SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ( પ્રસ્તાવના સુવાસિત પુષ્પોથી મહેંકતા ઉદ્યાન પાસેથી પસાર થતા આપણે પ્રસન્નતા અનુભવીએ છીએ. સુંદર સરિતા પાસેથી પસાર થતાં શીતળ વાયુના કારણે આપણે તાજગીનો અનુભવ કરીએ છીએ. હરિયાળી પર દૃષ્ટિ પડતાં આંખ ઠરે છે. હૈયું નાચી ઉઠે છે. ટૂંકમાં શાંતિ અને આનંદ આપતી વસ્તુઓ આપણને ગમે છે. શાંતિ, આનંદ અને સંતોષ આત્માનો સ્વભાવ છે. ધર્મ જીવનનું અમૃત છે. પૂજય ગુરુભગવંતો એ અમૃતનું આપણા જીવનમાં સિંચન કરી આપણા ઐહિક તથા પારલૌકિક કલ્યાણ સારું માર્ગદર્શન આપે છે. સપુરુષોનાં જીવન આપણને આત્મકલ્યાણની પ્રેરણા આપતાં હોય છે. - ૧૯મી સદીના યુગનિર્માતા, ન્યાયાભાનિધિ શ્રી વિજયાનંદ સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટઘર પંજાબકેશરી આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા. | એવા જ મહાન સપુરુષ હતા, જેમણે રાષ્ટ્ર, સમાજ, પરિવાર તથા ધર્મના ઉત્થાન સારુ આજીવન પ્રયાસ કર્યા હતા. એ મહાપુરુષના અનેકાનેક ઉપકારોના પરિણામે આજે જૈન ધર્મ વિશ્વકક્ષાએ આદરણીય બનવા પામ્યો છે. સમગ્ર જૈન સમાજની ધાર્મિક, આર્થિક, શૈક્ષણિક તથા સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ શકી છે. મહાન કર્મવીર આદર્શ ગુરુદેવ પંજાબકેશરી શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.ના સ્વર્ગારોહણને પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેઓશ્રીની સુવર્ણજયંતિના અવસર પર આચાર્યશ્રીનો ગુણાનુવાદ કરી આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીજીની સાધુતા, નીડરતા, રાષ્ટ્રભાવના, સમાજસેવા, અહિંસાવાદ, શિક્ષણપ્રચાર, ત્યાગવૃત્તિ, નિર્લેપતા તથા લોકપ્રિયતા જેવા વિવિધ પાસાંઓનો આછો ચિતાર પ્રગટ કરવાના શુભાશયથી તેમના જીવનના વિશિષ્ટ આયામોને પુસ્તક રૂપે પ્રસ્તુત કરવાનો વિનમ્ર પ્રયાસ થયો છે. આશા છે કે ગુરુવર આચાર્ય શ્રીમદ્ વિજય વલ્લભસૂરીજી મ.સા. ના અનુરાગી ભાવિકો એ વિરાટ વ્યક્તિત્વનો થોડો રસાસ્વાદ આ પુસ્તક થકી પામી શકશે અને પોતાના જીવનને ઉર્ધ્વગામી બનાવી સાર્થકતા પ્રદાન કરકવાની પ્રેરણા પ્રાપ્ત કરશે. - આચાર્ય શ્રીમદ્ વિજય જનકચંદ્ર સૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy