SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ એધામૃત એવું મુમુક્ષુએ કરવું. ભરતે વિચાર કર્યો કે હું દેહ નથી, દેહ મારો નથી, હું દેહને નથી. જીવને આ મારે કામનું છે, કતવ્યરૂપ છે, એમ યાદ જ રહેતુ' નથી. દેહમાં મમતા કરવા જેવું શું છે ? દેહમાં મમતા કરવી તે હાડકાં, માંસ, ચામડી અને વાળમાં મેહ કરવા જેવું છે. દેહ મારો છે એવા ભાવ થઈ ગયા છે. માટીના પૂતળા જેવા આ દૈહ છે. માટી તા પવિત્ર છે; પણ દેતુ તેા અપવિત્ર છે. તેને પવિત્ર મનાવનાર અવિદ્યા-મિથ્યાત્વ છે. તેને વિચારીને ટાળવાની છે. નહીં તેા એથી ફ્રી દેહ ધારણ કરવા પડે. આ આત્મા છે તે દેહને માટે શોચવાયેગ્ય નથી. દેહને માટે આ ધ્યાન કરી આત્માને દુ:ખી કરવા જેવું નથી. “કોઈપણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ચેાગ્ય નથી.” (૪૬૦). સમભાવ કેળવવાના છે. એને માટે પુરુષા કરવા. એ જ મારે કરવું છે એવે જીવને નિશ્ચય નથી. આ કર્યાં વિના મારા છૂટકા નથી, એ વગર મને સમાધિ થાય એવું નથી, એમ જીવને થતું નથી. એય પદાર્થ જુદા છે, તદ્ન જુદા છે. એકતા જાણે અને એક ન જાણે, એમ તદ્દન જુદા છે. તેમાંથી ન જાણે તેને પેાતાનુ માની દુ:ખી થાય છે, કલ્પનાથી દુ:ખી થાય છે. આત્માને અજ્ઞાનદશા છે તે જ ભૂંડી છે. એ અજ્ઞાનદશામાં રહ્યું કેમ જાય ? પરમાર્થ સંબંધી જે દુઃખ છે તે જીવને લાગતું નથી. બહારનાં દુઃખ લાગે છે. જે થવાનુ છે, ખાધેલુ છે તેમાં ખાટી થાય છે. જ્ઞાનીએ જે આજ્ઞા કરી હેાય તેમાં ચિત્ત રાખે તેા છુટાય. એને ભૂલી ખીજા વિકલ્પે કરે છે. સવારથી સાંજ સુધી શા વિચારા આવે છે તે વિચારે તેા તેની ખબર પડે. જીવ ખીજામાં તણાઈ જાય છે. જીવને સંસારમાં બળતરા લાગતી નથી. ક અંધાય એવા ભાવ છે ત્યાંથી ખસતા નથી. “સ ક્લેશથી અને સવ દુઃખથી મુક્ત થવાના ઉપાય એક આત્મજ્ઞાન છે.” (૫૬૯). એટલે બધા લાભ છે. માત્ર દૃષ્ટિની ભૂલ છે. હું દેહ નથી, એમ થાય તે નિરાંત થઈ જાય. શુદ્ધભાવ—એમાં ખીજું કશું જ નથી. એ આવ્યા વિના મેાક્ષ ન થાય. સર્વ ભાવ તુજરૂપ' (પરમાત્મારૂપ) થાય તેા શુદ્ધભાવ આવે. દેહ પ્રત્યે મૂર્છા કરવા જેવું નથી. જેણે આ દેહની મૂર્છા છેડી તેને ઉપસ આવે કે ન આવે! મધુ' સરખુ છે. તેને નમસ્કાર છે. જેને આત્મદૃષ્ટિ થઈ હોય તેને પેાતાને ઈંડુ જડ લાગે, ખીજાના દેહ પણ જડ લાગે. સાપ આવે, સિહુ આવે, તે પણ એને આત્મા દેખાય તેથી ભય ન લાગે. ક્રેડ ઉપરથી મેહ છૂટે તે ખસ. જ્યારથી જ્ઞાનીની પ્રતીતિ થઈ ત્યારથી દેહ છૂટી ગયા એમ જાણવું. અન્ને ભિન્ન પદાથ છે તેને સેળભેળ કરી નાખવા નથી. સમજીને શમાવાનું છે. આત્મામાં મારું તારું કશું નથી એ હૃદયમાં કાતરી રાખવાનુ છે. મધાએ એ નિશ્ચય પ્રથમ કરવાયેાગ્ય છે. સાંભળ્યું તે જાણ્યું ન કહેવાય. ‘જાણ્યું તેા તેનું ખરું, જે મેહે નવિ લેપાય, સુખ-દુ:ખ આવ્યે જીવને, હ--શાક નવ થાય.' એવું થાય તે। જાણ્યું કહેવાય. સમ્યક્ત્વ થાય તેને જડ-ચેતન વચ્ચે વજ્રની ભીંત પડે. એટલુ' થાય તે સમજવુ` કે મીએ ભવ (દ્વિજ) થયે. આત્મા દેહ નથી, દેહ આત્મા નથી, એ ચિંતવી રાખવાનુ છે, મૂળ વસ્તુ ખરેખર સમજવાની છે તે આ જ્ઞાની કહે છે, એ સિદ્ધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy