SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ હ૭૮ બધામૃત ખપી થવું. સાચની ભાવના રાખવી. એક અગ્નિને સાચે તણખો હોય તે બધું બાળી નાખે, પણ કાગળમાં “અગ્નિ” શબ્દ લખી રૂના ઢગલામાં નાખે તેથી કંઈ થાય? બીજાને અભાવ થાય એવું ન કહેવું. વ્રતાદિ લેવાં સહેલાં, પણ પાળવા મુશ્કેલ. જે વ્રતાદિ લીધાં છે, તે જિંદગી સુધી દેઢ રીતે પાળવાં. ત્યાગરાગ્યની વાતો વિચારવી, વંચવી. એમાં વૃત્તિ રાખવી. નહીં તે વ્રતાદિ ભંગ પણ થાય. એવા ખોટા સંગ ન રાખવા. એમાં જીવ ઢળી જાય છે. વ્રતમાં છૂટ રાખી હોય તે પણ બને ત્યાં સુધી છૂટ લેવી નહીં. ખાવાની ઈચ્છાએ ખાવું નહીં. સતસંગનું ફળ થવું જોઈએ. દોષેિ સત્સંગને નિષ્ફળ કરનારા છે. વ્રતનિયમ આદિની બહુ સાવચેતી રાખી મુમુક્ષુએ વર્તવું. દેજે કરે તે પિતાને નુકસાન થાય અને શાસન પણ નિંદાય. પુરુષ નિંદાય. તમારા ગુરુ આવું જ જૂઠું બોલવાનું બતાવતા હશે, એમ લેકો કહે. સત્સંગ થયો પણ આચરણ ન કર્યું તે લાભ શે ? “આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ” (મે. ૨૪). એ રંગ ન ચઢે તે લોકમાં સત્સંગની નિંદા થાય. કંઈક રંગ લાગ જોઈએ. પિતાના કલ્યાણને અર્થે બધું વર્તન કરવાનું છે. કેને દેખાડવા ન કરવું. આપણે સદાચારને દેખીને બીજાને પણ એમ થાય કે એને કોઈ પુરુષ મળ્યા છે, તે સાચા છે. એથી લોકોમાં વધારે અસર થાય છે. બીજાને પણ એમ થાય કે આપણે સત્સંગ કરવો. જેને ક્રોધ માન માયા લેભ કાઢવા હેય તેણે સત્સંગ કરે. બોધ કરતાં સહુરૂષના સહવાસમાં રહેવાથી ઘણે લાભ થાય છે. બેધ છે તે આહાર જે છે. પચે નહીં ને ખા ખા કરે તે ગુણ ન કરે. થોડે બોધ મળ્યો હોય તેને વિચાર કરી આચરણમાં મૂકીએ તે વિશેષ લાભ થાય. જ્ઞાની બેલે ન બોલે તેય લાભકારી છે. બોધની મૂર્તિ જ છે. [ઉપદેશછાયા ચાલુ) - શ્રી રા. આ. અગાસ, જેઠ વદ ૩, ૨૦૦૮ તજવાની ઘણું વસ્તુ છે, પણ ભજવાની એક છે. ભક્તિમાર્ગ અપૂર્વ છે. એમાં જ્ઞાન ધ્યાન બધું આવી જાય, પણ ભગવાનમાં લીનતા થાય એવી ભક્તિ હોય તે. ભક્તિથી થોડા કાળમાં બધા દે જાય. ભક્તિમાં સ્વચ્છેદ ટળે. અહંભાવ હોય ત્યાં ભક્તિ નથી. ભાવ ફેરવવાના છે. પિતાની આંખમાં આંસું આવે એવા ભાવ કરવાના છે. આત્મા અનુભવની વસ્તુ છે, પણ જ્ઞાનીનાં વચને એવાં છે કે અરૂપી આત્માની પણ શ્રદ્ધા થાય છે. “ કષાયની ઉપશાંતતા, માત્ર એક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણદયા, ત્યાં આત્માર્થ-નિવાસ.” આવે જ્યાં એવી દશા, સસ બધ સુકાય; " તે બેધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય.” એવી દશા પામી સદ્ગુરુને બેધ પામે. પછી સુવિચારણા જાગે. એ ખરી ક્રિયા છે. દેહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy