SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦] દર્શન અને ચિંતન મોહનભાઈએ વિવિધ પ્રકારનું સાહિત્ય, પિતાનાં લખાણે, નેટ, ટિપ્પણીઓ આદિ પૂરાં પાડયાં છે. તેમની સંશોધન અને સંપાદનની ધગશ એટલી બધી ઉત્કટ હતી કે કોઈ એ વિષે તેમની પાસેથી મદદ માગે તો બીજો ગમે તેટલે બજે હોવા છતાં આ વધારાને બજે લેવાનું તેઓ સ્વીકારે અને તેમને નિભાવે પણ. એ જ વૃત્તિને લીધે તેમણે આત્માનંદ જૈન શતાબ્દી સ્મારક ગ્રંથનું દળદાર પુસ્તક સંપાદિત કરી આપ્યું. મોહનભાઈ પાસેથી મદદ લેનારમાં એવા બહુ જ ઓછા છે કે જેમણે તેમની મદદની કૃતજ્ઞતાપૂર્વક ોંધ લીધી હોય. તેથી ઊલટું મોહનભાઈને સ્વભાવ એવો હતો કે કેઈની પાસેથી તેમને કાંઈ પણ મદદ મળી હોય તે તેને ઉલ્લેખ કર્યો વિના તેઓ ન રહે. કોઈ વિદ્વાન કે સણું વ્યક્તિને મળવાની અને તેમની પાસેથી કાંઈ ને કાંઈ જાણવાની તક મળતી હોય તે મેહનભાઈ ચૂકે નહીં. એવી વ્યક્તિ પાસે જતાં તેમને ઉંમર, જાતિ કે પંથનું અંતર નડતું નહિ. વિદ્વાનોને સત્કાર કરવામાં ગૌરવ લેતા મેં તેમને જોયા છે. એમને વિદ્યાગ અર્થાપેક્ષી નહોતું. તેમણે પિતાની સાધારણ કમાણીને પણ ઠીક ઠીક ભાગ સાહિત્યકૃતિઓ સરજવામાં અને સાહિત્યવૃત્તિ સંતોષવામાં ખર્ચે છે અને જ્યાં બદલે મળે તેમ હતું ત્યાં પણ તેમણે બદલે લીધા વિના કેવળ સાહિત્યસેવાની દૃષ્ટિએ જ કામ કર્યું છે. એટલું જ નહીં પણ હું એવા પ્રસંગે જાણું છું કે જેમાં તેમણે વિદ્યા અને સાહિત્યને ઉત્તેજન આપવા આર્થિક મદદ પણ કરેલી. એકવાર પરદેશ અભ્યાસ અર્થે જતા એક મિત્રને તેમણે સંગીન મદદ આપેલી. બીજો પ્રસંગ પં. દરબારીલાલ સત્યભક્તને છે. મોહનભાઈ દરબારીલાલનાં લખાણો અને વિચારો પ્રત્યે બહુ આદર ધરાવતા. એકવાર તેમને માલૂમ પડયું કે દરબારીલાલને સાહિત્ય પ્રગટ કરવામાં આર્થિક મુશ્કેલી નડે છે ત્યારે તેમણે વગર માગ્યે જ મદદ મોકલાવી દીધી. અત્રે એ ધ્યાનમાં રાખવા જેવું છે કે મેહનભાઈને શ્રદ્ધાપાત્ર વિદ્વાન અને લેખકે તદ્દન સુધારક અને ક્રાંતિકારી વિચાર ધરાવનાર હતા, તેથી એ નિઃશંક છે કે મેહનભાઈનો વિદ્યાગ સમજપૂર્વક અને નિષ્કામ હતું. સામાજિક્તા અને રાષ્ટ્રીયતા મોહનભાઈ જૈન શ્વેતાંબર કોન્ફરન્સના મુખપત્ર જૈન હેરલ્ડના લાંબા વખત લગી તંત્રી રહેલા. કોન્ફરન્સની એવી કઈ પ્રવૃત્તિ નથી કે જેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy