SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ વિષયને લગતા વિવાદના નિર્ણય વખતે મારા એક નિબંધમાં કરી છે, જે નિબંધ હિંદીમાં શ્રી જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ” કાશી તરફથી પ્રકાશિત થયેલી પત્રિકા નં. ૧૪-૧૫ રૂપે પ્રસિદ્ધ થયો છે. શાંતિદેવને બીજો ગ્રંથ છે “બધિર્યાવતાર'. તે છે પદ્યબંધ. એના ઉપરની અનેક ટીકાઓ પૈકી માત્ર પ્રસાકરમતિની પંજિકા મુદ્રિત છે તે જેઈ છે. “બધિર્યાવતાર ના દશ પરિચ્છેદે છે, ને તે પ્રવાહબદ્ધ સંસ્કૃત પદ્યરચના છે. પ્રજ્ઞા કરમતિએ પંજિકામાં જે શાસ્ત્રદોહન અને સૂક્ષ્મ ચર્ચાઓ ગઠવી છે, તે “બધિચર્યાવતાર'ની મહત્તામાં ખરેખર વધારો કરે છે. બધિર્યાવતારને પરિચ્છેદ તત્ત્વજ્ઞાનથી પરિપૂર્ણ છે. અને એ ત્યવાદીનું ભાયાવાદીને મળતું તત્ત્વજ્ઞાન તત્ત્વોને અનેક વિચારબિંદુઓ પૂરાં પાડે છે. પરંતુ શાંતિદેવની વેગભરી કવિતાશક્તિ તે પારમિતાઓના વર્ણનમાં મુક્ત વિચરે છે. તે ઉત્તમ કાવ્યને આસ્વાદ પૂરો પાડવા ઉપરાંત ઉત્ક્રાંતિશીલ જીવન જીવવાની વ્યવહારુ પ્રેરણા આપે છે. આધ્યામિક સાધકે ક્યા કયા ગુણોને કઈ કઈ રીતે વિકાસ કરવો, એ બધું કાવ્યમાં તાદશ રજૂ થાય છે. જો કે, શાંતિદેવ બૌદ્ધ ભિક્ષ હોઈ તેમની પ્રસ્તુત કવિતા બુદ્ધ અને બેધિસત્ત્વ જેવાં સાંપ્રદાયિક નામ સાથે સંકળાયેલી છે. પરંતુ એનો ભાવ તદ્દન અસાંપ્રદાયિક છે એટલે કેઈ પણ સાધક પિતાને ઇષ્ટ એવા ઉપાસ્યને નજર સામે રાખી તે ક્રમને જીવનમાં ઉપયોગ કરી શકે. આ રીતે જોતાં શાંતિદેવે વર્ણવેલી પારમિતાઓ એ માનવમાત્રે સાધવા જેવી સિદ્ધિઓ છે. શાંતિદેવે પિતાની કવિતામાં મહાયાન ભાવના રજૂ કરી છે. મહાયાન ભાવના એટલે માત્ર પિતાના મોક્ષમાં કે પિતાની દુઃખ-મુક્તિમાં સતિષ ન માનતાં સમગ્ર જગતની મુક્તિ માટે ભાવના સેવવી અને પ્રયત્ન કરે તે. એ કારણે જ શાંતિદેવ કહે છે કે, જે જગતમાં પ્રાણીઓ દુઃખમાં ગરક હોય અને નરકવાસીઓ વેદના અનુભવતા હોય, તો નીરસ મોક્ષની મારે કશી જરૂર નથી. તેથી જ શાંતિદેવ સમત્વની ભાવનાની ખિલવણું કરવા માટે કહે છે કે, પ્રારંભમાં બીજા અને પિતા વચ્ચે આદરપૂર્વક સમતાની ભાવના પિષવી; તે એવી રીતે કે, મારે પિતાને સુખદુઃખ બધાંનાં સરખાં છે એમ સમજી બધાને પોતાની પેઠે જ ગણવાં. ૧. સરખા :-“બેધિચર્યાવતાર, આઠમે પરિચ્છેદ. શ્લોક ૧૦૭–૧૦૮. ૨. “બાધિચર્યાવતાર' આઠમો પરિચ્છેદ. ક ૯૦ અને ૯૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy