________________
૩૪૪
બોધામૃત
પુણ્ય પાપ બન્નેની હોળી કરી મેક્ષે જવાનું છે. કંઈ રાખવું નથી.
જે જીવ દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતનું સ્વરૂપ જાણે છે, તે જીવ પિતાના આત્માને જાણે છે.
જે જિન દેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ;
વર્ણન સમજે જિનનું, રેકી રહે નિજ બુદ્ધિ.” બહારની વસ્તુઓ જોઈને આશ્ચર્ય થાય છે તેથી અરિહંત કે સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે નહીં. એ બધા ભુલાવા છે. રાગદ્વેષ મહ દેખાય છે તે મારું સ્વરૂપ નથી. વીતરાગ ભગવાનનું સ્વરૂપ છે તેવું મારું મૂળ સ્વરૂપ છે. જેવા વીતરાગ સુખી છે તે જ હું સુખી છું, એમ અભેદ થઈ જાય. અરિહંતનું જેવું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે, ભેદ નથી. એ સમક્તિ છે. અરિહંતના શુદ્ધવરૂપમાં મેહ નથી. શુદ્ધસ્વરૂપમાં અભેદભાવ કરે એ મેહ ક્ષય થવાને ઉપાય છે.
૨૩ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૩, ૨૦૦૮ “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.” જેટલી જીવની બ્રહ્મચર્ય ભણું દષ્ટિ હશે તેટલું કલ્યાણ થશે. આત્માની કાળજી હશે તે આત્મા (શુદ્ધ) થશે અને સંસારની કાળજી હશે તે સંસાર થશે.
૨૪ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૧, ૨૦૦૮ મેક્ષમાળામાંથી વાંચવું. મેક્ષમાળા છે તે મોક્ષનું બીજ છે. માટે આપણને એ બહુ કામની છે. કૃપાળુદેવને જે જે કહેવું હતું તે બધું મેક્ષમાળામાં કહી દીધું છે. પછી પત્રોમાં કહ્યું છે.
ર૫ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૬, ૨૦૦૮ જે વસ્તુ જાણે છે તે આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયવાળે છે. તેમ બીજી વરતુઓ પણ દ્રવ્ય-ગુણ-પર્યાયવાળી છે. પરના દ્રવ્ય–ગુણ–પર્યાયને પિતાના માને તે મિથ્યાદષ્ટિ છે.
એક દ્રવ્ય બીજામાંથી ઉત્પન્ન થતું નથી અને નાશ પણ પામતું નથી. ઉત્પાદ-વ્યયધ્રુવ જેમાં છે તે દ્રવ્ય છે. ગુણપર્યાય જેમાં હોય તે દ્રવ્ય છે. સંસારનાં સુખ તે સુખ નહીં પણ દુઃખ જ છે. પાછળ દુઃખ આવે તે સુખ નથી. જ્ઞાનીઓ સંસારનાં સુખને દુઃખ માને છે. જે જ્ઞાનવિચારે કરી ભાવ ગાળ્યા નથી. ક્ષાયક ન થાય ત્યાં સુધી ગમે ત્યાં ગબડી પડે. માટે મેહ છે થાય તેવું કરવાનું છે. જરૂર એની છે. સંસારમાં દુઃખ છે એમ એને સમજાતું નથી. સંસારના ભાવે ભૂલવા મુશ્કેલ છે. આ જચત અસાર છે એ માટે બાર ભાવના ભાવવાનું કહ્યું છે. વારંવાર જ્ઞાનીનાં વચને સાંભળવાં, વિચારવાં. બધું મારે મેહ નાશ કરવા માટે કરવું છે, એ લક્ષ રાખવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org