SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય ઘોડે પણ છાપ ઘણી ઊંડી [૧૧૫ પ્રમાણુ નથી સાચવતા, રસમાં તણાઈ જાય છે અને શ્રોતાઓ માત્ર પિતાની શ્રવણેન્દ્રિયની તૃપ્તિને જ વિચાર કરે છે, વક્તાની શક્તિ અને સ્થિતિનો નહિ. ૧૯૪૪ના ડિસેમ્બરમાં અમદાવાદ મુકામે એક ઈતિહાસ પરિષદ ભરાયેલી. તેમાં અમુક વિષયને લક્ષી વિદ્વાનોની ચર્ચા ગોઠવેલી. શ્રીયુત મુનશીનું ભાષણ વકીલાતથી ભરેલું હતું. એમાં બીજા પક્ષો પ્રત્યે જાગતી દૃષ્ટિ નહિ પણ સ્વપક્ષ પરત્વે સમર્થક જાગરિત દૃષ્ટિ હતી. અધ્યાપક રામનારાયણનું ભાષણ એક અધ્યાપકને શોભે તેવું ટૂંકું અને સ્પષ્ટ હતું. ધૂમકેતુનું પ્રવચન તત્ત્વસ્પશી હોય તે કરતાં વધારે વિનોદી હતું પણ મેધાણીનું પ્રવચન તદ્દન જુદી ભાત પાડતું મને લાગેલું. એમના પ્રવચને પણ મારા મન ઉપર પડેલી તેમની સમભાવ વિષેની છાપને વધારે પુષ્ટ કરી હતી એવું મારું સ્મરણ છે. છેલ્લે ૧૯૪૬ના એપ્રિલની ઘણું કરી ૪થી તારીખે “બ્લેસ્કી રહેલમાં એક મેળાવડો યોજાયેલ. મેઘાણી ગાનાર. ઠઠ ખૂબ જામી હતી. બીજે દિવસે હું કલકત્તા જવા માટેની તૈયારી કરતો હતો છતાં મેવાણીને સાંભળવાનો લાભ દાબી ન શક્યો. મને બેઠેલે જઈ મેઘાણી આપમેળે પાસે આવ્યા, ને જાણે તદ્દન અંગત હેઈએ એ રીતે વાત ચાલી. મારા પ્રશ્નના ઉત્તરમાં કહે કે “મહેન્દ્રને હમણું અમેરિકા જતો રોક્યો છે, કામ સારું કરે છે. તૈયારી કરશે ને પછી અમેરિકા જશે તો વધારે ફાયદો થશે.” મેઘાણીએ પોતાનું કામ શરૂ કર્યું. મેં ધારેલું કે કલાક દોઢ કલાકમાં પૂરું થશે પણ લગભગ ત્રણ કલાક થવા આવ્યા ને પૂરું ન થયું એટલે હું તે અતિ લંબાણની સમાલોચના ને ચિંતા કરતો ઘેર પાછો ફર્યો. મારી સાથે એક મારાં બેન પણ સાંભળવા આવેલાં. અમે ઘેર પાછા ફરી થોડીક સમાચના કરી. મેં એ બેનને કહ્યું કે “જે મેઘાણી આ રીતે ગાતા રહેશે, લેકને ટોળે વાળશે ને સમય-મર્યાદા નહિ બાંધે તો તે લાંબું જીવન કદી માણી શકશે નહિ. શ્રોતાઓ “આગળ ચલે-આગળ ચલા” એમ કહે જાય છે, સારા સારા લેખકે ને વિચારકે પણ એમને રોકવાને બદલે ગાણાં સંભળાવવાની પ્રેરણા કર્યે જ જાય છે. એ ભારેમાં ભારે અજ્ઞાન છે.” વીર્યપાતા વાકપાતે ગંભીયાન” આ સૂત્રોનું મર્મ કેળવાયેલા પણ ન જાણે તે સાધારણ શ્રોતાઓને કે કેમ આપી શકાય ?' લગભગ ૧૧ મહિના પછી જ્યારે કાશીમાં મેઘાણના દુઃખદ અવસાનની વાત જાણી ત્યારે મને મારા દેલ પૂર્વ અનુમાનના કાર્યકારણભાવ વિષેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy