SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આટાણે તમારી પાસે એક બીજી ભિક્ષા પણ માંગું છું. તમે લોકો આંતરિક ખટરાગ ને નાનામોટા વિખવાદ અને કુસંપથી પીડાઓ છો. એ બાબત આત્મઘાતી પુરવાર થશે. ધર્મ, સમાજ તથા સ્વયંની જાતનો બચાવ કરવા એ તમામ કલહકંકાસ,કુસંપ, વિખવાદ અને વેરઝેરને મારી ઝોળીમાં પધરાવી દો! તમારા હૃદયમાં પ્રેમભાવ, દયા, સંપ, એકતા અને ભાઈચારાના સુવાસિત પુષ્પોને પાંગરવા દો, એ મારી શ્રેષ્ઠ ભિક્ષા બની રહેશે.” સાદડીના રોકાણ દરમ્યાન અનિવાર્ય સંજોગોમાં તેમણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. ચૈત્ર સુદ તેરસના દિવસે પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણકના ઉત્સવનું આયોજન થયું હતું. આ પ્રસંગે પૂજ્યશ્રીજી હાજર રહી શક્યા નહોતા. કારણકે ઓપરેશનના કારણે તેમને પ્રકાશમાં આવવાની મનાઈ હતી. આ સભામાં પૂજ્યશ્રીજીની પ્રેરણા તથા માર્ગદર્શનથી પ્રેરાઈપંન્યાસ શ્રી સમુદ્રવિજયજી મહારાજે પૂજ્ય ગુરુદેવની અંતરની ભાવના રજૂકરતા તેમના વકતવ્યમાં જણાવ્યું હતું... “આજે હું તમારી સમક્ષ એક ભિક્ષા માંગી રહ્યો છું. હું એક કઠોર અપ્રિય વાત જણાવવા ઈચ્છું છું... આ વાત સાંભળી ખોટું લાગે તો ક્ષમા કરજો.. આપણી આવીર ભૂમિમાં ઠેર ઠેર જ્ઞાનની પરબો તથા વિદ્યાધામ ખોલવામાં આવ્યાં છે, એ આનંદ પ્રેરકવાત છે એ માટે તમે હજારો લાખોનાં દાન પણ પ્રેમથી આપ્યા છે, પરંતુ આ સમાજમાં ચાલતો કન્યાવિક્રયનો કુરિવાજસોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે. આકલંક્તિ કુરિવાજબંધ થાય એવી પૂજ્ય ગુરુદેવના અંતરની ઇચ્છા છે. મારવાડમાં પ્રવર્તતા આ રિવાજને તમારે સત્વરે મિટાવવો પડશે. તમે લોકો જો આબદી દૂર કરશો, તો તમને હજારો કન્યાઓનાં (તમારી પુત્રીઓના) આશીર્વાદ પ્રાપ્ત થશે!” જૈન ધર્મ ‘અહિંસા પરમો ધર્મ'ના મહાન સિદ્ધાંતને વરેલો છે. તમે જાણો છો કે માંસ વેચનાર, લાવનાર, રાંધીને ખાનાર બધા પાપના ભાગીદાર થાય છે. આ વાતનું જ્ઞાન હોવા છતાંકન્યાવિક્રય કરી તમે લોકો મહાપાપકરી રહ્યા છે... ભાઈઓ! જાગૃત થાઓ અને આજ ક્ષણથી આકુરિવાજ બંધ કરવાની પ્રતિજ્ઞા લો!” પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી મહારાજની વાતથી લોકો પ્રભાવિત થયા અને શેઠ મૂળચંદજીએતત્પણ કન્યા વિક્રયના કલંકને દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી. સંવત ૨૦૬ના જેઠ સુદ આઠમના દિવસે પૂજ્ય આત્મારામજી મ.સા.ની સ્વર્ગારોહણ તિથિ પરયોજાયેલી સભામાં પૂજ્ય ગુરુદેવની આજ્ઞા તથા પ્રેરણાથી પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી મહારાજે પૂજ્ય આત્મારામજી મ.સા.ના જીવન પર સંક્ષિપ્તમાં પ્રકાશ પાથરતા તેમની અંતરની ઈચ્છાને આશબ્દોમાં પ્રગટકરી હતી... વીર પુત્રો, સાવજ બાળો ઉઠો, જાગો ! ક્યાં સુધી પોઢેલા રહેશો? જમાનો કહે છે હું બદલાયો છું, તમે પણ તમારી જાતને બદલો, કુત્સિત રિવાજો તથા બ્રમણાઓ છોડીને જાગૃત થાઓ!કેવળ વાતોનાં વડાથી કંઇવળવાનું નથી. ભગીરથ પુરુષાર્થદ્વારા જૈન સમાજનું ઉત્થાન કરવાનું છે. આપણી કમજોરીઓ, કુપ્રયાસો તથા પ્રમાદવૃત્તિનો ત્યાગ કરવો પડશે માત્ર પ્રસ્તાવ, વ્યાખ્યાન, સુફિયાણી વાતો અને વિવેચન કરવાનો જમાનો ચાલ્યો ગયો છે. સંગઠિત - -- - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy