________________
૯૦]
દર્શન અને ચિંતઃ પ્રજ્ઞાને મને પરિચય થયું. પૂછું કે, “જેન નય અને નિક્ષેપના સ્થાનમાં બૌદ્ધ ગ્રંથમાં શું છે?” તે કૌશાંબીજી થોડીવારમાં જ પ્રથમ મોઢેથી કહી દે કે આને ઉત્તર આવે છે અને અમુક ગ્રંથમાંથી મળશે. પછી તરત જ એ બૌદ્ધ ગ્રંથોના અંબારમાંથી કઈ ને કઈ ગ્રંથમાંથી મને પિતે કહેલ વાતને પુરાવો કાઢી આપે. મારા સહચારી ભાઈ ખુશાલદાસ તે પુરાવાનું સ્થાન લખી લે. આમ રેજ સવારે બે કલાક વિદ્યાવ્યાસંગ ચાલે. મારી ધારણા એ હતી કે કૌશાંબીઝના બૌદ્ધ જ્ઞાન-ખજાનામાંથી મળે તેટલી વસ્તુ મેળવી, બેંધી લઈ ક્યારેક જૈન અને બૌદ્ધ મંતવ્યોને તુલનાત્મક અભ્યાસ રજૂ કરવે; અને સાથે સાથે વૈદિક દર્શનોની પણ યથાસંભવ તુલના કરવી. કૌશાંબીજીએ સામગ્રી એટલી બધી આપી હતી કે જે એ ગુમ થયેલ નોટ. હજી પણ મળી આવે, તો તુલનાને મરથ સિદ્ધ થાય. . આમ છ માસના સહવાસ પછી કૌશાંબીજી જરાક દૂર ગયા, દૂર એટલે કાશી વિદ્યાપીઠ. ત્યાં તેમણે “હિંદી સંસ્કૃતિ આણિ અહિંસા” એ પુસ્તક લખ્યું. જ્યારે તેઓ એ પુસ્તક લખતા હતા, ત્યારે પણ અમે બંને તો અવારનવાર મળતા જ. તેઓ પિતાનું લખવાનું અને લખેલું અને મે કહી જાય અને સંમતિ માગે. વળી ક્યારેક કહે કે, મારું આ પુસ્તક કાઈ પ્રગટ નહીં કરે, એટલું જ નહીં પણ કોઈ કંપઝ સુધ્ધાં નહીં કરે. કારણમાં તેઓ કહેતા કે, વૈદિક, બૌધ્ધ અને જૈન એ બધાની તીવ્ર સમાલેચના એમાં કરી છે. અને જે કંપોઝીટર કે પ્રકાશક હશે તે પણ કોઈ ને કેઈ ઉક્ત પરંપરામાં હેઈમારી વિરુદ્ધ જ જશે. પણ હું હમેશાં કહેત કે, એવું કાંઈ નથી. દરમ્યાન તેમના મિત્ર બાબુ શિવપ્રસાદ ગુપ્તા જેઓ પથારીવશ જ હતા, તેમણે કહેલું કે, એ પુસ્તક હું હિંદીમાં કરાવી પ્રસિધ્ધ કરીશ. તેમણે હિંદી અનુવાદનું કામ તેમના ઓળખીતાને આપ્યું પણ ખરું. પરંતુ મને લાગે છે કે આ બાબતમાં કૌશાંબીજી જ સાચા હતા. એ પુસ્તક એમ ને એમાં પડી રહ્યું. અને છેવટે એને ગુજરાતી અનુવાદ ગુજરાતમાં જ પ્રથમ પ્રસિદ્ધ થયે; અને હિંદી અનુવાદ તે કૌશાંબીજીના સ્વર્ગવાસ પછી જ.
કાશી વિદ્યાપીઠ છોડી કૌશાંબીજી મુંબઈને એક વિભાગ પરેલમાં બહુજન વિહારમાં પછાત જાતિને સંસ્કાર આપવા રહ્યા. જ્યારે તેમને એમ લાગ્યું કે, તેમની ગીતાની સમાલોચનાથી અમુક દાતાઓને માઠું લાગ્યું છે, ત્યારે તેમણે આપમેળે પરેલ છોડયું.
પાછા અમદાવાદ અને સારનાથ આદિમાં રહી તેઓ મુંબઈ આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org