SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સમજાવ્યા હતા. કન્યા વિનયનું દૂષણ ત્યારે રાજસ્થાનના જૈન સમાજમાં જડ ઘાલી ગયું હતું. પૂજ્ય ગુરુદેવે આ દૂષણ દૂર કરાવવા ભરપૂર પ્રયાસો કર્યા હતા. - સાદડીનારોકાણ દરમ્યાન પૂજ્ય ગુરુદેવને મોતિયાનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. ચૈત્ર સુદ તેરસના દિવસે પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના જન્મકલ્યાણક ઉત્સવનું આયોજન થયું હતું. આ પ્રસંગે યોજાયેલી સભામાં પૂજ્યશ્રીજી ઉપસ્થિત રહી શકયા નહોતા, કારણ કે આપરેશન પછી તેમને પ્રકાશમાં આવવાની મનાઈ હતી. આ સભામાં તેમની પ્રેરણા તથા માર્ગદર્શનથી પ્રેરાઈપંન્યાસશ્રી સમુદ્રવિજ્યજી મહારાજે પૂજ્ય ગુરુદેવની અંતરની ભાવના રજૂકરતા જણાવ્યું હતું.. “આજે હું તમારી સમક્ષ એક ભિક્ષા માગી રહ્યો છું. હું એક કઠોર, અપ્રિય વાત જણાવવા ઈચ્છું છું. આ વાત સાંભળીખોટું લાગે તો ક્ષમા કરજો. આપણી આવીરભૂમિમાં ઠેરઠેરજ્ઞાનની પરબો તથા વિદ્યાધામ ખોલવામાં આવ્યાં છે, એ આનંદપ્રેરક વાત છે અને એ માટે હજારો લાખોનાં દાન પણ તમે પ્રેમથી આપ્યા છે, પરંતુ આ સમાજમાં ચાલતો કન્યાવિક્રયનો રિવાજ સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે. આ કલંકિત કુરિવાજ બંધ થાય એવી પૂજ્યશ્રીજીની અંતરની ઈચ્છા છે. મારવાડમાં પ્રવર્તતા આ કલંકિત રિવાજને તમારે સત્વરે મિટાવવો પડશે. તમે લોકો જો આ બદીબંધકરશો તો તમને હજારો કન્યાઓના (તમારી પુત્રીઓનાં) આશીર્વાદ પ્રાપ્ત થશે! જૈન ધર્મ ‘અહિંસા પરમો ધર્મના મહાન સિદ્ધાંતને વરેલો છે. તમે જાણો છો કે માંસ વેચનાર, લાવનાર, રાંધીને ખાનાર બધા જ પાપના ભાગીદાર થાય છે. આ વાતનું જ્ઞાન હોવા છતાં કન્યા વિક્રય કરી તમે લોકો મહા પાપ કરી રહ્યા છો. ભાઈઓ! જાગૃત થાઓ અને આજ ક્ષણથી આકુરિવાજા બંધ કરવાની પ્રતિજ્ઞા લો!” પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી મહારાજની વાતથી લોકો પ્રભાવિત થયા અને શેઠ મૂળચંદજીએ તત્કાણ કન્યાવિક્રયના કલંકને મિટાવવાની પ્રતિજ્ઞા કરી. તા. ૨૩-૦૪-૧૯૪૯ ના રોજ મુંબઈ ખાતે યોજાયેલી ‘વિશ્વ ધર્મ પરિષદમાં પૂજ્ય ગુરુદેવ આંખના ઓપરેશનના કારણે ભાગ લેવા જઈ શક્યા નહોતા, પરંતુ તેમણે પોતાનો સંદેશો મોક્લાવ્યો હતો. વિજ્ઞાનના અતિરેકનેનિયંત્રિત કરી માનવના આર્થિક, સામાજિક ધાર્મિક ઉત્થાન માટે વિશ્વ શાંતિના અવતરણ માટે પ્રયાસો કરવાની હિમાયત પૂજ્ય ગુરુદેવે પોતાના મનનીય સંદેશામાં કરી હતી. અહિંસાના પાલન સંબંધી તેમણે અણુબોંબના ઉત્પાદન તથા તેના દુરુપયોગ | સામે જગતને ચેતવણી આપી હતી. પોતાના સંદેશાના અંતમાં તેમણે જણાવ્યું હતું.. ‘સત્ય, અહિંસા, ચારિત્ર, શાંતિ તથા અપરિગ્રહની ભાવના સેવી, પ્રાણી માત્ર સાથે મૈત્રીભાવ રાખવો એ જૈનોનું આચરણ જ વિશ્વનું આચરણ છે. જૈન તથા બૌદ્ધ ધર્મ વિશ્વધર્મ છે અને આજે પણ અહિંસાનો સંદેશ જગતમાં ચમત્કાર બતાવી રહ્યો છે, જે પ્રત્યક્ષ છે...' મહાત્મા ગાંધીજીએ જે રીતે અહિંસાના ઉપયોગ દ્વારા સત્યાગ્રહની લડત ચલાવી, ભારતને સ્વતંત્રતા અપાવી એ પૂરા વિશ્વ માટે એક ચમત્કાર હતો. અહિંસાની પ્રચંડ શીત શક્તિની એમાં પ્રતીતિ થયા સિવાય રહેતી નથી. પૂજ્ય ગુરુદેવના સંદેશામાં આ વાત તરફ સામાન્ય ( ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy