SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪] દર્શન અને ચિંતન અને મહાવીરના ભક્તો તદ્દન પડેાશમાં રહેવા છ્તાં અને અનેક વ્યાવહારિક બાબતેમાં સવન ગાળવા છતાં એક બીજાના માન્ય પુરુષો વિષે સાચી માહિતી ઉદાર દૃષ્ટિથી ન મેળવે એ જ હિ ંદુસ્તાનની જ્ઞાનપામરતા. જ્ઞાન ગમે તે દિશામાંથી આવે પણ તે મેળવવું જ જોઈ એ. પણ આપણી સકતા એટલે સુધી વધી છે કે એક જ મહાવીરને માનનાર શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી એ ત્રણ ફિરકાએના અનુયાયીઓ પણ આવે પ્રસંગે ભાગ્યે જ એકત્ર થાય છે. મહાવીરના જીવનનાં અનેક અસાધારણ રહસ્યા છતાં ખીજા કેટલાંયે વનેપયાગી એવાં રહસ્યા છે કે જેને ખાતર રામ, કૃષ્ણ અને યુદ્ધના જીવનના ઊંડા તથા તાત્ત્વિક અભ્યાસ કરવા જોઇ એ. એ જ વાત રામ, કૃષ્ણ અને યુદ્ધના ભક્તને મહાવીરના જીવનના અભ્યાસ વિષે કહી શકાય. બુદ્ધ અને મહાવીરે લગભગ ત્રીસ ત્રીસ વર્ષની ઉંમરે સ્ત્રીપુત્રાદિક કુટુંબ છોડી સાધના માટે જંગલને મંગલમય માર્ગ સ્વીકાર્યો ત્યારે રામ અને કૃષ્ણે તે પેાતાના આદર્શો કુટુંબ, પ્રજા અને રણાંગણુ વચ્ચે જ ઘડ્યા હતા. આધ્યાત્મિક અને વ્યાવહારિક ધ્વનના ભિન્ન ભિન્ન સંસ્કાર ધરાવનાર જનસમાજને એ મહાપુરુષાના એકે તત્ત્વ વિના ન ચાલે. સ્વામી દયાનંદ આર્યસમાજના સ્થાપક છે, તે કાંઈ જૈન નથી એમ ધારી તેએનું જીવન આપણે ન તપાસીએ તે! મહાવીરના અને તેએાના પ્રતિનિધિ અન્ય આચાયૅના જન્મોત્સવ પ્રસંગે આપણે આસમાને શી રીતે નાતરી શકીએ ? ખરી રીતે આર્ય સંસ્કૃતિને પૂર્ણ અભ્યાસ કરવા માટે શ્રમણ સંસ્કૃતિના એ પ્રધાન પુરુષ મહાવીર અને બુદ્ધ તથા બ્રાહ્મણ સંસ્કૃતિના પ્રતિનિધિ રામ અને કૃષ્ણ એ ચારે ક્ષત્રિય છતાં યથાર્થ બ્રાહ્મણાની વનકથાને નિષ્પક્ષ અને ઉદારભાવે અભ્યાસ કરવા જ જોઈએ. અને તે માટે જે જે પ્રસ ંગે! મળે તેને કદી જતા ન જ કરવા જોઈએ. હું જૈન છું છતાં રામ, કૃષ્ણ અને મુદ્દનાં જીવનતત્ત્વા સમજવાના પહેલેથી જ પ્રયત્ન કરતા આવું છું, તેથી મારી મહાવીર વિષેની દૃષ્ટિ ઊલટી તક્ષ્ણ અને શ્રદ્ધાળુ બની છે. • ચૈત્રની શુક્લ ત્રયેાદશી એ મહાવીરના જન્મદિન. ચૈત્ર જ રામને જન્મમાસ. બુદ્ધ વૈશાખ શુક્લ પૂનમે જન્મ્યા અને કૃષ્ણ દ્રાવણમાં. મહાવીરના જન્મને લગભગ ૨૫૦૦ વર્ષ થયાં. એ રાજકુમારે માતાપિતા કે વડીલ ભાઈની અવગણના કરી ત્યાગમાર્ગ નહેાતે સ્વીકાર્યાં; ઊલટું વડીલેાની સેવા કરતાં ત્યાગને આત્મામાં કેળવી તક આવે તત્કાલીન ત્યાગને ધારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy