________________
બધામૃત પટકીને દર્શનમોહ તેને સંસારમાં લઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વમેહનીય, મિશ્રમોહનીય, સમ્યફ ત્વમેહનીય એ પ્રકૃતિએ જીવને મૂંઝવે છે. કોષ આવે ત્યારે જીવને એમ થાય કે ભલે નરકે જઉં તે પણ કોધ તે કરું જ. માન આવે, માયા આવે, લેભ આવે ત્યારે એવું વિચારે કે આ તો મારો ધર્મ છે. પહેલે ગુણસ્થાનથી જીવ ચેાથે જાય છે અને ત્યાંથી પડે તો બીજે આવે કે પહેલે આવે. ગ્રંથિભેદ વિના સમ્યક્ત્વ થાય નહીં. ચોથે ગુણસ્થાનકે ક્ષાપશમ, ઉપશમ કે ક્ષાયિક સમકિત હોય છે.
જીવે પુણ્ય બાંધ્યું તેને ભેગે આ મનુષ્યભવ પામે છે, પુરુષને વેગ પામે છે, પણ જ્યારે પ્રકૃતિએ જીતવાની આવે ત્યારે જીવ ઢીલું પડી જાય છે.
પ્રશ્ન-કર્મ તે જડ વસ્તુ છે તે આત્માને કેમ ઢીલો પાડે?
ઉત્તર–નાથ હોય છે તે જડ વસ્તુ હોય છે, પણ બળદને વશ કરે છે ને? બળદને તે એક નાથ છે અને આ જીવને તે ૧૫૮ નાથ છે. આ એક પ્રકૃતિ તેડી નથી. ખાતું ચાલ્યું આવે છે. જે મિથ્યાત્વ સત્તામાં પડવું છે તે સમ્યક્ત્વમોહનરૂપે બહાર નીકળી જાય પછી એને ક્ષાયિક સમતિ થાય.
- જ્ઞાનીની આજ્ઞા આરાધવી. તેથી મુંઝવણ ન થાય. જે પ્રકૃતિ હોય તેને વિચાર કરો કે મને કોય બહુ નડે છે, માયા નડે છે, લાભ નડે છે, પછી કાઢે. એમ કરતાં કરતાં સમ્યક્ત્વ થાય. “હે શુદ્ધ સમકિત , જેમાં ભેદ ન પક્ષ.” સમકિત આવે તે પછી અંતરની શુદ્ધિ કરવા માંડે. સમ્યગ્દર્શન એમનું એમ આવતું નથી. સાત પ્રકૃતિને જય કરે ત્યારે સમ્યગ્દશન આવે છે.
શ્રેણિક રાજાએ, અનાથી મુનિએ જે વાત કરી તે માન્ય કરી કે હું રાજા છું છતાં અનાથ છું અને આપ સનાથ છે. એમ ચાટી ગયું. આત્મા જ નરકે લઈ જનાર છે, આત્મા જ મોક્ષે લઈ જનાર છે. એમ આત્મપ્રકાશક બોધ મુનિએ આપ્યો, તે તેને ચેટી છે અને બોધિને પામે. ભગવાન મહાવીર મળ્યા ત્યારે ક્ષાયિક સમકિત થયું અને તીર્થકર ગોત્ર બાંધ્યું. અંતર ફરવું જોઈએ. એ ફર્યું તે વાર ન લાગે.
કૃપાળુદેવે કહ્યું છે કે એક બેલ કહેતાં મોક્ષ થાય, તેવા બેલ અનેક વાર કહ્યા છતાં જાગતા નથી. જીવનું પિતાનું કશું નથી. મનવચનકાયા પણ એના નથી, તે પછી બહારનું જે બધું દેખાય છે તે એનું શાથી થાય? જ્ઞાની આગ્રહ છોડવાનું કહે છે. ભવ્ય જીવ હેાય તે સાંભળીને આગ્રહ મૂકે છે. પ્રભુશ્રીજી કહેતા કે “લોક મૂકે પોક, તારું કર.” પણ એ તે લોકોને સારું દેખાડવા કરે છે, તે વૈરાગ્ય ક્યાંથી થાય?
મેહનીયકર્મ મેહનું છે. મહ મંદ પડે ત્યારે સમ્યક્ત્વ થાય છે. કોઈ તિર્યંચને પણ સમ્યક્ત્વ થાય છે. પણ તેને ખબર ન પડે કે આને શાસ્ત્રમાં સમ્યક્ત્વ કહ્યું છે. એટલું સમજે કે દેહને થાય તે મને નહીં. દેહાધ્યાસ છૂટે છે. જીવને કર્મ નડે છે, છતાં મારો વાંક છે” એવું એને સમજાતું નથી. આ તો એને વાંક છે એમ માને છે. સમતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org