________________
વચનામૃત-વિવેચન
૩૭૧ અને તેને વેગ થયો હોય તે નિષ્ફળ થાય. માટે પાંચ ઇન્દ્રિયના વિષયમાં વિરાગ્ય એ પહેલું કરવાનું છે. એ વિષયે અનાદિના શત્રુઓ છે, ભુલાવનારા છે. એમાં ને એમાં રહે તે કલ્યાણ ન થાય. એ વિષયને લઈને વિષમભાવ થાય છે. આખા જૈન ધર્મને આધાર પરિણામ ઉપર છે. પંચવિષયમાં રાગ દ્વેષ ન થાય એ ગ્યતા જેને નથી તેને યોગ મળે છે તે પણ અગ છે. માટે પાંચ ઈન્દ્રિયના વિષયે શત્રુ છે, તેને જીતી લેવાના છે.
મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર
કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ જેણે પાંચ ઈન્દ્રિયના વિષયે મંદ કર્યા હોય, ઉપરથી ડેળ દંભ કરવાની ઈચ્છા ન કરતે હોય, જેવું હોય તેવું પ્રગટ કરતો હોય, બગલાની જેમ દેખાવ ન કરતે હોય એવા સરલ જીવને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હોય છે. જેને ગુણ દેખાડવાની ઈચ્છા હોય છે તેને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હતી નથી. જે ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે, સરળતા જે રાખે છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે વતે છે, જે આત્મવિચાર કરે છે, જેના હૃદયમાં દયા કરુણ ભાવ હોય તેને પિતાના આત્માની દયા આવે કે અનાદિકાળથી રખડે છે, હવે એને મેક્ષે લઈ જઉં, આત્માનું કામ બીજું કંઈ કરી આપે નહીં. કમળતા એટલે માનને અભાવ. હું મેટે છું એમ, માન ન હોય, જ્ઞાની કહે તે એના હૃદયમાં ચોટી જાય. “વા વળે જેમ હેમ.” તેને જ્ઞાનીનાં વચને હૃદયમાં ઠરે છે. માન હોય તેને કંઈ ન થાય. એ ગની પ્રથમ ભૂમિકા છે. એથી આગળ વધે ત્યારે મધ્ય પાત્ર થાય. તે હવે કહે છે–
કથા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ;
જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય. ૧૦ પાંચ ઇન્દ્રિયના વિષયોને જીતે તે જિતેન્દ્રિય થાય. ઇન્દ્રિયાગ ટળે ત્યારે સંયમમાં રાગ થાય. “સવ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” (૮૬૬) બધાથી વિરામ પામી એની વૃત્તિ આત્મામાં વળે. જગતમાંથી એને કશું જોઈતું નથી. “સકલ જગત તે એંઠવત્ ” એંઠવાડા જેવું લાગે, “આત્માથી સૌ હીન ” લાગે. એટલા સુધી આવે ત્યારે મધ્યમ પાત્ર, મહાભાગ્ય કહેવાય છે. હવે ઉત્તમ પાત્ર કહે છે –
નહિ તૃષ્ણ જીવ્યા તણી, મરણ યોગ નહીં ભ;
મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતભ. ૧૧ જીવવાની તૃષ્ણ જેને રહી નથી. મરણ આવવાનું હોય તે મનમાં ડર ન થાય કે મારે મરવું પડશે. ક્ષેમ ન થાય. આત્મા મરતા જ નથી એમ જેને દઢ થઈ જાય તે આત્મામાં જ રહે છે. મેક્ષના ઉપાયમાં જ પ્રવર્તે છે. જ્ઞાન દર્શન સમાધિ એ જેના હૃદયમાં રહે છે, એટલું થાય તે તે મહાપાત્ર છે. સમભાવ આવે તે એ થાય—
આ બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન વરૂપ પણ જાઈ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org