SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સમુલ્લાસ [ ૮૧૩. ત્મિક શુદ્ધિ હોય ત્યાં લગી મહત્ત્વાકાંક્ષા જુદી અને શુદ્ધિ ઘટતાં કે વિકૃત થતાં મહત્ત્વાકાંક્ષા બદલાઈ રાક્ષસી રૂપ ધારણ કરવાની. સમાજ અને દેશમાં આ બન્ને ક્રિયા દેખાય છે. તેનુ તત્ત્વ લેખકે નિરૂપ્યું છે. અહિંસાની અધૂરી સમજણુવાળા ખીજા લેખમાં અહિંસાનું તાત્ત્વિક સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે. એની ખોટી સમજણુને લીધે એના પ્રત્યે સેવાતી નફરત અને એની અનુપયાગિતાની શંકા એ બન્નેને આ લેખ નિવારે છે. ગાંધીજીના વિચાર અને આચારે જે વસ્તુનુ સ્પષ્ટીકરણ કર્યું છે તે જ અહિંસાના સિદ્ધાન્તનુ આ લેખ સજીવ ભાષ્ય બની રહે છે. લેખક જન્મે સામ્પ્રદાયિક અહિંસાવાદી હાવા છતાં એનું તત્ત્વ એમને ગાંધીજીના દાખલા વિના આવું સ્પષ્ટ થયું ન જ હોત. જૈન સમાજ અને સાધુએની જે સમીક્ષા કરી છે તે તેા માત્ર પરિચિત કથા જ છે, પણ ખરી રીતે બૌદ્ધ, વૈદિક આદિ બધી જ ધર્મ સંસ્થાએ વિકૃત અહિંસાના રાગથી જ ગ્રસ્ત છે. ચરણસ્પર્શ ક ચરણસ્પર્શ અને વંદનવિધિએ પ્રકારા જે દેશકાળમાં અસ્તિત્વમાં આવ્યા તે જ સાવ બદલાઇ ગયા છે. ગુરુને માત્ર વેશથી ઓળખી વંદન કરે તે નગુણા અને ધણીવાર દુષ્ટ એવા નામધારી પણ વંદાય છે; જ્યારે કેટલીક વાર તે તે ગુણુમાં અસાધારણ એવા પથવેશ વિનાના પુરુષોને સંપ્રદાય વિધિએ નમતા માણુસ સંપ્રદાય દ્વારા નિર્દેદાય પણ છે કે શું એવા સસ્પેંસારીઓને તમે વન્દન કરે છે? એટલે આ વિવિધ સ્વરૂપી વિશ્વમાં બુદ્ધિથી ગુણ પારખી તેની ચેાગ્ય પ્રતિપત્તિ કરવી એટલું જ ખસ છે. જૈન ગૃહસ્થ બૌદ્ધ કે બીજા ગૃહસ્થ સન્યાસીને જૈન વિધિ અનુસાર વંદે તા જૈને એને નાસ્તિક કહેવાના. ખુદ જૈન ફ્રિકામાં પણ એક ક્રિકાના સાધુને ખીજા ક્રિકાના ગૃહસ્થ નહિ વદે કે નહિ નમે. આ રીતે ચરણસ્પર્શી અને વંદન આદિ પ્રકાશ ચાગ્યતાની કદર કરતાં શકે છે અને એકખીજા વચ્ચે માનની દીવાલે ઊભી કરે છે. તેથી પ્રસ્તુત લેખ બહુ સમયોચિત છે. આ વિભાગના ચેાથા લેખમાં નૈતિક અપકર્ષનું પરિણામ શું હાય. અને શું ન હોય એની જે ચર્ચો છે તે વિજ્ઞાનસંમત અને શાસ્ત્રસમત પણ છે. ધણીવાર માણુસને સાવધ કરવા કાઈ અનિષ્ટ ઘટના તેના દ્વેષને કારણે અની એમ કહી તેને ઉપદેશ કરવામાં આવે છે, પણ તેથી એ બન્ને વચ્ચે કાય કારણભાવ કુલિત નથી થતા. ભૌતિક દુÜટના સ્વકારણે અને, પણ એનાથી ઉપજાવાતા ભય એ કદાચ નૈતિક વલણમાં ઉપયોગી થાય ખરે. · ત્યાં ખવીસ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy