SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આજે અસ્તિત્વમાં હોત તો કેટલા જૈન બંધુઓ વિદેશમાં ધંધાર્થે જઈ શક્યા હોત ? જૈન ધર્મ વિષે જગતમાં કેટલા લોકો જાણતા હોત? પૂજ્ય આત્મારામજી મ.સાહેબે પોતાના અંતિમ કાળમાં તેમના પટ્ટધર શિષ્ય પૂજ્યશ્રી વલ્લભવિજયજીને પોતાના અધૂરાં કાર્યો પરિપૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. અને એટલે જ આપણા ચારિત્રનાયકે આજીવન ધર્મપ્રચારની સાથે સાથે જૈન ધર્મના શિક્ષણ, વ્યાવહારિક શિક્ષણ, સામાજિક સુધારણા, વ્યસનમુક્તિ, સ્ત્રીઓના ઉત્થાન માટેના ભગીરથ કાર્યો કર્યા હતા. પૂજ્ય ગુરુદેવના સામાજિક સુધારણાના કાર્યોને સાંસારિક કાર્યો ગણાવી ઘણા લોકોએ તેમની ટીકા કરી હતી. તેમનો વિરોધ કર્યો હતો, પરંતુ તેમા એ બધા વિરોધોનો મક્કમ મનોબળથી સામનો કરી જૈન સમાજને નવીન આધુનિક મજબૂત કલેવર પૂરું પાડ્યું છે. એમનો એ ઉપકાર વિવેકશીલ, ઉદાર પ્રગતિશીલ જૈન સમાજકદાભૂિલી શકશે નહીં. પૂજ્ય ગુરુદેવના સમાજસુધારણાના બહુમૂલ્ય અભિયાનને સમજવા સારુએમના જીવનનીટલીક ઘટનાઓનું અત્રે આપણે વિહંગાવલોકન કરીશું. - પૂજ્ય ગુરૂદેવ ધાર્મિક ઉત્સવ મનાવવાના વિરોધી નહોતા, પરંતુ આવા ઉત્સવો વિવેકબુદ્ધિથી સમૃદ્ધ લોકોના આર્થિક સહયોગથી ઉજવાય એ વાતના આગ્રહી હતા. આવા ઉત્સવો માટેઉઘરાવાતોકાળોમધ્યમ તથા ગરીબ શ્રાવકો માટે બોજારૂપ થવો ન જોઈએ, એ તેમનો સ્પષ્ટ અભિગમ હતો. - અમદાવાદના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી થઈ હતી. તપસ્વી મુનિરાજશ્રી ગુણવિજયજી મહારાજે પંદર ઉપવાસની તપસ્યા કરી હતી. તેમનીઆ તપશ્ચર્યા નિમિત્તે અદાઈમહોત્સવ ઉજવવા એક દિવસ કેટલાક શ્રાવકો ઉપાશ્રયમાં ફાળો એકત્ર કરી રહ્યા હતા. પૂજ્યશ્રીજીના ધ્યાન પર આ વાત આવતા તેમણે કાળો ઉધરાવતા શ્રાવકોને સ્પષ્ટ જણાવી દીધું કે ભક્તિ કરવી, પરમાત્માની ઉપાસનારવીએ આપનું કર્તવ્ય છે, પરંતુ હું નથી ઇચ્છતો કે મારા સાથી સાધુઓની તપસ્યા માટે આ રીતે અઠ્ઠાઈ મહોત્સવ યોજાય... આ રીતે શક્તિ હોવા છતાં રૂપિયો, આઠ આના માગીને મહોત્સવ કરવા કરતા એન ઉજવાય એ વધુ સારી વાત છે. જે લોકો માત્ર ભક્તિભાવથી પ્રેરાઈ પોતાના ઘરબાર, વ્યવસાય છોડી અહીં આવે છે, એમને આવતા રોકવાનો આ રસ્તો, અહીં જેટલા શ્રાવકો હાજર છે, તેમાં એક પણ વ્યક્તિ ધનિક હોય તેવું તમને લાગે છે?મોટીમોટી મિલોવાળા તથા પેઢીઓવાળાતો ભૂલે ચૂકે જ વ્યાખ્યાનમાં આવી જાય છે અને તે પાણી પર્યુષણ પર્વેમાં જ! હંમેશાં તો આ સામાન્ય સ્થિતિના શ્રાવકો જ આવે છે. આ રીતે વારંવાર કાળા એકઠા કરવાથી કેટલાક લોકો તો વ્યાખ્યાનમાં આવવાથી પણ ડરશે. એ લોકો વિચારશે કે વ્યાખ્યાન દરમ્યાન ક્યાંકફાળાની વાત આવશે, તો શરમના માર્યાપાર કંઈક તો લખાવવું જ પડશે! એના કરતાં તો વ્યાખ્યાનમાં ન જવું બહેતર છે પૂજ્ય ગુરુદેવનાના ગરીબ તથા મધ્યમ વર્ગના શ્રાવકોનો હંમેશાં વિચાર કરતા હતા. એમની આર્થિક ઉન્નતિ થાય એવા એમના પ્રયાસ રહેતા હતા. ફંડફાળાની પ્રવૃત્તિથી આવા લોકો - ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy