________________
શાંતિનિકેતન
[૧૯ આ ક્રિયા જોયા પછી મને જૈન તરીકે એમ લાગ્યું કે આ ઉદ્યોગ જૈનેને અસ્પૃશ્ય છે, પણ સાથે જ એમ પણ લાગ્યું, કે કંઈપણ રીતે રેશમને ઉપયોગ ન જ કરી શકે, અને તે જ સાથે જૈનાચાર્ય હરિભદ્રના એક ગ્રંથનું વાક્ય ધ્યાનમાં આવ્યું કે રેશમ અને બીજાં જંતુજન્ય વસ્ત્રો એ અપવિત્ર હોઈ ત્યાજ્ય છે. આજે જ્યાં અપવિત્રતા હોય ત્યાં પવિત્રતા દાખલ કરવાની જ જાણે ન હોય! ઘણા લેક એવી ભ્રાંતિથી રેશમી કપડું રાખે છે અને તેને પહેરી પ્રત્યેક ધાર્મિક કૃત્યમાં જોડાતા પિતાને વધારે પવિત્ર સમજે છે.
ત્યાં સૂતરનું કામ પણ થાય છે. એ સૂતર મિલનું હોય છે અને વણવા સુધીની બધી ક્રિયા શીખવવામાં આવે છે. જેમ અમદાવાદ આશ્રમમાં છે તેમ શ્રીનિકેતનના સંચાલકે શુદ્ધ સૂતર ઉપરથી કામ લે તો વણવાનો ઉદ્યોગ શીખનારને સૂતર કાંતવાની ક્રિયા પણ આવડે, અને તે રીતે સ્વાશ્રય વધે.
ત્યાં ડેરી અને કેનેરી છે, પણ મારી સાથે ચાલનાર ગુજરાતી ભાઈએ કહ્યું કે એનું મિથ્થા વર્ણન કરી કલ્પિત મહત્તાથી તમારું આકર્ષણ કરવા હું નથી ઈચ્છતો. પણ સલામ કરી ભાગ લીધો. શ્રીનિકેતનને અંગે એક વાતની ખાસ નોંધ લઉં. ત્યાં ગ્રામસુધારણાનું કામ શીખવવામાં આવે છે. સ્વચ્છતા કેમ રાખવી, જલાશ સ્વચ્છ કેમ રાખવાં, રસ્તાઓ કેવા હોવા જોઈએ, મકાનની આજુબાજુ કેવું હોવું જોઈએ, ખેતી, તેનાં ઓજારે તથા ઢોરે વગેરેની બાબતમાં માહિતી આપવી તેમ જ બીમારને દવા આપવી એ બધું કામ ગ્રામસુધારણાને અંગે છે અને તેમાં આપણું ગુજરાતી વિદ્યાથીઓ શીખે પણ છે. - વિશ્વભારતીને એકંદર વાર્ષિક ખર્ચ લાખ જેટલે છે, તેમાંથી કાયમી આવક ૮૦ હજાર જેટલી છે, જેમાં ફી, કાયમી દાન, વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે. ખૂટતી રકમ મેળવી લેવામાં આવે છે.
વિદ્યાવિલાસી અધ્યાપકોને મળવાથી આનંદ થશે તે કરતાં તો વધારે આનંદ મને ગુજરાતી વિદ્યાથીઓના સમાગમથી થયો. તેમાંયે અમદાવાદ, ગુજરાત મહાવિદ્યાલયમાં રહી ગયેલા વિદ્યાર્થીઓને પરિચય થયું ત્યારે તે તજન્ય હર્ષ સંયમથી જ રોક પળ્યો. ગુજરાતનું આતિથ્ય ગુજરાતની સરહદ સુધી જ નહિ પણ ગુજરાતીપણુની સરહદ સુધી વિસ્તરેલું છે એ ભાગ્યે જ કહેવાની જરૂર હોય. એથી પણ વધારે સંતોષ મને બે કારણોથી થયો. (૧) શુકલ કરીને વઢવાણના બ્રાહ્મણ વિદ્યાથી છે, જે ગ્રેજ્યુએટ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org