SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ભાદ્રપદના મહિના આવતા હતા. ખરતરગચ્છ તથા અચલગચ્છના અનુયાયીઓને આ બાબતમાં વિવાદથી પ્રેરાઈ ચોપાનિયાં પણ છપાવી દીધાં. મુંબઈના શ્રાવકોએ પૂજ્ય ગુરુદેવને આ બાબતમાં ખરતરગચ્છ તથા અચલગચ્છના સાધુઓ સાથે શાસ્ત્રાર્થ કરવા આગ્રહ કર્યો. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે શાસ્ત્રાર્થ ન કરવાની સલાહ આપી. પૂજ્ય ગુરુદેવે આજ્ઞા શિરોમાન્ય કરી. ઉપરોક્ત પ્રસંગને અનુલક્ષીને પૂજ્ય ગુરુદેવે શ્રાવકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરવા જણાવ્યું .... આધુનિક સમયમાં વિશ્વમાં ઈસાઈ, મુસ્લિમ, પારસી, બૌધ્ધ તથા હિંન્દુ જેવી પ્રજાઓએકતા સાધી સમગ્ર મનુષ્ય જાતિનાં પરમ કલ્યાણની યોજનાઓ ઘડવા લાગી છે. માનવ માનવ વચ્ચેના ભેદ મિટાવી સૌ એકતાના સેતુ બાંધી રહ્યા છે... ત્યારે કમનસીબી તો જુઓ કે જૈન ભાઈઓ કૂપમંડૂકતા કેળવી નાના નાના કારણોસર આંતરિક વિખવાદને જન્મ આપી રહ્યા છે..... ! વેરઝેરના બીજવાવી, એકતા અને સંપનો નાશ કરી સ્વયંના ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યા છે... જો ખરતરગચ્છ અને અચલગચ્છના અગ્રણીઓ મળીને વિચાર વિમર્શ કરે તથા આવિષયમાં શાંતિપૂર્વક | નિર્ણય લેવાનો નિશ્ચય કરે તો હું આ બાબતમાં રસ લેવા તૈયાર છું.”પરંતુ એ લોકોએ વાત સ્વીકારી નહીં. જયાં અહંકાર હોય ત્યાં એકતાની વાત કોણ સાંભળવા તૈયાર થાય? એટલે બે ગચ્છોના વિવાદને ટાળવાનો પૂજ્યશ્રીજીનો પ્રયાસ નિષ્ફળ ગયો. કહેવત છે કે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. એટલે કે અસમાન પરિસ્થિતિ ધરાવતી ભિન્ન વ્યકિતઓ, સમાજ કે રાષ્ટ્ર વચ્ચે એકતા સ્થાપવી મુશ્કેલ બને છે. ધનિક વર્ગ તથા ગરીબ વર્ગ વચ્ચે ભાગ્યેજ એકતા સ્થાપી શકાય. ધનિક વ્યકિતઓની જીવનની રીતભાત, વાણી વર્તનના કારણે ગરીબ લોકો તેમનાથી દૂર રહેવા પ્રયાસ કરતા હોય છે. ધાર્મિક પ્રસંગોમાં ધનિક શ્રાવકો જે રીતે પૈસા વાપરી શકે એ રીતે ગરીબ શ્રાવકો પૈસા ન જ ખર્ચી શકે. એટલે તેમની વચ્ચે વૈચારિક મતભેદ અને અંતર રહેતા સમાજની એકતા જોખમાતી હતી. પૂજ્ય ગુરુદેવે આ વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું. અને એટલે જ સામાજિક એકતા સ્થાપવા તેઓ ગરીબ તથા મધ્યમ વર્ગના ઉત્કર્ષની યોજનાઓ પર ભાર મૂકતા હતા. સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને રોજગારી મળી રહે તથા જીવનની સામાન્ય સુખ સગવડો મળી રહે તે માટે સાધર્મિક વાત્સલ્યમાં મોટા ખર્ચ ન કરી આવા ગરીબોને પગભર કરવા તેઓ શ્રીમંતોને સમજાવતા હતા. - અમદાવાદના ચાતુર્માસ દરમ્યાન તપસ્વી શ્રી ગુણવિજયજી મહારાજે પર્યુષણ પર્વમાં પંદર ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. તેમની તપસ્યા નિમિત્તે અઠ્ઠાઈનો મહોત્સવ ઉજવવા એક દિવસ કેટલાક શ્રાવકો ઉપાશ્રયમાં ફંડ ફાળો ઉઘરાવવા લાગ્યા. પૂજ્ય ગુરુદેવના ધ્યાન પર આ વાત આવતા તેમણે આવા ફાળા ઉઘરાવવાની પ્રવૃતિ બંધ કરવા જણાવ્યું. પૂજ્યશ્રીજીએ કહ્યું કે, “આવી રીતે જો ઉત્સવ મનાવવા હોય તો આવા ફંડ ફાળાથી પૈસા ભેગા કરી ઉત્સવ ન મનાવવા જ વધુ બહેતર વાત છે.” પૂજ્યશ્રીજીએ આ જ બાબતમાં વળી જણાવ્યું કે “શ્રધ્ધાળુ લોકો પોતાના ઘરબાર,વેપાર વાણિજ્ય છોડી ઉપાશ્રયમાં પ્રભુભકિત માટે આવતા હોય છે અને અહીં નિયમિત આવતા ( ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy