________________
૩૨૪
બોધામૃત એને રણકારે રહ્યા કરે એવું કરવાનું છે. આપણા માટે દયા લાવી જ્ઞાની કહે તે ગ્રહણ કરે તે કામ થાય. નહીં તે “કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” જ્ઞાનીને જે કહેવું છે તે બધું એકઠું કરીને આ કહ્યું કે દેહ તે આત્મા નથી. બધાં શાસ્ત્રોનું એ જ રહસ્ય છે. વાત કરવાની નથી, પણ હૃદયથી એવું કરી નાખવું.
૭૩ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૮, ૨૦૦૯ પૂજ્યશ્રી—(મુમુક્ષુને) કાલે સભામાં ૪૨૫ મે પત્ર વંચાયું હતું તેમાંથી કશું યાદ રહ્યું ત્યાં તું લખે છે તે પાછું ઘેર આવી વાંચે છે? શું આવ્યું હતું?
મુમુક્ષુ–કોઈ પણ કારણે આ દેહ મૂર્છાપાત્ર નથી. દેહથી આત્મા જુદે છે. આત્મા દેહ નથી અને દેડ આત્મા નથી, એટલું દઢ કરવાનું છે. ઘડાને જેનાર જેમ ઘડાથી જુદો છે તેમ શરીરને જેનાર આત્મા શરીરથી જુદો છે,
પૂજ્યશ્રી—આટલું જ પાકું કરવાનું છે. દેડમાં વૃત્તિ રાખવી નથી. દેહ તે બધા ઘડા છે, ને ઠીકરાં થઈ જવાનાં છે. ખાવાપીવામાં, પહેરવામાં વૃત્તિ રાખવી નથી. સાંભળીને વિચાર કરે. રૂપ, રસ, ગંધ આદિમાં વૃત્તિ રાખવી નથી. બળે આ દેડ. ભક્તિ કરીએ ત્યારે બોલતાં બોલતાં વિચાર કરીએ. હે પ્રભુ” એમ બોલ્યા કે તરત વિચાર આવે કે પ્રભુ આનંદસ્વરૂપ છે, જ્ઞાનદર્શન સ્વરૂપ છે, અનંત સુખના ધામ છે. “કાળ દેષ કળિથી થયે” એટલું બોલ્યા કે વિચાર આવે કે કૃપાળુદેવે કળિકાળનું સ્વરૂપ કેવું કહ્યું છે ! સદ્ગુરુને યોગ મળે નહીં, સત્સંગ મળે નહીં એ આ કળિકાળ છે. “નહીં મર્યાદા ધર્મ ધર્મ મર્યાદા, વૃદ્ધ મર્યાદા એ બધી મર્યાદા રહી નથી. આત્માને માટે વ્યાકુળતા થતી નથી. હે ભગવાન! જુઓ મારા કેવા કર્મ છે! એમ દરેક પદ કે મંત્ર ગમે તે બેલતાં વિચાર કરવો તે મન બીજે ન જાય. વિચારે નહીં ને એકલે રાગમાં તણાઈ જાય તે મન બીજે ભટકે. દિવસમાં અમુક વખત એકાંતમાં જઈ સ્થિર બેસવું. તે વખતે મનમાં કશું લાવવું નહીં. આત્માને સ્થિર કરે. બીજા વિચાર ન કરવા. આત્માને નિરાંત આપવી. બીજું કંઈ મનમાં આવે તે “સહજાન્મસ્વરૂપ એટલું કરવું. રુચિ જાગી હોય, ગરજ હોય, તો એવું થાય. નહીં તે ક્યાંથી થાય?
૭૪ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૯, ૨૦૦૯ જીવને કલ્યાણ કરવું હોય તે બધા કરતાં ઉત્તમ સાધન સત્સંગ છે. થડા કાળમાં ઘણું કામ થઈ જાય. પ્રભુશ્રીજી કહેતા કે તમારા કટિ કમ ખપે છે. સત્સંગમાં જગત ભૂલી જવાય છે. એમાં એકાગ્રતા થવાથી ઘણું કર્મો નિજરે છે. અત્યારે આઠેય કર્મને ઉદય છે, પણ જ્ઞાનીનાં વચનોમાં ઉપયોગ છે, તેથી કર્મ આવી ચાલ્યાં જાય છે.
ચોથા કાળમાં પણ સત્સંગ દુર્લભ હવે તે આ કાળમાં દુર્લભ હોય એમાં નવાઈ નથી. પુરુષના ચરણસમીપને નિવાસ દુર્લભ છે. પુરુષ એટલે જેણે આત્મા જાણે છે એવા જ્ઞાનીને પ્રવૃત્તિ હોય તે તે પ્રવૃત્તિ નથી. જ્ઞાનીની જે પ્રવૃત્તિ છે તે ગરમ પાણીની પેઠે છે. પણ સ્વભાવ તે શીતળ જ છે. પ્રવૃત્તિ કરવા છતાં એમને કર્મોની નિવૃત્તિ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org