SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬૯ તેજોમૃતિ ભગિની આપણું દેશની જડ જનતાને સુલભ એવા જ અતિ સાંકડા મનના અને અંધારામાં પ્રકાશ તેમ જ કૂવામાં સમુદ્ર માની બેઠેલા અનેક ધર્મગુરુઓ એક પછી એક મને મળતા જ રહેલા. છતાં તેમનાં ચરણોમાં બેસી ઝીલેલ ધર્મબોધ ઉપર ફરી વિચાર કરવાની ફરજ પડે અને આખું માનસ બદલી નાખે એવું વ્યાપક ધર્મભાન કરાવનાર ધર્મ પ્રાણ પુરુષોનું પણ મારા જીવનમાં સ્થાન છે. અને તેમાંના ઘણે તે અત્યારે મેજૂદ જ છે. આમ અમારા બંનેનું કેટલુંક સામ્ય છતાં એકવીસ વર્ષ જેટલી નાની ઉંમરે હેલનના – “એવી ક્ષણ હોય છે જ્યારે મને એમ લાગે છે કે, -શાયર્લોક તથા ન્યૂડા જેવા લેક અને સંતાન પણ વિશ્વમાં પ્રવર્તમાન સાધુતાના મહાચક્રના ભાંગી ગયેલા આરા છે અને તેઓ યોગ્ય સમયે પાછા સમારી લેવાશે” –- આ વાક્યમાં જે મહાવીર, બુદ્ધ, ક્રાઈસ્ટ અને ગાંધીજીની સહજ શ્રદ્ધા અને પ્રજ્ઞાઈદ્રિયના ફુરણનું ભાન થાય છે, તે આટલી પ્રૌઢ ઉંમરે પણ સ્વાભાવિક રીતે મારા જીવનક્રમમાં મને દેખાતું નથી. અલબત્ત, આર્યાવર્તનાં વિવિધ દર્શનના અનેક વિષયસ્પર્શી, કામના અને નકામા, જટિલ, કંટકિલ અને ગ્રંથિલ વાદવિવાદ વચ્ચે પણ મેં તેની પારના પ્રજ્ઞામય, શાંત અને સર્વવ્યાપક ભાવનું વિસ્મરણ કદી કર્યું નથી. પણ એ દિશામાં પ્રજ્ઞાઈદ્રિયનું જાગરણ કરવાનું તે હજી મનોગત જ છે. પ્રસ્તુત પુસ્તક વિષે શ્રીમાન કાકાસાહેબ કાંઈક લખવાના છે એ જે મેં સાંભળ્યું ન હોત તો હું આટલા ટૂંકામાં કદાચ ન પણ પતાવત. છતાં શ્રીયુત મગનભાઈના અનુવાદવાચનથી મારા મન ઉપર પડેલ અનેક છાપામાંની અગત્યની બેએક લખી દેવી યોગ્ય છે. અનુવાદ સ્વતંત્ર લખાણ જેવો સીધો છે. અર્થ સમજવામાં શબ્દની, વાક્યની કે તેવી બીજી આંટીઘૂંટી આડે આવતી નથી. અનુવાદકે મૂળગત ભાવે સ્પષ્ટ કરવા અને પિતાની નવશબ્દરચના સમજાવવા જે ટૂંકાં પણ મહત્વનાં ટિપ્પણી કર્યા છે તે ન હોત તે અનુવાદનો આમા આટલો અર્થપૂર્ણ ન બનત. અનુવાદકમાં જે ભાવપૂર્ણ નવશબ્દસર્જનનું અનુકરણીય સામર્થ્ય દેખાય છે તે ગુજરાતી ભાષાના સમૃદ્ધ અભ્યદયનાં અનેક લક્ષણોમાંનું એક મહત્વનું લક્ષણ છે. એકંદર આખો અનુવાદ અંગ્રેજીને ઉચ્ચ શિક્ષણમાં માધ્યમ રાખવાની બળવત તરફદારી કરનારને માતૃભાષાના માધ્યમનું સામર્થ સમજાવનાર અજિલ્ફ જવાબ જેવો છે. હું શ્રીયુત મગનભાઈ પાસે એટલી માગણું અવશ્ય કરું છું કે, તેઓ શ્રીમતી હેલનના પછીની વયના ઉત્તરોત્તર પક્વ અને પર્વતર વિચાર તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy