SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રીજીના પરિચયમાં આવ્યો. એ પરિવાર પરપૂજ્યશ્રીજીના વ્યક્તિત્વનો તથા ઉપદેશનો એવો તો પ્રભાવ પડ્યો, કે એમણે જીવનમાં દેવદર્શનનો નિયમ લીધો. સમગ્ર પરિવારે સપ્ત વ્યસનનો ત્યાગ કર્યા, ત્રણ વર્ષ સુધી કંદમૂળ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી. સાચા સંત મહાત્મા પારસમણિ જેવા હોય છે, જેમના સંસર્ગ માત્રથી, તેમની દિવ્ય પ્રતિભાથી લોકોના જીવન બદલાઈ જતા હોય છે. પૂજ્યશ્રીજી એવાજ પારસમણિ હતા. તેમના સંપર્કમાં આવેલા અનેક ભકતોનાકથીર સમાન જીવનમાં આત્માની સોનેરી ચમક આવી ગઈ હતી. નારદ મુનિના સંપર્કમાં ભીલ વાલિયો લૂંટારો આવ્યો અને તેમના સત્વપૂર્ણ ઉપદેશથી તેણે લૂંટફાટનો રસ્તો છોડ્યો. ધર્મધ્યાનના પંથે પ્રયાણ કરી અંતમાં તે વાલ્મીકિ ઋષિ બની ગયો. નવ્વાણું નવ્વાણું નિર્દોષ માનવીને રહેંસી તેમની આંગળીઓ કાપી તેની હાર બનાવી ધારણતા અંગુલિમાલને પરમાત્માગૌતમ બુદ્ધમળી ગયા. વૃક્ષની ડાળી તોડાવી તેની પાસે અને એ ડાળીને પુનઃ વૃક્ષ સાથે જોડી દેવાની વાત બુદ્ધ ભગવાને કરી. નાનકડો પ્રતીકાત્મક ઉપદેશ અપાયો અને હત્યારો અંગુલિમાલ ગૌતમ બુદ્ધના ચરણમાં પડી ગયો. કાળાંતરે એની પણ ઉદ્ધાર થઈ ગયો. સંત પુરુષોના વચનો પ્રભાવશાળી હોય છે. બૂજ બૂજ ચંડકૌશિયા!” આટલા જ શબ્દો કરુણાનિધિદેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના અંતરમાંથી નીકળ્યા અને ચંડકૌશિક નાગનો ઉદ્ધાર થઈ ગયો. “રાષ્ટ્રસેવક થઈઆમ વિદેશી સિગારેટનું ધુમ્રપાન કરવું તમારા માટે યોગ્ય છે?'કલિકાલકલ્પતરુ, તિમિર તારિણી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.ના મુખેથી નીકળેલા આ એક જ વચનથી પ્રભાવિત થયેલાં પંડિત મોતીલાલ નહેરૂએ ધુમ્રપાનનું વ્યસન છોડી દીધું હતું. પૂજ્ય ગુરુદેવની પ્રતાપી સામર્થશીલ સાધુતાના પ્રભાવથી પંજાબમાં ઘણાઈમાનદાર સૂફીવાદના ચાહક મુસ્લિમ બિરાદરો તેમના ભક્ત બન્યા હતા. ક્યારેક જળસંક્ટ કે દુષ્કાળના સમયે પૂજ્યશ્રીજીના પુનિત પગલાં થતાં એ વિસ્તારોના સંકટો દૂર થયાં હતાં. એટલે શ્રદ્ધાવાન મુસ્લિમો તેમને ઓલિયામાનીપૂજતા હતા. પૂજ્યશ્રીજી પ્રત્યે એમના દિલમાં અનન્ય અહોભાવ અને આદરની લાગણી રહેતી. સામાન્ય રીતે ધર્મચુસ્ત ગાગાતી મુસ્લિમ પ્રજા ભાગ્યે જ અન્ય ધર્મના સિદ્ધાંતોકે સાધુ સંતોની વાત સાંભળવા રાજી થતી હોય છે, પરંતુ પૂજ્યશ્રીજીના વ્યક્તિત્વમાં એવો પ્રભાવ હતો, એમની વાણીમાં એવી સચ્ચાઈ હતી કે પંજાબમાં ઘણા મુસ્લિમ બિરાદરો તેમના વ્યાખ્યાન સાંભળવા આવતા, તેમની સાથે જ્ઞાનચર્ચા કરતા તથા પૂજ્યશ્રીજીનાનગરપ્રવેશ ટાણે સરઘસમાં ઉલ્લાસભેર જોડાતા હતા. પૂજ્યશ્રીજીના આવા ઘણા નામી-અનામી મુસ્લિમ ભક્ત હતા. પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાન સાંભળી અહિંસાથી પ્રભાવિત થયેલા કેટલાક મુસલમાનોએ માંસાહારનો ત્યાગ કર્યો હતો. કેટલાક લોકોએ શિકારશરાબ જેવા સપ્તવ્યસનો છોડ્યા હતા. પૂજ્યશ્રીજી એક વારનારોવાલ પધાર્યા ત્યાં તેમનું સામૈયું થવાનું હતું. લોકોએ ઉત્સાહપૂર્વક ગામને ખૂબ શણગાર્યું હતું. રસ્તામાં આવતી એક મુસ્લિમની દુકાન પાસેથી પૂજ્ય ગુરુદેવ પસાર થતા હતા. ત્યાં તો એ મુસ્લિમ બિરાદર ઉત્સાહિત થતા દોડી આવ્યા અને તેમણે ખૂબ જ ભાવપૂર્વક વંદના કરી, પૂજ્યશ્રીજીનું ભાવભીનું યથોચિત સ્વાગત કર્યું. એટલું જ નહીં, - ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy