SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજની તથા જૈન ધર્મની જે પ્રગતિ થઈ છે, એની પાછળ પૂજ્ય ગુરુદેવનો સિંહફાળો રહેલો છે. એકતા સંબંધી એમના સંનિષ્ઠ પ્રયાસોને એમના જીવનની કેટલીક ઘટનાઓના સંદર્ભથી સમજવા પ્રયાસ કરીએ. વિ.સં. ૧૯૫૮ ના ગાળામાં પૂજ્ય ગુરુદેવ પંજાબમાં વિચરણ કરતા હતા. અહીંયા બે ત્રણ વર્ષ દરમ્યાન તેમણે કેટલાક મહત્વના કાર્યો કરાવી સામાજિક એકતાને મજબૂત કરવા પ્રયાસ કર્યા હતા. એ કાર્યો પૈકી તેમણે હોશિયારપુરના સરકારી ગેઝેટિયરમાં અજાણતાં જ ઓસવાલ જાતિની શુદ્રમાં ગણતરી થઈ હતી, એ ભૂલ સુધરાવી ઓસવાલોની ગરિમાનું જતન કરાવ્યું. તે જ વર્ષમાં મુંબઈ ખાતે શ્વેતાંબર જૈનોની સભા મળવાની હતી. પૂજ્ય ગુરુદેવે એકતા અને સંપ વધારવાના હેતુથી એ સભામાં ભાગ લેવા પંજાબના શ્રાવકોને પ્રેરણા આપી. ત્યારથી પંજાબના પ્રતિનિધિને પ્રતિ વર્ષ મોકલવાની પ્રથા શરૂ થઈ. - પૂજ્ય ગુરુદેવનું ચૌદમું ચોમાસું સંવત ૧૯૫૬ માં હોશિયારપુર મુકામે થયું હતું. તે સમયે પંજાબના સઘળા શ્રીસંઘો તેમને આચાર્યપદવી ગ્રહણ કરવા આગ્રહ કરવા લાગ્યા. બધા ભાવિકોનો સૂર હતો... ‘અમે તો સ્વર્ગીય ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવા માગીએ છીએ. અંતકાળે અમે તેમને પૂછેલું કે “ગુરુદેવ! આપ અમને કોના ભરોસે છોડી જાઓ છો?' ત્યારે તેમણે જણાવ્યું હતું ‘તમે ચિંતા કેમ કરો છો? હું તમને વલ્લભના ભરોસે છોડી જાઉં છું તે મારી ખોટ પૂરી કરશે!” ત્યારે પૂજ્ય ગુરુદેવે કહ્યું, “એ મહાન હતા. એમની આજ્ઞાનું પાલન કરવામાં હુંકદાપિ પીછેહટ નહીં કરું. પરંતુ એતો દીપ્તિમાન ભાસ્કર હતા, હું તો ટમટમતા દીપકસમાન છું. હા, સૂર્યની ગેરહાજરીમાં જેમ નાનકડો દીવડો થોડોક પ્રકાશ રેલાવી શકે, ઉપયોગી થઈ શકે, તેમ હું પણ આપને ધર્મકાર્યમાં યથાશક્તિ જોતરવાનું કામ કરી લઉં છું. પરંતુ પૂજ્ય ગુરુદેવની ગાદી પર બેસવાની મારી યોગ્યતા નથી. પૂજ્ય ગુરુદેવના અન્ય કેટલાય શિષ્યો છે, જે દીક્ષા પર્યાયમાં મારાથી મોટા છે, એમાંથી કોઈની પસંદગી તમે કરો એન્યાય સંગત વાત છે... છતાં તમારો અતિ આગ્રહ હોય તો તમામ મુનિરાજોની સંમતિ પ્રાપ્ત કરી, એ બધાની સંમતિ મળ્યા પછી હું આગળ વિચારીશ.” પૂજ્યશ્રીજીએ ખૂબીથી સૌને સમજાવી વાત ટાળી દીધી.. તે સમયે ઉપસ્થિત બાબા ગંગારામજી બોલ્યા, હું મારવાડતથા ગુજરાત જઈલગભગ બધા જસાધુઓની સંમતિ લઈ આવ્યો છું. બધાએ પ્રસન્નતાથી આપને આચાર્યપદવી આપવા હા ભણી છે, પરંતુ શ્રી કાંતિવિજયજી મહારાજે બીજી વાત કરી છે. તેમનું મંતવ્ય છે કે શ્રી વલ્લભવિજયજ આચાર્યપદ માટે સર્વથા યોગ્ય છે. તેઓ અદ્વિતીય ગુરુભક્ત, વિદ્વાન પ્રભાવી વકતા છે, છતાં એમને આ પદ એનાયત થાય એમાં મારી સંમતિ નથી. ધારો કે તેમને આચાર્ય પદવી આપીએ અને એક બે સાધુઓ પણ જો તેમનો વિરોધ કરે તો પરિણામ શું આવશે? આંતરિક વિખવાદના કારણે ગુરુદેવના સમુદાયના બે ભાગલો થઈ જશે અને એ વાત મને મંજૂર નથી. મને વિશ્વાસ છે કે શ્રી વલ્લભવિજ્યજી પણ આ વાત જાણતા હશે, કારણ કે હું એમની શારજનભક્તિથી પરિચિત છું, એટલે મારી ભાવના છે કે મુનિશ્રી કમલવિજયજી મહારાજને ૧૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy