SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪] દર્શન અને ચિંતન ચતાં જ એક અતિથિગૃહ છે, જે મહર્ષિનું મૂળ શાંતિનિકેતન હતું. અતિથિ ગ્રહવાસે પૂર્વાભિમુખ થઈ ઊભા રહીએ તો છેક ઉત્તરને છેડે અને છેક દક્ષિણને છેડે બે મકાને આવેલાં છે. તેમાં પહેલું કવિશ્રીનું છે અને બીજું બડાદાદાનું. દિશા પ્રમાણે એ બન્ને મકાને અનુક્રમે ઉત્તરાયણ અને દક્ષિણાયનના નામથી ત્યાં પ્રસિદ્ધ છે. માત્ર એ બે મકાનના નામમાં જ નહિ પણ ત્યાંનાં બીજાં નાનાં મોટાં મકાનનાં નામમાં, ત્યાંની વૃક્ષાવલીની સંજ્ઞાઓમાં અને બીજી અનેક બાબતોમાં કવિતાની પ્રતિભા દેખા દે છે. પાંથશાલા, ગુપલી, નારી—ભવન, શિશુભાવન, કલાભવન, પુસ્તકાગાર, શાલવીથી, આમ્રરાજિ, આમલકિકાનન, છાતિમતલ (સપ્તપણું તલ) એ બધાં સંસ્કારી નામે ખાસ કવિશ્રીની પ્રતિભાનાં નિદર્શક છે. આશ્રમનાં મકાનો સામાન્ય રીતે સાદાં છે. ફસવાળાં મકાનો એ પ્રાચીન સંપત્તિ છે. હવે પાકાં મકાને થતાં જાય છે. પાણીની પૂરી તંગાશ છતાં વિવિધ વૃક્ષઘટાઓ શહેરમાંથી કંટાળેલાને લલચાવે તેવી છે. અભ્યાસને સમય અને વિદ્યાવિભાગ સરકારી હાઈસ્કૂલ અને કોલેજમાં ચલાવતા બધા બૌદ્ધિક વિષયો શાંતિનિકેતનમાં શીખવવામાં આવે છે. દરેક વિષયને એક ખાસ અને સાધારણ અભ્યાસી શિક્ષક તેમ જ અધ્યાપક ત્યાં છે. મેટ્રિક અને એમ. એ. સુધીની ખાસ શાંતિનિકેતનની ઉપાધિ (ડિગ્રી) રાખી પરીક્ષા લેવામાં આવે છે. અને જે સરકારી ડિગ્રીઓ છે તે સરકારી સંસ્થાઓમાં જઈને પણ પરીક્ષા આપી શકે છે. એટલે શાંતિનિકેતનનું શિક્ષણ સરકારી પરીક્ષાને અનુલક્ષીને, તેમ જ સ્વપરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થીઓની ઈચ્છા પ્રમાણે આપવામાં આવે છે. પાઠ્યક્રમ પણ તદનુસાર જા જા પડી જાય તે સ્વાભાવિક છે. સામાન્ય રીતે બારે મહિના શિક્ષણને સમય સવારે સાતથી દશ અને બપોરે બેથી ચાર વાગ્યા સુધીનો હોય છે. પ્રાતઃકાલે શિક્ષણનો આરંભ થયા પહેલાં બધાં નિયત સ્થાને એકત્ર થાય છે, અને પ્રાર્થના શરૂ કરવામાં આવે છે. ગમે ત્યાં અને ગમે ત્યારે પ્રાર્થના કે ગીતમાં, અભિનયમાં કે અન્ય પ્રસંગે જે કાંઈ ગાવામાં કે ભજવવામાં આવે છે તે માત્ર કવિશ્રીની કૃતિ જ. જ્યાં ત્યાં લખવામાં આવેલા વાક્યો પણ કવિશ્રીની પ્રતિભાનાં જ આકર્ષક અપત્યો છે. વર્ગો બધા ઝાડ નીચે જ ચાલે છે. વરસાદમાં જ્યારે બેસવું શક્ય ન હોય ત્યારે વર્ગ બંધ રહે છે. અગર કઈ મકાનના (શક્ય હોય તો) દાલાનમાં ચલાવવામાં આવે છે. વર્ગ ચાલતો હોય ત્યારે નાના વિદ્યાથીઓનું મન ન લાગે તો ગુરુને જરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy