SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિફ ગાંધેલ છે અને બીજા ભાગમાં માત્ર શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપરનું વિવેચન કમાનુસાર ગોઠવી “વચનામૃત-વિવેચનની સંકલન કરી છે. ઓધામૃત'ના આ પ્રથમ વિભાગમાં છ રાંગ્રહ છે. પ્રથમ સંગ્રહમાં શ્રી અંબાલાલ, શ્રી મનહરલાલ, શ્રી શાંતિલાલ, શ્રીમતી વહાલીબેન વગેરેની અંગત નોંધપોથીમાંથી પસંદગી કરી છૂટક બોધ મૂકેલ છે. બીજા સંગ્રહમાં ૧ થી ૧૦ આંક શ્રી પુખરાજે બેધની યથામૃતિ કરેલ નોંધમાંથી પસંદગી પામ્યા છે; અને બાકીના શ્રી ૩૪કારની યથાસ્મૃતિ નોંધમાંથી. ત્રીજા સંગ્રહમાં યાત્રામાં થયેલ બોધ, ચાથામાં આશ્રમમાં થયેલ બેધ અને પાંચમામાં નાસિકથી પધાર્યા બાદ થયેલ બોધ, જે સઘળે (ત્રીજા, ચોથા, પાંચમા સંગ્રહનો) શ્રી કારે ચાલુ સભામાં યથાશક્તિ ઉતારેલ તેમાંથી પસંદ કરી મૂકેલ છે. સંગ્રહ છમાં, ચૂંટણી કરતાં રહી ગયેલ, સંદર્ભ વિનાનાં છતાં અગત્યનાં બેધવચને છૂટક વચનરૂપે મુકેલ છે. કૌસમાં આંક મુકેલા છે તે વચનામૃતની છેલી આવૃત્તિના છે. શ્રી કારની આ ભગીરથ બેધલગની વિના તે આપણે આ બધામૃતથી સદાય વંચિત જ રહેત ! આ સઘળા બોધ-વિવેચનની પસંદગી, તારવણ અને ગોઠવણ કરી અંતિમ પ્રેસકોપી કરવાનું વિકટ અને સૂઝનું કામ પૂ. સાકરબેને, જેમને પ. પૂ. પ્રભુશ્રીએ સમકિત થશે તેવા આશીર્વાદ આપેલા છે અને જેમને પૂ. શ્રી બ્રહ્મચારીજીએ માર્ગ પામેલ બેન ગણેલાં છે તેમણે, પાતે જાતે જ અસ્વસ્થ તબિયત છતાં આયુષ્યના વનને તપાવન બનાવી અત્યુત્સાહથી પાર પાડ્યું તે મુમુદાજને માટે આશીર્વાદરૂપ છે. ભાઈ શાંતિલાલે મળ નાં સાથે બધું મેળવી તપાસીને સંપાદનની પવિત્ર જવાબદારી અદા કરી છે. આ પુસ્તકમાં જે ક્ષતિઓ થઈ હોય તે સુજ્ઞ વાચકવર્ગ ક્ષમ્ય ગણશે. આ બેઘના પ્રકાશન-કાર્યમાં આશ્રમનિવાસી શ્રી મણિભાઈ ગોવિંદભાઈ પટેલે ખૂબ રસ લઈ જેમ બને તેમ ત્વરાથી આ ગ્રંથ આપણને સુલભ કરી આપે છે તે માટે તેમને તથા સંગ્રહકર્તાઓને મુમુશુમંડળવતી હું હાર્દિક આભાર માનું છું. આ ગ્રંથ પૂ. શ્રી બ્રહ્મચારીજીના જન્મદિને--જન્માષ્ટમી-પ્રગટ થાય છે તે સૌ સજિજ્ઞાસુઓને મંગલકારી નીવડા ! વપર-ઉપકારક જ્ઞાનદાન માટે આ બધપ્રકાશનમાં દાતાઓએ ઉલાર અને ઉદારતાથી ભેટ આપેલ છે તેથી મુમુશુમંડળ ઉપકૃત થયેલ છે. તેઓની યાદી બીજ વિભાગમાં સાદર મુકાશે. પુસ્તકછપાઈમાં શ્રી જયંતિ દલાલે જે ચીવટ અને ઉર્ડ બનાવ્યાં છે તે પ્રશંસનીય છે. બધામૃતને દ્વિતીય વિભાગ “વચનામૃત-વિવેચન થોડા જ સમયમાં પ્રગટ કરવાની આશાસહ વિરમું છું. લી. સંતચરણસેવક, ગુણિ મા, રા, ૨૦૧૬ | મનહરલાલ ગોવનદાસ કડીવાલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy