SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ તેમને પોતાના જ ધર્મ સંપ્રદાયના ગુરુદેવ હોય એ રીતે સન્માનભેર આવકારી યથોચિત ભક્તિ કરતા. પંજાબમાં ત્યારે નાના નાના અંતરિયાળ ગામોમાં જૈનોની વસ્તી સીમિત હતી. પૂજ્યશ્રીજી તો ધર્મના તેજ પ્રસરાવવા દુર્ગમ કષ્ટદાયક અજાણ્યા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ટાઢ, ભૂખ-તરસ, આશ્રયની ચિંતા ફિકર કર્યા સિવાય વિહાર કરતા. આવા સમયે તેમને ઘણીવાર શીખોના ગુરુદ્વારા, હિંદુઓના મંદિરોમાં રોકાવવાના પ્રસંગ આવતા. આ શું સૂચવે છે? પૂજ્ય ગુરુદેવે એવા ગામોમાં પાણમહિનોમાસ રહીધર્મપ્રભાવના કરી છે, જ્યાંદેરાવાસી જૈન પરિવારનું એક પણ ઘર ન હોય. તે સમયે એવા ગામોમાં વસતા સ્થાનકવાસી જૈનો વૈિચારિક વિશાળતાના અભાવે પૂજ્ય ગુરુદેવને આહારપાણીનો પણ લાભ ન આપતા. તો પછી એવાગામોમાં પૂજ્યશ્રીજીને ભિક્ષાચરી તથા આશ્રય સ્થાન કોણે આપ્યા હશે? પૂજ્ય ગુરુદેવની પ્રતિભા તથા દર્પણ સમાન નિર્મળ સાધુતાથી પ્રભાવિત થયેલા તેમના જૈનેતર ભક્તો એવી પરિસ્થિતિમાં પૂજ્યશ્રીજીની સાર-સંભાળ લેતા હશે એમ સહેજે માની શકાય. ૧૯૪૭માં ભારત પાકિસ્તાનના ભાગલા થયા, ત્યારે પૂજ્યશ્રીજી સાધુ સાધ્વીગણ તથા શ્રાવકો સાથે ગુજરાંવાલામાં રોકાયેલા હતા. ભારત સરકારે તેમને હિંદુસ્થાન લાવવા લશ્કરની એક નાનકડી ટુકડી પણ મોકલી હતી. ગુજરાંવાલાથી આ લોકો રવાના થયા ત્યાં એમને ખબર મળી કે આગળમાર્ગમાં કેટલાક મુસ્લિમો તેમને લૂંટવાના ઈરાદેનહેર પાસે છુપાઈને બેટી છે, એટલે આ લોકોને રોકાઈ જવું પડ્યું. દૈવયોગે ત્યારે લગભગ 20 જેટલા સૈનિકોની કડી લઈ એક શીખ સરદારજી નીકળ્યા. સાથે તેમના ધર્મપત્ની પણ હતા. એ બહેને પૂજ્ય ગુરુદેવને ઓળખી લીધા અને પોતાના પતિદેવને પૂજ્યશ્રીજીની મદદ કરવા વિનંતિ કરી. સરદારજીએ બીજા કામ પડતા મૂકી પૂજ્યશ્રીજીની સહાયતા કરી. આ ઘટનામાં શીખ સરદારની પત્નીએ પૂજ્યશ્રીજીને ક્યાંક જોયા હશે. કદાચ તેમની અમૃતવાણીનો લાભપાગ લીધો હશે અને તે ખરેખર પૂજ્ય ગુરુદેવની સાધુતાથી અવશ્ય પ્રભાવિત થઈ હોવી જોઈએ અને તેમના તરફ ભક્તિભાવ પણ તેનો કેળવાયો હશે. પૂજ્યશ્રીજીની એક જૈનેતર મહિલા ભક્તની ભાવના કેવી ઉપકારક સિદ્ધ થઈ? મનુષ્યનો સ્વભાવ છે કે જે વસ્તુ તેની પાસે હોય છે તેનાથી તે વધુ સમય આકર્ષિત નથી રહેતો, પરંતુ તેનાથી વિપરીત વસ્તુઓ તેને હંમેશા આકર્ષિત કરે છે. રાજવીઓ પાસે ભોગવિલાસ, એશોઆરામ હોય છે, પરંતુ શાંતિ અને આનંદ તેમની પાસે નથી હોતા. જ્યારે પૂજ્ય ગુરુદેવ જેવા સાધુપુરુષ પાસેતો ધન-દોલતના નામે પરમશાંતિ અને આનંદના અઢળક ખજાના સિવાય શું હોય ? એટલે આવા ત્યાગીપુરુષના ત્યાગ તરફ ભોગીરાજા, મહારાજા સ્વાભાવિક રીતે જ આકર્ષાય. પૂજ્યશ્રીજીના જીવનકાળમાં અનેક રાજવી પુરુષ પરિચયમાં આવ્યા હતા અને તેમના સાધુત્વથી પ્રભાવિત થઈ તેમના ભક્ત થયા હતા. ગાયકવાડી રાજ્યના મહારાજા શ્રી સંપતરાવ ગાયકવાડ પણ પૂજ્ય ગુરુદેવની કીર્તિ કૌમુદીથી ભારે પ્રભાવિત થયા હતા. વડોદરામાં તે સમયે પ્રખર પ્રભાવી ધર્મવેત્તા કે રાજકારણી જેવી વ્યક્તિનું પ્રવચન જન્યાયમંદિર જેવી જગ્યાએ રાખવામાં આવતું હતું. સંપતરાવ મહારાજાએ પૂજ્યશ્રીજીનું આવી જગ્યાએ જનહિતાર્થે વ્યાખ્યાનનું સુંદર આયોજન કરાવ્યું હતું. આ વાત પૂજ્યશ્રીજીની જૈનેતર ભકતોમાં રહેલી તેમના પ્રત્યેની (૧૦૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy