૂજ્યશ્રીજીએ સમાનામાં જ કર્યો. આ વિસ્તારમાં સ્થાનકવાસીઓનું પ્રભુત્વ હતું. વળી તેમના પૂજ્ય શ્રી સોહનલાલજીનો શાસ્ત્રાર્થમાં પરાભવ થયો હતો. પર્યુષણના પર્વ દરમ્યાન ગામમાંથી પરમાત્માની શોભાયાત્રા નહીં કાઢવા દેવા સ્થાનકવાસીઓ કામે લાગ્યા હતા. પૂજ્યશ્રીજીના જૈન જૈનેતર ભક્તોએ પૂજ્ય ગુરુદેવને પૂરો સહયોગ આપ્યો. પન્નાલાલજી જેવા પહોંચેલા ગુરુભક્ત અંગ્રેજ સરકારમાંથી પરવાનગી લઈ આવ્યા. પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો અને ખૂબ ધામધૂમથી જૈન જૈનેતર ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં શોભાયાત્રા નિર્વિદને કાઢવામાં આવી. આમ સત્યધર્મની પરંપરા જળવાઈ અને ધર્મ પ્રભાવનામાં અભિવૃદ્ધિ થઈ. આપણે જોઈ ગયા કે પંજાબમાં સ્થાનકવાસી પરંપરાનું ભારે પ્રભુત્વ હતું. એટલે આગમાં સંમત મૂર્તિપૂજાના તથા અન્ય સત્ય સિદ્ધાંતો પર ચાલતા મૂર્તિપૂજકપરંપરાનો પ્રચાર પંજાબમાં કરવો લોઢાના ચણા ચાવવા સમાન કામ હતું. પૂજ્ય આત્મારામજી મ.સા.એ પોતાનું સમગ્ર જીવન સત્યધર્મનીવરીપર અર્પણ કરી દીધું હતું. પોતાના એમહાન ગુરુદેવના આદેશને શિરોમાન્ય કરીપૂજ્યશ્રીજી પંજાબના એવા વિસ્તારોમાં પણ વિહાર કરતા હતા, જ્યાં રથાનકવાસી પરંપરાનું જોર વધુ હોય. આકામ એટલું સરળ નહોતું. સમાનાથી વિહાર કરી પૂજ્યશ્રીજી ધર્મપ્રભાવના સારુરાયકોટ પધાર્યા. આ ગામમાં શ્વેતામ્બરપંથી એક પણ શ્રાવકનું ઘર નહોતું. પૂજ્યશ્રીજી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy