SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાના મહારાજા ગાયકવાડે પૂજ્ય ગુરુદેવની ખ્યાતિથી પ્રભાવિત થઈ તેમને સન્માનભેર વડોદરા તેડાવ્યા હતા. ન્યાયમંદિર વિસ્તારમાં તેમણે પૂજ્ય ગુરુદેવના જાહેર સર્વજન હિતાર્થે બે સરસ પ્રવચનો ગોઠવ્યા હતા. ખૂબજ વિશાળ સંખ્યામાં લોકો પૂજ્ય ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવા એકઠા થયા હતા. સાંજના સમયે વ્યાખ્યાન સરસ રીતે ચાલતું હતું. ચરમસીમા તરફ જઈ રહ્યું હતું. સૌ ભાવિકો તન્મય થઈખૂબ જ તલ્લીનતાથી અમૃતવાણીનો આસ્વાદ માણતાધન્યતા અનુભવી રહ્યા હતા. ત્યાં જ સૂર્યાસ્તના થોડા સમય પહેલાં જ પૂજ્ય ગુરુદેવે વ્યાખ્યાન અટકાવી ટૂંકાણમાં સમાપન કરવાની વાત કરતાં જણાવ્યું કે મારે તો આજે ઉપવાસ છે, પરંતુ મારા સાથી સાધુ-ભગવંતોના ચૌવિહારનો સમય થવા આવ્યો છે. તેમને આહારપાણી કરવાના બાકી છે અને સૂર્યાસ્ત પછી એ શક્ય બનશે નહીં, એટલે વ્યાખ્યાનને ટૂંકાવવું આવશ્યક છે!” જો કે પૂજ્ય ગુરુદેવના સાથી સાધુ ભગવંતોએ આહારપાણીન કરી પૂજ્ય ગુરુદેવની | અમૃતવાણીનો લાભ હજારો ભક્તોને લેવા દીધો હતો. એ તેમની મહાનતા હતી, પરંતુ પૂજ્ય ગુરુદેવે તો તેમની પૂરતી કાળજી લઈ તેમના આહારપાણી માટે સમય ફાળવવા પૂરતી તૈયારી બતાવી હતી. આમ પૂજ્યશ્રીજીના આચરણમાં હંમેશાં અહિંસાપાલન વિષે પૂર્ણ સભાનતા કેળવાયેલી દ્રષ્ટિગોચર થતી હતી. કોઈપણ પળે ક્યાંય પણ, કોઈપણ પ્રકારની હિંસામાં નિમિત્ત બનવાનું પણ પૂજ્ય ગુરુદેવ પસંદ કરતા નહોતા. પારસમણિના સ્પર્શ માત્રથી જ લોખંડપણ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. સંતોના સંસર્ગમાં આવતી વ્યક્તિઓની જીવન દિશા પણ એ જ રીતે બદલાઈ જતી હોય છે. નારદ મુનિના સંપર્કથી વાલિયો લૂંટારો વાલ્મીકિ ઋષિ બની શકે છે. ગૌતમ બુદ્ધના સંપર્કથી હત્યારો અંગુલિમાલસાત્વિક સહનશીલ સાધુ બની શકે છે. પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના સંપર્કમાં આવેલા ક્રોધી ડંખીલા ચંડકૌશિકનો ઉદ્ધાર થઈ શકે છે. પૂજ્ય ગુરુદેવના વ્યક્તિત્વમાં પણ એવી જાદુઈતાકાત હતી કે, તેમના સાંનિધ્યમાં આવનાર વ્યક્તિઓ દુરાચાર છોડી સન્માર્ગે વળી જતા હતા. પૂજ્ય ગુરુદેવના સંપર્કમાં આવેલા રાજા મહારાજા તથા નાના મોટા ભાગીદારોના જીવનમાં આમૂલ પરિવર્તન આવી ગયું હતું. ઘર પ્રદેશના વિકટદુર્ગમમાર્ગે વિચરણ કરતા કરતા પૂજ્ય ગુરુદેવ સાધુ ભગવંતો તથા કેટલાક શ્રાવકો સાથે પંચકોશી ગામમાં પધાર્યા. આ ગામમાં શ્રાવકનું એક પણ ઘર નહોતું. પંચકોશીના જાગીરદાર ચુનીલાલ જાટસર્વધર્મના સાધુ ભગવંતો પ્રત્યે પૂજ્ય ભાવ રાખતા હતા. તેમણે પૂજ્ય ગુરુદેવને તેમના સૌ સાથીદારો સાથે આવકાર્યા અને એક વિશાળ બે માળના મકાનમાં સૌને ઉતારો આપ્યો. દર્શન પૂજન સારુ બધાએ પંચતીર્થીને મકાનના ઉપરના માળે સ્થાપિત કરી હતી. રાત્રે સૌ પંચતીર્થીના દર્શન પૂજન કરી ઓરડાનું કમાડબહારથી બંધ કરી પોઢી ગયા. સવારે સૌદર્શને ગયા. બારણાંને બહારથી ખોલવા ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ દરવાજો ન ખૂલ્યો. છેવટે ચુનીલાલ જાટના શ્રીમતિજીએ ખૂબ જ ક્ષમાયાચનામાગી, ભાવભરી પ્રાર્થના કરી ત્યારે દરવાજો ખૂલ્યો. હકીકતમાં ચુનીલાલના પરિવારમાં આચાર-વિચારની શિથિલતા પ્રવર્તતી હતી. બપોરના સમયે જાગીરદારનો પૂરો પરિવાર પૂજ્ય ગુરુદેવ પાસે ગયો. વંદના કરી સૌ બેઠાપૂજ્યશ્રીજી પાસે ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy