SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ તથા વ્યાવહારિક શિક્ષણ સુધારણાની પ્રવૃત્તિ આદરી, ત્યારે જડસુ પ્રકૃતિના અન્ય સમુદાયના લોકોએ તેમનો વિરોધ શરૂ કર્યા. મુંબઈમાં એકવાર પૂજ્ય ગુરુજીના વિરૂદ્ધમાં પત્રિકાઓ છપાવી ત્યારે ગુરુજીના કેટલાક શિષ્યોએ, શ્રાવકોએ એપત્રિકાના ખંડન સારૂ પત્રિકા બહાર પાડવાની વાત કરી, પૂજ્ય ગુરુદેવે તેમને વાર્યા અને કહ્યું “આ વિરોધ લાંબો ટકશે નહીં, પરંતુ જો આપણે તેને પ્રતિભાવ આપીશું, તો તેમને પ્રોત્સાહન મળશે.” અને બન્યું પણ એવું જ. જ્યારે પત્રિકા છપાવનારાઓને કોઈ પ્રતિભાવ ન સાંપડ્યો એટલે એ લોકોના હાથ હેઠા પડ્યા.આવી સહનશીલતા, સમતાભાવ ધરાવતા પૂજ્ય ગુરુદેવની દૂરદર્શિતા, વિનમ્રતા અને વિવેકધન્યવાદને પાત્ર છે. આવી હતી તેમની અનુસરણીય અજોડસાધુતા. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આપાગા ચારિત્રનાયકના સમકાલીન રાષ્ટ્રવાદી નેતા, જ્યારે કોમી રમખાણો થતાં અથવા અંગ્રેજો દ્વારા વધુ પડતા અત્યાચાર થતા, ત્યારે સત્યાગ્રહ કરતા, અનશન ઉપવાસ પણ કરતા. આપણા પૂજ્ય ગુરુદેવ વિજયવલ્લભ સૂરિજી મહારાજ સાહેબ પણ ઘણીવારસામાજિક સમસ્યાના નિરાકરણસારુ, ધાર્મિક પ્રવૃતિ સારુ અથવાકયારેક કોઈક યોજનામાં થતા વિલંબનેટાળવા પોતાના આહારમાંથી ઘી, દૂધ ત્યાગની પ્રતિજ્ઞા કરતા. તેમની આવી પ્રતિજ્ઞા થતાં જ ગમે તેવી ભારે સમસ્યાનો તુરંત નિકાલ થઈ જતો. પૂજ્ય ગુરુદેવે જ્યારે જાણ્યું કેઝગડિયા મુકામે ગુકુલ બનાવવાની યોજના ઘોંચમાં પડી છે, ત્યારે તેમણે અમુક મુદત આપી ઘી-દૂધનો ત્યાગ કરી દીધો હતો. તેમની આ ભાવનાના પરિણામે નિયત સમયમર્યાદામાં જગુરૂકુલની યોજના પરિપૂર્ણ થઈ શકી હતી. પૂજ્ય ગુરુદેવના જીવનમાં આવી બીજી અનેક ત્યાગની ઘટનાઓ દ્રષ્ટિગોચર થાય છે. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા. નિયમિત આહારમાં પણ મર્યાદિત સંખ્યામાં જ પદાર્થોનું સેવન કરતા હતા. જે તેમના ત્યાગવૃત્તિ અને સંયમ દર્શાવે છે. વડીલ સાધુગણ પ્રત્યેના વિનય વિવેક, સેવાવૃત્તિ, જીવનમાં ત્યાગ ભાવના, સમભાવ, સમતાભાવ, નિરભિમાનીપણું, નિસ્પૃહી વૃત્તિ, નિર્દભ, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, જપતપ, સર્વધર્મ પ્રત્યે સમાદાર, માનવતા અહિંસા એકતાભાવ જેવા અનેકાનેક સાચી સાધુતાને ઉજાગર કરતા, સાધુજીવનની ગરિમાને દીપાવતા સદ્ગુણો આપણા ચારિત્રનાયક શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા.ના આભૂષણો હતાં. લોકલ્યાગ સાથે સાથે નિજના આત્મકલ્યાણનો સુભગ સમન્વય તેમના સમગ્ર વંદનીય સાધુજીવનમાંદ્રષ્ટિગોચર થાય છે. સાચાત્યાગી બની સાધુતાને તેમને જીવનમાં ચરિતાર્થ કરી બતાવી હતી. પૂજ્ય ગુરુદેવકરચલિયામાં શાનદાર પ્રતિષ્ઠા કરાવી સુરત પધાર્યા હતા. ગોપીપુરામાં પૂજ્યશ્રીજી શ્રાવકો સાથે સુરતની વર્તમાન સ્થિતિ પરવાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યાં કેટલાક ભાઈઓ ઉપાશ્રયમાં આવ્યા. આગંતુકોએ વંદનાનો વિવેક પાગ ન દાખવ્યો. ઉપસ્થિત ગુરુભક્તોના દિલ દુભાયાં, પરંતુ પૂજ્યશ્રીજી તો અવિચલિત જ રહ્યા, કેટલાક ઉત્તેજિત થઈ ગયેલા ભક્તોને પૂજ્યશ્રીએ સંકેતથી શાંત રહેવા જણાવ્યું. આવેલા વિવેકશૂન્ય લોકો પૈકી એક જણ બોલ્યો અમે લોકો સંઘાડાની એકતાનો સંદેશ લઈને આવ્યા છીએ.' (૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy