SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) શ્રીજૈન શાસનમાં દ્રવ્યાનુગ વિગેરેના વિષે તત્વજ્ઞાનને લઈ અતિગહન છે અને તેનું યથાર્થ જ્ઞાન ગુરૂ સમક્ષ અધ્યયન કરવાથી જ થાય છે, તેથી "કથાનુયોગના ચરિત્ર ગ્રંથ ઉપર પ્રીતિ રાખનારાં ઘણાં મનુષ્ય જોવામાં આવે છે, તેપણ ખુશી થવા જેવું છે, કારણ કે, પ્રાચીન મહાત્માઓના ચરિત્ર વાચકોનાં હૃદય ઉપર અસર કરે છે અને તેથી જ તે બીજાને ધાર્મિક કે સટ્ટણી થવાને સાધન ભૂત ગણાય એટલું જ નહીં પણ જે ગ્રંથમાં એક માહાત્માનું ચરિત્ર વર્ણન કર્યું હોય છે, તે બીજાને અનેક પ્રકારે કલ્યાણકારી થઈ પડે છે. કાવ્ય એ શબ્દનો અર્થ તે માત્ર કવિનું કર્મ ( જ સાધ્ય ) એ થાય છે. સાહિત્ય ગ્રંથમાં જુદા જુદા ભેદ આપેલા છે. કાવ્યને વિષયભૂત વ્યાપાર એકજ આશય અથવા ઉદ્દેશ વાલે હોવો જોઈએ, તેમજ મહાનૂ અને અદ્ભુત હે જોઈએ, તેપણ સંભવિત અને યોગ્ય લંબાણવાલે હૈ જોઈએ. આ કાવ્યમાં આ સઘલા ગુણ છે, તેથી તે કાવ્ય તે છે પણ તેમાં વળી મહાકાવ્ય છે. આ મહાકાવ્યમાં વ્યાકરણપક્ષ અને ચરિત્રપક્ષ બંને મિશ્રિત હોવાથી તે “સુવૃત્તિ ધ્યાશાપટ્ટાથ” પણ કહેવાય છે. એકંદર તેના અઢાર સર્ગો છે. દરેક સર્ગમાં સંસ્કૃત વ્યાકરણનાં જુદાં જુદાં પ્રકરણનાં રૂપ દશવી મગધ દેશના પ્રખ્યાત શ્રેણિક રાજાનું ચરિત્ર વર્ણવેલું છે. આ મહાકાવ્યને પ્રથમ ભાગ સાત સર્ગ સુધી આપે છે. પ્રથમ સર્ગમાં મગધ દેશ, તેની રાજધાની અને કાવ્યના નાયક શ્રેણિક રાજાનું વર્ણન આપેલું છે, તેમાં સંસ્કૃત વ્યાકરણને સંધિપાત્ર આપી પંચ સંધિનાં જુદા જુદા રૂપ દર્શાવ્યાં છે. બીજા સર્ગમાં શ્રેણિક રાજાની પટરાણી દેવી તથા કુમારના વર્ણન સાથે સંસ્કૃત વ્યાકરણ ઢિાપાર આપી નામનાં જુદાં જુદાં સિદ્ધ રૂપ આપેલાં છે. ત્રીજા સર્ગમાં વનપાલે આપેલી શ્રી વીર પ્રભુની વધામણુનું વર્ણન કરવા સાથે સુમરાપિર ના રૂપ દર્શાવ્યાં છે. ચોથા સર્ગમાં પ્રભુના સમવસરણનું અને રાજા શ્રેણિકના પ્રયાણનું રસિક વર્ણન આપેલું છે, તેમાં સંસ્કૃત વ્યાકરણને રજા આપી કારક વિભક્તિનાં જુદાં જુદાં ઉદાહરણે દર્શાવ્યાં છે. પાંચમાં સમાં તીર્થંકરના તીર્થની સ્તુતિનું વર્ણન કરી સંકૃત તદ્ધિત પ્રકરણના સિદ્ધ રૂપ દર્શાવ્યાં છે. છઠા સર્ગમાં પ્રભુની દેશનાનું વર્ણન આપી ગાથા (ધાતુ) પ્રક્રિયાનાં પ્રથમ પદનાં રૂપ દર્શાવ્યા છે. અને સાતમા સમાં દર્દક દેવનું દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy