SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૪] દર્શન અને ચિંતન બ્રાહ્મણ ન્યાયનાં છે, જેમાં એક ઉદ્યોતકરનું ન્યાયવાર્તિક, બીજું તેના ઉપરથી વાચસ્પતિ મિશ્રની તાત્પર્યટીકા અને ત્રીજું તાત્પર્ય ટીકા ઉપરની ઉદયઃ કૃત તાત્પર્ય પરિશુદ્ધિ છે. આ પુસ્તકની વિશેષ માહિતી અન્ય પ્રસંગે આપવી યોગ્ય થશે. આ સ્થળે એટલું જ કહી દઉં કે આ વખતની ટૂંકી મુદતની પણ અમારી યાત્રા અનેક રીતે વ્યક્તિગત અને સમષ્ટિગત દષ્ટિબિન્દુથી સફળ નીવડી છે. તેનું મૂર્ત પરિણામ શ્રીમાન જનવિજ્યજી અને રા. રા. મોહનલાલ દેસાઈ તરફથી પ્રગટ થનાર કૃતિઓમાં વાચકોની નજરે પડશે. આ પ્રવાસનું વર્ણન કદાચ કેટલાકને કંટાળે આપશે છતાં તેમાં કેટલાક વિચારો જાણી જોઈને જ લખ્યા છે કે જે બીજા કેટલાકને કર્તવ્યના ભાનમાં સાધક થશે એવી આશાથી. આણંદજી કલ્યાણજી તરફથી ચાલતી કુંભારિયા તીર્થની વ્યવસ્થા અને તેમના તરફથી ત્યાંના કીમતી મંદિરની સાચવણી માટે નિયુક્ત સેમપુરિયા પ્રભાશંકર સ્થપતિની વિદ્યાપ્રિયતા વિશે તંત્રીશ્રી પિતે જ લખશે એમ ધારી તે બાબત ઇરાદાપૂર્વક છોડી દઉં છું. –જૈનયુગ, પુત્ર ૩, અં૦ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy