SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન શિક્ષણ પ્રચારક ઘનઘોર જંગલમાં અમાવસ્યાનીકાજળકાળીરાત્રિના અંધકારમાં અટવાયેલા, રાહ ભૂલેલા પથિને જો નાનકડો પ્રજવલિત દીપનો, માચીસનો, મીણબત્તીનોકે ટોર્ચનો સહારો મળી જાય તો એ વસ્તુ એના માટે જીવનદાયી આશીર્વાદરૂપ સાબિત થયા સિવાય રહે નહીં. શિક્ષણ પણ વ્યક્તિના અંધકારમય જીવનને અમાપ આલોકથી છલકાતી શાંતિ, આનંદ તથા સંતોષથી ભરી શકે છે. શિક્ષણ મનુષ્યના જીવનમાં પ્રગતિનો પ્રાણ પૂરે છે. શિક્ષિત વ્યક્તિ લેખન વાંચન દ્વારા પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી શકે છે. શિક્ષણવ્યક્તિને શિષ્ટ, વિવેકી વિચારશીલ બનાવી શકે છે. શિક્ષણથી વ્યકિતનું જીવન ઘડતર થાય છે. તેની વિચાર શક્તિ, વિશ્લેષણ શક્તિ, પૃથ્થકરણની ક્ષમતા શિક્ષણથી ખીલે છે. શિક્ષણ વ્યક્તિની અંધશ્રદ્ધા તથા વહેમરૂઢિવાદીતાનો નાશ કરે છે. વ્યાવહારિક શિક્ષણથી વ્યક્તિ જગતના વર્તમાન પ્રવાહોની જાણકારી પ્રાપ્ત કરી, તે મુજબ યોગ્ય ફેરફારો કરી પોતાનું જીવન ટકાવી રાખવા સક્ષમ બને છે. શિક્ષિત વ્યક્તિ જ રાષ્ટ્ર સમાજપરિવાર તથા ધર્મની રક્ષા કરવા શક્તિમાન બને છે. પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીએ આજથી લગભગ ૨૫૦૦થી વધુ વર્ષો પહેલાં પ્રાકૃત ભાષામાં સર્વજન હિતકારી દેશનાઓ આપી હતી. હવે જેમને એમનીમૂળ દેશનાસમજવી હોય તો તેણે પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવવું જ પડે. અરે ભક્તામર સ્તોત્રના શ્લોકોના સાચા ઉચ્ચારણ સારુ, તેનો ભાવાર્થ સમજવા તથા તે મુજબ પદ્ધતિસરની ઉપાસના કરવા પણ વ્યક્તિને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. ઉલ્વસગ્ગહર સ્તોત્ર હોય, નવકારમંત્ર હોય કે બીજા સ્તવનો હોય એ બધાને સમજવા માટે ભાષાનું જ્ઞાન અનિવાર્ય થઈ જાય છે. એ માટે વ્યક્તિએ શિક્ષણ પ્રાપ્ત કરવું જ પડે, એટલે આજના સમયમાં વ્યાવહારિક શિક્ષણની સહેજ પણ ઉપેક્ષા કરવી પાલવે નહીં. શિક્ષિત વ્યક્તિ માટે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરવું સરળ થઈ જાય છે. ધાર્મિક શિક્ષણ એ વ્યક્તિના આત્મવિકાસ માટેનું અણમોલ સાધન છે, તો વ્યાવહારિક શિક્ષણ તેનાદુન્યવી વ્યવહારો માટે અનિવાર્ય છે. આજે વિજ્ઞાનની અસંખ્ય શોધખોળોનાકારણે માનવીનું જીવન ખૂબ સરળ, સુખદાયી સુવિધાપૂર્ણ બનવા પામ્યું છે. માનવીની દુનિયાનાની બની ગઈ છે. પૃથ્વી બહાર અંતરીક્ષમાં તે નવી નવી શોધો કરી રહ્યો છે. હા, વિજ્ઞાનના દુરુપયોગથી માનવ જીવનમાં ભય, હિંસા, અસલામતી તથાટેન્શન વધ્યાં છે, પરંતુ એ વસ્તુઓને નિયંત્રણમાં લઈ શકાય તેમ છે. વિજ્ઞાન પણ શિક્ષણનો જ એક ભાગ છે. આજે જૈન સમાજના ઘણા લોકો શિક્ષિત થઈદુનિયાના વિવિધ ભાગોમાં પોતાના વેપાર વાણિજ્ય વિકસાવી સમૃદ્ધ થયા છે અને આવા સમૃદ્ધ દાનવીરોની ઉદારતા, સમજણશક્તિના કારણે દેશમાં નવીન શિક્ષણ સંસ્થાઓ, પાંજરાપોળો, હોસ્પિટલો ઉપલબ્ધ બની છે, જ્યાં માનવતાનાં કાર્યો થાય છે. દેશમાં પણ લગભગ દરેક ક્ષેત્રમાં જૈનો અગ્રીમ હરોળમાં બેઠા છે. ડૉકટરો, વકીલો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, રાજકારણીઓ, વૈજ્ઞાનિકો, જૈન સમાજમાં વ્યાપેલા શિક્ષણને આભારી છે. વર્તમાનમાં જૈન સમાજના મહિલા વર્ગમાં પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. જૈન સમાજમાં શિક્ષણની આચેતનાની લહેરકોણે જગાડી? - ૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy