________________
હહ૪]
દર્શન અને ચિંતન એના પ્રેરક દૃષ્ટિબિન્દુમાં મહદ અંતર જણાય છે. તે તે દર્શનની ઉપર સૂચવેલી અને બીજી સિદ્ધિઓ અમુક વિષયની માત્ર દલીલ દ્વારા ઉપપત્તિ કરે છે અને વિરોધી મંતવ્યનું તર્ક કે યુક્તિથી નિરાકરણ કરે છે. વસ્તુતઃ એવી દાર્શનિક સિદ્ધિઓ મુખ્યપણે તર્ક અને યુક્તિને બળે રચાયેલી છે, પણ એની પાછળ આત્મસાધના કે આધ્યાત્મિક પરિણતિનું સમર્થ બળ ભાગ્યે જ દેખાય છે, જ્યારે પ્રસ્તુત “આત્મસિદ્ધિ'ની ભાત જ જુદી છે. એમાં શ્રી. રાજચંદ્ર જે નિરૂપ્યું છે તે તેમના જીવનના ઊંડાણમાંથી અનુભવપૂર્વક આવેલું હોઈ એ માત્ર તાર્કિક ઉપપત્તિ નથી, પણ આત્માનુભવની થયેલી સિદ્ધિ-પ્રતીતિ છે, એમ મને સ્પષ્ટ લાગે છે. તેથી જ તે તેમના નિરૂપણમાં એક પણ વેણુ કડવું, આવેશપૂર્ણ પક્ષપાતી કે વિવેક વિનાનું નથી. જીવસિદ્ધિ તે શ્રીમદ અગાઉ કેટલાય આચાર્યોએ કરેલી અને લખેલી છે, પણ તેમાં પ્રસ્તુત આત્મસિદ્ધિમાં છે તેવું બળ ભાગ્યે જ પ્રતીત થાય છે. અલબત્ત, એમાં યુક્તિ અને દલીલે ઢગલાબંધ છે. - શ્રી. રાજચંદ્ર “આત્મસિદ્ધિ માં મુખ્ય પણે આત્માને લગતા છ મુદ્દા ચર્ચા છે: (૧) આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ, (૨) તેનું નિયત્વ-પુનર્જન્મ, (૩) કર્મકર્તવ, (૪) કર્મફળભોક્તત્વ, (૫) મેક્ષ, અને (૬) તેને ઉપાય. આ છ મુદ્દાની ચર્ચા કરતાં તેના પ્રતિપક્ષી છ મુદ્દા ઉપર પણ ચર્ચા કરવી જ પડી છે. એ રીતે એમાં બાર મુદ્દાઓ ચર્ચાયા છે. એ ચર્ચાની ભૂમિકા એમણે એટલી બધી સબળ રીતે અને સંગત રીતે બાંધી છે, તેમ જ એને ઉપસંહાર એટલે સહજપણે અને નમ્રપણે છતાં નિશ્ચિત વાણીથી કર્યો છે કે તે એક સુસંગત શાસ્ત્ર બની રહે છે. એની શૈલી સંવાદની છે? શિષ્યની શંકા કે પ્રશ્નો અને ગુરુએ કરેલ સમાધાન. આ સંવાદશૈલીને લીધે એ ગ્રંથ ભારેખમ અને જટિલ ન બનતાં, વિષય ગહન હોવા છતાં, સુબોધ અને ચિપષક બની ગયો છે. - આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન અને પ્રવચનસાર, સમયસાર જેવા પ્રાકૃત ગ્રંથમાં જે વિચાર જુદી જુદી રીતે વીખરાયેલે દેખાય છે, ગણધર વાદમાં જે વિચાર તર્કશૈલીથી સ્થપાયો છે અને આચાર્ય હરિભદ્ર કે યશવિજયજી જેવાએ પિતપોતાના અધ્યાત્મવિષયક ગ્રંથમાં જે વિચાર વધારે પુષ્ટ કર્યો છે, તે સમગ્ર વિચાર પ્રસ્તુત “આત્મસિદ્ધિમાં એવી રીતે સહજભાવે ગૂંથાઈ ગયે છે કે તે વાંચનારને પૂર્વાચાર્યોના ગ્રંથનું પરિશીલન કરવામાં એક ચાવી મળી રહે છે. શંકરાચાર્યું કે તે પૂર્વના વાત્સ્યાયન, પ્રશસ્તપાદ, વ્યાસ આદિ ભાષ્યકારોએ આત્માના અસ્તિત્વની બાબતમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org