SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] દર્શન અને ચિંતન પૈસાદાર કે સત્તાધારી કે મદારીવૃત્તિના ગુરુવર્ગનાં રમકડાં માત્ર બની જાય છે. તેમનું ધર્મ અને તત્વજ્ઞાનનું શિક્ષણ તેમને જ કેદમાં પૂરે છે. અને સમાજ તે જ્યાં હતો ત્યાં જ રહે છે. જૂની ઢબની જે પાઠશાળાઓ ધર્મશિક્ષકને તૈયાર કરે છે અગર જે પાઠશાળાઓ એવા ધર્મશિક્ષકોને આશ્રય આપે છે, તેમ જ જે નવી ઢબનાં ગુરુકુળ, બ્રહ્મચર્યાશ્રમે અને છાત્રાલયે કે કોલેજે આ દિશામાં કામ કરે છે તે બધાની એકંદર ઓછેવત્તે અંશે આ જ સ્થિતિ છે. તેમાં શીખનાર વિદ્યાર્થી હોય કે શીખવનાર પંડિત. માસ્તર કે અધ્યાપક હેય; તે બધા જાણે પરવશપણે અને અરુચિથી જ એ શીખે-શિખવે છે એમ ગમે તે જોનાર જોઈ શકશે. - એક તરફ ધર્મ અને તત્વજ્ઞાનના શિક્ષણ પ્રત્યે અનુરાગ આપણને હાડોહાડ વ્યાપેલ છે, અને બીજી બાજુ તેવું શિક્ષણ લેનાર કે દેનાર પ્રત્યે આપણી જોઈએ તેવી બહુમાનવૃત્તિ નથી એટલું જ નહીં પણ મોટે ભાગે તે આવું શિક્ષણ લેનાર કે દેનારને આપણે તુચ્છ દષ્ટિથી જોઈએ છીએ. આનો પડઘે ધર્મ અને તત્વજ્ઞાનનું શિક્ષણ લેનાર વિદ્યાર્થી અને દેનાર શિક્ષકે ઉપર પડે છે. તેઓ એક અથવા બીજી લાચારીને લીધે તેમાં પડેલ નહોય છે. પણ તેઓ પિતાના મનને ચોવીસે કલાક કહ્યા કરે છે કે તું આ ચક્રમાંથી મુક્ત થા! ધર્મ તત્ત્વજ્ઞાનના શિક્ષણમાં જેમણે અનેક વર્ષો ગાળ્યાં હેય એવા અનેક તેજસ્વીઓને મેં જોયા છે કે જે હમેશને માટે તે ક્ષેત્ર છોડી દે છે. એટલું જ નહીં પણ પિતાની સંતતિ કે પિતાના લાગતાવળગતા કોઈને એ રસ્તે જતાં તદ્દન રેકે છે. આનું મૂળ, ધર્મ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ લેનાર-દેનાર પ્રત્યેની આપણી તુચ્છદષ્ટિમાં રહેલું છે. મેં એકવાર એક સમર્થ સંસ્થા ચલાવનાર બહેનને કહેલું કે તમે ધર્મ-શિક્ષણને જેટલો આગ્રહ રાખે છે, ઓછામાં ઓછું તેટલું બહુમાન તે ધર્મશિક્ષક પ્રત્યે રાખવું જ ઘટે. જો તમે ધર્મશિક્ષકને હાર્દિક આદરથી નહીં જોતાં હે અગર ન જઈ શકે તે ખરી રીતે એમાં ધર્મશિક્ષણની જ હત્યા છે. જૂની પ્રણાલીમાં દેષ જોનાર નવા શિક્ષિત ગણાતા વર્ગો પિતાને આશ્રયે ચાલતાં વિદ્યાલયે કે છાત્રાલયમાં પણ ધર્મ કે તત્વજ્ઞાનના શિક્ષણ વિષે કોઈ ધ્યાન ખેંચે એવો સુધારો કર્યો નથી એ એક દુર્દેવ છે. ઘણીવાર એમ જ લાગે છે કે નવશિક્ષણ પામેલ વકીલ, સેલિસિટર, બેરિસ્ટર ડોક્ટર કે વ્યાપારી-એ બધા નવી સંસ્થાઓમાં ધર્મ અને તત્વજ્ઞાનનું શિક્ષણ આપે–અપાવે છે તે માત્ર તીર્થ પુરોહિતની વૃત્તિ જેવું છે. એવા પુરોહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy