SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ બધામૃત દાહ એ કલેશ છે. તેનું ભાન નથી તેથી હું સુખી છું એમ માને છે. રાગ દ્વેષ અને મિથ્યાત્વ એ બધાં કલેશનાં કારણ છે. એથી જીવ દુઃખી થાય છે. સમ્યગ્દષ્ટિ સાચાને સાચું જાણે છે. અજ્ઞાનદશામાં જે કર્મ બાંધ્યાં છે, તે પૂરાં થયા વિના મોક્ષ થવાને નથી. સમ્યક્ત્વ થાય ત્યારે પાંચે ય શરીરથી આત્મા ભિન્ન છે એમ લાગે છે. મુમુક્ષુ-“આ બંધાયેલા પામે છે મિક્ષ એમ કાં ન કહી દેવું?” (૧૫૭-૧૮) એટલે શું? - પૂજ્યશ્રી–કર્મ બંધાયેલાં છે. તે સમયે સમયે જાય છે તેથી જીવ મોક્ષ જ પામે છે, પણ પાછાં નવાં બાંધી લે છે, તેથી મેક્ષ થતો નથી. કૃપાળુદેવે બહુ વિચારણા કરી છે. વાંચવું એવું કે બીજાને કહેવું હોય તે કહી શકાય. જીવ કંઈક ઊંડો ઊતરે તે લાગે કે આત્મા છે. તે સિવાય બીજો કોઈ જાણે નહીં. એ જેને જાણે તેની સાથે લેવાદેવા નથી. માત્ર અજ્ઞાનને લઈને આ કાળું, આ છે, આ સારું આ ખરાબ એમ રાગદ્વેષ કરે છે. અરીસામાં જે વસ્તુઓ દેખાય છે, તેનું કારણ એમાં એવું દેખાવાનો ગુણ છે. એવો આ આત્મા જ્ઞાનગુણવાળે છે તેમાં પદાર્થ જણાય છે. આત્માને આત્માનું ભાન થાય તે માટે બધાં શાસ્ત્રોનું વર્ણન કર્યું છે. દેડ જડ છે. પણ એને જાડે પાતળે માની સુખ માને તેથી કંઈ આત્માને સુખ થાય નહીં. માત્ર માન્યતાની ભૂલ છે તે ફેરવવા જ્ઞાની કહે છે કે તારામાં રહે. પારકી પંચાત મૂકી પિતે પિતામાં રહે તે સદા સુખી છે. જાણે તેથી બંધન નથી પણ રાગદ્વેષથી બંધ છે. કેવળી ત્રણ લેકના પદાર્થ જાણે છે, તેય બંધાતા નથી; અને આ જીવ ડું જાણે તેય રાગદ્વેષ કરી કર્મ બાંધે છે. વિભાવને છેડી સ્વભાવમાં રહેવા માટે બધાં શાસ્ત્રો ઉપદેશ્યાં છે. અરીસા જે આત્મા છે. આત્મા જે આત્મતૃપ્ત રહે તે દુઃખ ન થાય. આત્મામાં સુખ છે તેની ખબર નથી. તેથી બીજામાં સુખ લેવા જાય છે. જાણવું, દેખવું અને સ્થિર થવું એ આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવને ભૂલી પરરમણતામાં ગોથાં ખાય છે. પરની રમણતા ઘટે તે સુખ થાય. “શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી ?” (૧૦૭) એને વિચાર કરી દુઃખનાં કારણે ટાળે તો સુખ બહાર લેવા જવું ન પડે. જ્ઞાની કહે તે માન્ય થાય તે અજ્ઞાનદશા પલટાય. એ લક્ષ નથી રહેતા તેનું કારણ ઓળખાણ નથી. જેટલે ઈન્દ્રિ ઉપર વિશ્વાસ છે એટલે જ્ઞાની પ્રત્યે નથી. હું જાણું છું તે જ ખરું એમ જીવ માને છે. પિતાને આગ્રહ છૂટતું નથી. મત દર્શન આગ્રડ તજી, વર્તે સગુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” પિતાને આગ્રહ છોડવા માટે સદ્ગુરુ પ્રત્યે પ્રેમ કરવાનું છે. “પ્રીતિ અનંતી પર થકી, જે તેડે છે તે જોડે એહ.” બીજેથી પ્રીતિ ઊઠે તે પુરુષ પ્રત્યે પ્રીતિ થાય. બધેથી પ્રેમ ઉઠાડી ત્યાં મૂકે તે એ પ્રેમ કામ કરે. પ્રભુમાં પરમ પ્રેમ થાય છે તે કેવળજ્ઞાનનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy