SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ] દર્શન અને ચિંતન આવે અને શહેરમાં જ કયાંક સૂઈ રહેશે. અમે તે બધા સૂઈ ગયા. ત્યાં તે લગભગ અડધી રાતે શ્રી મોહનભાઈએ બારણાં ખખડાવ્યાં, અને અમને જગાડ્યા. અમે જોયું કે આટલા પરિશ્રમ પછી પણ એમનામાં થાક કે કંટાળાનું નામ નહોતું. ઊલટું આજે તે એ એવા ખુશ હતા કે ન પૂછે વાત ! ખિલખિલાટ હસીને એ કહેઃ - પડિતજી ! આજે તા તમને પ્રિયમાં પ્રિય એક કૃતિ મળ્યાના સમાચાર આપું તે મને શું જમાડશે ? શું ઇનામ આપશો? કહા તે ખરા કે આપને અતિપ્રિય એવી કઈ કૃતિ મળી હશે ?? મેં કહ્યું: માહનભાઈ ! એના ઇનામમાં તમને તમારા જ નામનું મિષ્ટાન્ન જમાડીશું!' તે દિવસે મેાહનથાળ બનાવ્યો હતો. પછી હું આ કૃતિ શું હાઈ શકે એના વિચારમાં પડ્યો. ચાર-પાંચ મિનિટ વિચાર કરીને પછી મે પણ સટાડિયાની જેમ તુક્કો લગાવ્યા, અને કહ્યું કે એ કૃતિ તે મહાપાધ્યાય શ્રી યશવિજયજીનું જીવન જેમાંથે ધણું પણ સંગ્રહાયેલુ છે તે સુજસવેલી ભાસ' હોવી જોઈએ.' આ કૃતિના થોડાક ભાગ પાટણમાંથી મળેલા; ખાકીનો ભાગ મેળવવા અમે ખૂબ ઉત્સુક હતા અને મેાહનભાઈ એ એ જ કૃતિ શોધી કાઢી હતી. અમારા આનંદના પાર ન રહ્યો. * : આવા તો બીજા પ્રસંગો પણ આપી શકાય, પણ અહી એને માટે એટલા વખત નથી. લાયમેન, વેમ્બર, યાકેાખી આદિ જર્મન વિદ્વાનેએ જૈન પરંપરા ને તેના સાહિત્યને લગતા ઇતિહાસ લખવાની પહેલ કરી. ફ્રેંચ અને અંગ્રેજી ભાષામાં પણ જૈન પરંપરાને લગતા અધ્યયનના પ્રારંભ થયા, પણ ભારતીય ભાષાઓમાં આધુનિક દૃષ્ટિએ અને સંશોધક વિદ્વાનને ઉપયાગી થાય એ પ્રકારના સાહિત્યિક ઇતિહાસને અતિ અલ્પ પણુ મહત્ત્વના પાયા શ્રી મેાહનભાઈ એ નાખ્યા. હવે તે એ દિશામાં માગણી અને જિજ્ઞાસાને અનુરૂપ એવા નવીન પ્રયત્ને શ્વેતાંબર અને દિગ ંબર અને પરંપરામાં થઈ રહ્યા છે, પણ તેમાં ય મેાહનભાઈના “ જૈન સાહિત્યના ઇતિહાસ ”નુ સ્થાન છે જ. એમની મહતી કૃતિ, અને મારી ધારણા સાચી હાય તા, તેમની તબિયત ઉપર જીવલેણ ફટકા મારનાર કૃતિ એ તા‘જૈન ગૂર્જર કવિએ ’ છે. એમણે તે ભારત જેવું કામ એકલે હાથે કેવી રીતે સપન્ન કર્યું એ નવાઈ જેવું લાગે છે, પણ જેણે જેણે તેમને એ કામ કરતા જોયા છે તેઓ જાણે છે કે એ કામમાં તેમણે કેટલી શક્તિ, કેટલે સમય અને કૈટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy