SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન દશામાં પણ તેમણે મહારાજા ભાવસિંહજીના અન્યાયી પગલા સામે મકકમ પગલું ભર્યું. જે કાળે રાજાઓ આપખુદ તે કાળે તેવા જ એક રાજવીના રાજ્યમાં વસનાર સાધારણ દરજજાના મહેતાજી રાજ્યના શિરછત્ર જેવા રાજાને ચેખેચેમ્બુ એમ સંભળાવે કે તમે જે રીતે મારી પાળેલી ત્રણ પગી કૂતરી મેળવવા જોહુકમી કરે છે તેને હું વશ થનાર નથી, ત્યારે સમજાય છે કે ખરું બ્રહ્માણતેજ એ શું. છેવટે શાણુ મહારાજાને પિતાની ભૂલ સમજાઈ અને એ નાનકડા મહેતાજી પ્રત્યે તેઓ આમન્યાથી વર્યા. ધર્મ અને ન્યાયના પક્ષપાતની મક્કમતા એ જ જીવનમાં અનેકમુખી તેજકિરણે પ્રકટાવે છે. એકાદ વધારે રોમાંચક દાખલો વાંચનારને પ્રેરણા આપે તેવો હેઈ ટાંકું છું. કાઠિયાવાડમાં ધાડપાડુ ખૂની ગેમલ હમણાં જ થઈ ગયું. એણે આંબલા ગામના પટેલની તુમાખીની ખબર લેવા આંબલા ગામ ભાંગવાનું નકકી કર્યું. લેકને જાણ થઈ, સમી સાંજે પોતાના સાથીઓ સાથે ભરી બંદૂકથી સજ્જ થઈ તે આંબલા ગામ ઉપર ત્રાટકવા નીકળ્યો. જાણ થવાથી નાનાભાઈ તેમના સાથી મૂળશંકર સાથે માત્ર પિોતિયું પહેરી હાથમાં લાકડી લઈ સંસ્થાને દરવાજે ઊભા રહ્યા. પાસે રસ્તા ઉપરથી પસાર થતા પેલા ગેમલાને પડકાર્યો. એણે પણ સામે પડકાર કર્યો, “કોણ?’ જવાબ મળ્યો, “નાનાભાઈ પેલે કહે, “નાનાભાઈ, તમે નાસી જાઓ. તમારી સંસ્થામાં નથી આવતું. હું તે આંબલાના પટેલની શેખી મટાડવા જાઉં છું.' નાનાભાઈએ ઠંડે કલેજે પણ મકકમતાથી કહ્યું કે એ ન બને. પહેલાં તું મને ઠાર કર, પછી જ આગળ વધી શકાશે. છેવટે ગેમલે ગળ્યો. એમને ઘેર તે જ વખતે ગયો. મોડે સુધી બેઠા. અ. સૌ. અજવાળીબેનના હાથે જમે અને છેવટે વચન આપીને ગયો કે આંબલા આદિ ચાર ગામમાં હું કદી ધાડ નહિ પાડું. આ કાંઈ જેવીતેવી સાધના છે ? આવું તે ઘણું ઘણું કહી અને લખી શકાય, પણ મર્યાદા છે. “ઘડતર અને ચણતર”નાં ૧૬૨ પાનાં અત્યારે સામે છે. મારે તેટલા ઉપરથી જ જલદીને કારણે અત્યારે સમાપન કરવું જોઈએ. છેવટે હું એટલું જ કહીશ કે “ઘડતર અને ચણતર”નું પુસ્તક દરેક કક્ષાના અધિકારી વાચકને ભારે પ્રેરણાદાયી બને તેવું છે. જે ધ્યાનથી સમજપૂર્વક વાંચશે એના જીવનમાં સમજણ અને ઉત્સાહની નવી લહેર પ્રયા વિના નહિ રહે. એની ભાષા નાનાભાઈની આગવી છે. એમાં કાઠિયાવાડી, ખાસ કરી ગોહિલવાડી, તળપદી ભાષાનો રણકે છે. લખાણું એવું ધારાબ અને પારદર્શક છે કે વાંચતાવેંત લેખકનું વક્તવ્ય સીધેસીધું સ્પર્શ કરે છે અને ગાંધીજીની આત્મકથા યાદ આપે છે. • * શ્રી. નાનાભાઈ ભટ્ટની આત્મકથા “ઘડતર અને ચણતરનું પ્રવચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy