SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ મને કચ આદશે કાશીમાં બા? [૬૯ જે કાશી વિશ્વવિદ્યાલયનાં સ્વમ સેવાઈ રહ્યાં હતાં તે વિશ્વવિદ્યાલયને એના વિશાળ મૂર્ત આકારમાં અહીં આવી મેં માત્ર જોયું જ નહિ પણ તેમાં જ રહી કામ કરવાનું સુદ્ધાં મારે ભાગે આવ્યું. ગમે તેવો પ્રતિકૂળ પ્રસંગ પણ આખરે મને અનુકૂળ ફળદાયક જ નિવડળ્યો છે અથવા મેં એવા પ્રસંગને અનુકૂળ તક જ માની એમાંથી કાંઈક માર્ગ શોધવાને જે જિંદગીમાં અનુભવ કર્યો છે તેમાંની આ એક ઘટના હતી. લગભગ દશવર્ષ પહેલાં જ્યારે અહીં આવ્યો ત્યારે ન હતા જૈન વિદ્યાર્થી કે ન હતા ઈષ્ટ સાથીઓ, પણ કાંઈક ધગશ હતી. એ ધગશે અચાનક એક જ એક નાના ઝૂંપડામાં પ્રેરણું કરી અને સ્વર્ગવાસી ઉક્ત ભવ્યાત્માના આદર્શને મન સામે તાદશ. ઉપસ્થિત કર્યો. મેં એ આદર્શને મારી ઢબે અને મારી શક્તિ પ્રમાણે વિચાર્યું અને તેને કાશીમાં જ કાંઈક મૂર્તરૂપ આપવાને દઢ નિર્ધાર કર્યો. સાધન અને સામગ્રી પહેલાં કરતાં બહુ વધી ગયાં હતાં, પણ હું માત્ર એકાકી હતે. છતાં મને એ આદર્શ એટલે બધે ઉપયોગી અને આકર્ષક લાગ્યો કે તેને જ લીધે નિવૃત્તિ ગાળવા ધારેલ વર્ષે પણ મને રસપ્રદ પ્રવૃત્તિવાળાં સિદ્ધ થયાં. આ સ્થળે હું એ પ્રવૃત્તિ અને એનાં પરિણામ વિષે લખવા નથી ઈચ્છતે. કદાચ એ વિષે આગળ લખું, અત્યારે તો હું એ આદર્શ વિષે જ કાંઈક લખવા ધારું છું. અને તે માત્ર સામાજિક તેમ જ માનવીય સંસ્કૃતિના પિશાક એક અંગ તરીકે જ. વિધર્મસૂરિજીનો આદર્શ હતું કે જેમ ત્યાગી વર્ગ શાસ્ત્રીય વિદ્યા ભણે છે તેમ ગૃહસ્થવર્ગે પણ એ વિદ્યાઓનું ગંભીર અને વિશાળ અધ્યયન કરવું એ જૈન સમાજની વધતી જતી આવશ્યકતા અને વર્તમાન સમયની સબળ. માગણીની દષ્ટિએ અનિવાર્ય રીતે જરૂરી છે. આજે જ્યાં ત્યાં નવાં ઉદ્દભવતાં કાર્યક્ષેત્ર અને સંસ્થાનોની વાસ્તવિક માગણને યથાર્થ રૂપમાં પિતાના પ્રબળ વિદ્વાન સિવાય સંતોષી શકાય જ નહિ, તેમ જ ડિગે, સ્કૂલે, કોલેજો અને યુનિવર્સિટીઓમાં જે સંસ્કૃતિ, સાહિત્ય અને ઇતિહાસના. અધ્યયનના માર્ગો દિવસે દિવસે વધારે વધારે ખુલ્લા મુકાતાં જાય છે તેને એવા ગૃહસ્થ વિદ્વાન સિવાય પહોંચી વળી શકાય પણ નહિ. બૌદ્ધ ભિક્ષુકો વિદ્વાનોની જેમ જૈન ભિક્ષુક વિદ્વાને સાર્વજનિક સંસ્થામાં જવાબદારીપૂર્વક કામ લેવાનું સેવાકૃત્ય ન સમજે ત્યાં લગી તે આ કામની પુરવણું એક માત્ર ગૃહસ્થ વિદ્વાન વર્ગદ્વારા જ સંભવી શકે અને બીજી રીતે નહિ. એક વાર જૈન ત્યાગી વર્ગ એવી જાહેર જવાબદારી ઈચ્છાપૂર્વક લેવાની ઉચ્ચ. ભૂમિકાએ પહોંચે ત્યારે પણ તે વર્ગને પિતાના અંગત સાથી અને સહાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy