SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કરતા તેઓ સુરેન્દ્રનગર પધાર્યા. તે સમયે સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા શેઠ શ્રી રતિલાલ તેમને મળવા આવ્યા. તેમણે પૂજ્ય ગુરુદેવ સાથે લગભગ દોઢ કલાક સુધી સંમેલન, સંગઠન, એકતા જેવા વિષયો પર ચર્ચાઓ કરી. ત્યારે અંતમાં પૂજ્યશ્રીજીના હૈયે જે વાત રમતી હતી એ સ્પષ્ટ શબ્દોમાં એ અગ્રણી ભાઈને જણાવી દીધી... ‘ સમાજનો ઉત્કર્ષ ત્યારે જ થઈ શકે, જ્યારે સમાજના નેતાઓ વાતો કરવાની છોડી નક્કર કામ કરવામાં લાગી જાય !' આવું કડવું સત્ય કહેવા પાછળનો પૂજ્યશ્રીજીનો હેતુ તો એટલો જ હતો કે કોઈ સંવેદનશીલ વ્યક્તિને ચોટ પહોંચે અને તે યથાશક્તિ સમાજ સેવાના નક્કર કામમાં લાગી જાય. પૂજ્ય ગુરુદેવ જ્યારે પાલિતાણામાં ચાતુર્માસ કરતા હતા, ત્યારે રાજસ્થાનના નાણા ગામની આસપાસના વિસ્તારમાં વિહાર કરતા વયોવૃદ્ધ પંન્યાસ શ્રી હીરવિજયજી પર કેટલાક અસામાજિક તત્ત્વોએ કરેલા હુમલા અંગેના સમાચાર તેમને પ્રાપ્ત થયા. આસો સુદ નવમના દિવસે પાલિતાણામાં મળેલી વિશાળ સભામાં આ હીન કૃત્યને વખોડી કાઢતા પૂજ્ય ગુરુદેવે કહ્યું હતું .. ‘મને એ જાણીને ખેદ થયો કે નાણામાં આપણા સાધુ પર અત્યાચાર થયો, ત્યારે એ ઘટનાને ત્યાં વસતા શ્રાવકો મૂક પ્રેક્ષકો બની માત્ર નિહાળતા રહ્યા! એક પણ વ્યક્તિએ તેમને બચાવવા પ્રયાસ ન કર્યો. બધા ભૂલી ગયા કે આપણે જૈન લોકો ક્ષત્રિયોની સંતાન છીએ. હવે શ્રાવકો માટે કાયરતા ત્યાગી, વીર બનવાનો સમય પાકી ગયો છે. એમના પર સૌની રક્ષાની જવાબદારી છે. તેમણે પોતાના ધનમાલ, કુટુંબ-પરિવાર વગેરેનો ત્યાગ કરી મંદિરો, પ્રતિમાઓ તથા દેવદ્રવ્યની રક્ષા કરવી પડશે. ભવિષ્યમાં જો શ્રાવકો વીર બનશે, સંગઠિત થશે, તો જ જૈન સમાજ તથા સંસ્કૃતિ ટકી શકશે, નહીંતર સૌનો વિનાશ જ થશે...!' દુર્બળ વ્યક્તિની ક્ષમામાં અહિંસાની સુવાસન પ્રગટી શકે. પરમાત્મા શ્રી મહાવીર સ્વામી જેવા સામર્થ્યવાન ક્ષત્રિય રાજવીના મુખેવલી થયા પછી એ વાત શોભે. નિર્બળકાયરસમાજનો વિનાશ જ થાય. પૂજ્યશ્રીજી એટલે જ જૈન સમાજને કાયરતા છોડવા પ્રેરણા આપતા હતા. ૮૩ વર્ષની વયે પણ પૂજ્ય ગુરુદેવ સતત કાર્યશીલ રહ્યા હતા. તેમના અંતરમાં સાધર્મી ભાઈઓના ઉત્કર્ષની લગની લાગેલી હતી. મુંબઈથી અન્યત્ર વિહાર કરતા પહેલાં તેમણે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા સિવાય સાધર્મીઓના ઉત્કર્ષ માટે પાંચ લાખનો ફાળો એકઠો કરાવવા દૂધના ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. સમાજનાદુઃખી સંતાપિત નિર્બળ જીવોને મદદરૂપ થવાની એમની ઉદાત્ત ભાવના પ્રશંસનીય હતી. મુંબાદેવીના આભૂષણ બજારમાં તા. ૮-૩-૧૯૫૩ના રોજ સાધર્મીઓના ઉત્કર્ષ ફંડ માટે પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં એક સભા બોલાવવામાં આવી હતી. આ સભામાં પૂજ્યશ્રીજીએ પાટણના જ્ઞાનભંડારોની રક્ષા માટે નાખેલી ટહેલમાં ત્યાગી બહેનોએ આપેલા ઉદાર ફાળાની વાતનો ઉલ્લેખ કરી, સુંદર હૃદયસ્પર્શીવ્યાખ્યાન આપ્યું અને તેમના વકતવ્યથી પ્રભાવિત થયેલી બહેનોએ ત્યાં પોતાના આભૂષણોનાં દાન દઈ ઉત્કર્ષ ફંડમાં મોટો ફાળો આપ્યો. ત્યારબાદ થોડા સમયમાં જ ગુરુ ભક્તોએ તનતોડ મહેનત કરી ઉત્કર્ષ ફાળાની રકમ એકઠી કરી પૂજ્યશ્રીજીની Jain Education International ૯૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy