SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ થરપારકર, ગુજરાત, દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પંજાબના વિવિધ શહેરો તથા અંતરિયાળ ગ્રામીણ પ્રદેશોમાં પગપાળા વિહારક્રતા હતા. આ સમગ્ર વિસ્તારોમાં વિહાર કરતા અસંખ્ય લોકોના સંપર્કમાં તેઓ આવ્યા હતા. આ લોકોની સામાજિક, આર્થિક, માનસિક તથા ધાર્મિક સ્થિતિ અને તેમના વિચારો તથા સમસ્યાઓ પૂજ્ય ગુરુદેવ સારી રીતે સમજી શક્યા હતા. આમ સમસ્યાઓની માહિતી મેળવ્યા પછી એ સમસ્યાનો ઉપચાર કરવાનું કામ તેમના માટે સરળ બની ગયું હતું. આમ પૂજ્ય ગુરુદેવ સામે સમાજનું સ્પષ્ટ ચિત્ર ઉપસેલું હતું જ એટલે તેમણે એ દિશામાં સમાજ સુધારણા દ્વારા રાષ્ટ્રસેવાના કાર્યનો આરંભ કર્યો હતો. પૂજ્ય ગુરુદેવે અનેક શહેરોમાં, ગામડાઓમાં સ્વાતંત્ર આંદોલન વિષે મહાત્મા ગાંધીજીના અહિંસાત્મક વિચારોની પુષ્ટિ કરતાં પ્રવચનો આપી લોકોમાં જાગૃતિ આણી હતી. ખાદીનો ઉપયોગ તથા વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર કરવાની લોકોને પ્રેરણા આપી હતી. તેમણે નશાબંધી તથા અસ્પૃશ્યતા નિવારણના રાષ્ટ્રિય કાર્યક્રમોમાં સક્રિય ફાળો આપ્યો હતો. વિશિષ્ટ સંજોગોમાં તેમણે જીવનમાં ખાદી ધારણ કરી હતી. પોતાની આચાર્ય પદવી જેવા મહાન પ્રસંગે પણ તેમણે | પંડિત હીરાલાલ શર્માના હાથથી પવિત્ર નવસ્મરણોના મંગલ પાઠ સાથે ભાવથી કંતાયેલી, સૂતરમાંથી બનાવેલી ખાદીની ચાદર પહેરી હતી. આમ હજારો ભકતોની હાજરીમાં આવા લોકપ્રિય મહાપુરુષ જ્યારે ખાદી ધારણ કરે, ત્યારે સ્વાભાવિક રીતે જ ઉપસ્થિત લોકોને પણ ખાદી પહેરવાની પ્રેરણા મળી હશે એમ માની શકાય. પૂજ્ય ગુરુદેવના મંગલ પ્રવેશ ટાણે હજારો લોકો એકઠા થતા અને તેમને ખાદી ધારણ કરેલા જોઈએ લોકો પણ ખાદી વાપરતા થયા હતા. આમ ખાદીના પ્રચારમાં પૂજ્યશ્રીજીનો કાળો નોંધપાત્ર રહ્યો હતો. દેશમાં ખાદીનો પ્રચાર થવાથી અસંખ્ય લોકોને રોજી રોટી મળતાદેશ સ્વાવલંબી થયો હતો. અંગ્રેજીનાઈંગ્લેન્ડની મિલોમાં તૈયાર થઈ આવતાકાપડની માંગ ઘટતા દેશવાસીઓનું શોષણ પણ ઘટયું હતું. ખાદી વિષે પૂજ્ય ગુરુદેવના વિચાર આધ્યાત્મિક ચેતનાથી ભરેલા હતા. તેઓ કહેતા હતા, ‘ખાદી એ નિર્દોષ જીવો પ્રત્યે મૈત્રી તથા કરૂણાભાવ કેળવવામાં સહાયક થાય | છે. એનાથી માનવતા પોષાય છે. વિદેશી વસ્ત્રોમાં ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના સારુ અસંખ્ય નિર્દોષ પ્રાણીઓનો વધ થાય છે. એટલે એવા વસ્ત્રોનો ઉપયોગ કરી શકાય નહીં. શુદ્ધસાધ્ય માટે શુદ્ધસાધનની આવશ્યકતા છે. પ્રભુ ભક્તિ એ શુદ્ધ અનુષ્ઠાન છે. તેમાં તનમનની શુદ્ધિ જોઈએ. નિર્મળ વસ્ત્રો હોવાં જોઈએ અને વસ્ત્રોને નિર્મળ ત્યારે જ કહેવાય જ્યારે તે કોઈપણ વ્યક્તિ કે પ્રાણીને પીડાર્યા સિવાય તૈયાર કરવામાં આવ્યા હોય એમાં માનવનું શોષણ પાણ થયેલું ન ચાલી શકે. એટલે ખાદીના ઉપયોગથીઅહિંસાનું પાલન શક્ય બને છે અને વસ્તુ પ્રભુની ભક્તિનું જ એક અંગ છે.” પૂજ્ય ગુરુદેવના પ્રવચનોથી પ્રભાવિત થઈને અનેક લોકોએ જન્મમૃત્યુ તથા લગ્ન વિવાહ જેવા પ્રસંગ પર ખાદીનો ઉપયોગ શરૂ કર્યો હતો. એ પ્રમાણે ખાદીધારણ કરી પૂજ્ય ગુરુદેવે અહિંસાપાલન દ્વારા ધાર્મિક ચેતનામાંનવીન પ્રાણ પૂર્યા, તો સાથે સાથે અનેક લોકોને ખાદીનો ઉપયોગ કરતા કરી વિદેશી વસ્તુઓના બહિષ્કાર દ્વારા ચાલતા સ્વદેશી જાગરણ અને રાષ્ટ્રિય સ્વાવલંબનને પણ તેમણે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. (૧૩૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy