SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૮ દર્શન અને ચિંતન. બીજીને અચાનક ભેટે . એટલે મારી જિજ્ઞાસા સતેજ બની તેમ જ કૌશાંબીજી પ્રત્યે વિશેષ આકર્ષ. પણ તે વખતે મારી ઈચ્છા સિદ્ધ ન થઈ અને હું આગ્રા ચાલ્યા ગયે. બેએક વર્ષ પછી ફરી હું પૂનામાં ગયે, પણ ઘણું કરી તે વખતે કૌશાંબીજી ત્યાં ન હતા. તેમના એક પ્રતિભાશાળી શિષ્ય ઐ. રાજવાડે મળેલા પણ એમની મુલાકાત મારા માટે તે કૌશાંબીજી પ્રત્યેના આકર્ષણમાં જ પરિણમી. જે કે હું મળે ત્યાંથી મરાઠીમાં પ્રસિદ્ધ થયેલ બૌદ્ધ વાત્મય મેળવી મારી જિજ્ઞાસા અલ્પાંશે સંતોષ હતું, છતાં તક મળે ત્યારે કૌશાંબીજી પાસે જ બ્રાદ્ધ વાત્મય શીખવાની ઉત્કટ વૃત્તિનાં બીજે રોપાયે જતાં હતાં. હ કાશી છોડી ૧૯૨૧માં અમદાવાદ આવી ગયેલ અને ગુજરાત પુરાતત્વમંદિરમાં રહેત; પણ હજી લગી હું એ સંસ્થામાં સેવક તરીકે જોડાયો. ન હતો. પુરાતત્ત્વમંદિરના બધા જ વિશિષ્ટ અધિકારીઓ અને એમાં જોડાવા કહેતા, પણ હજી લગી હું એ સંસ્થામાં તટસ્થ રહીને જ કામ કર્યું જ. ૧૯૨૨ના છેલ્લા ભાગમાં પૂના બેઠાં મને સમાચાર મળ્યા કે કૌશાંબીજી પુરાતત્વમંદિરમાં નિમાયા છે. આ સમાચારે વીજળિક અસર કરી અને હું પુરાતત્ત્વમંદિરમાં જોડાવાના નિર્ણય ઉપર આવી ગયા ને જોડાયે. હવે હું કૌશાંબીઓને સહવાસી બન્યું. મારું પુરાતત્ત્વમંદિરમાંનું કામ તે જુદું જ હતું, પણ આ સહવાસની તકે મને એમને અંતેવાસી પણ બનાવ્યું. કૌશાંબીજી પાસે બૌદ્ધ પાલી ગ્રંથ શીખવાની શરૂઆત તો પુરાતત્ત્વમંદિર અને મહાવિદ્યાલયના કેટલાક અધ્યાપકોએ કરેલી, પણ હું જાણું છું ત્યાં લગી તેમની પાસેથી સતત શીખવાને ચોગ મારા જ ભાગ્યમાં લખાય હતે. એક બાજુ હું એમની પાસે બૌદ્ધ ગ્રંથ શીખતો અને બીજી બાજુ અનેક વિષયોની એમની સાથે ચર્ચા કરતો. ફરવા જતી વખતે કૌશાંબી પિતે જ મારે હાથ પકડી લે અને મારા પૂછેલા કે અણપૂછેલા સવાલે વિષે અનેકવિધ ચર્ચા કરે. તેઓ જે બૌદ્ધ વિષય વિષે મરાઠીમાં લખાવે કે ગ્રંથ રચે તે મને પ્રથમ સંભળાવે. તેઓ મારી સૂચના ઉપર ધ્યાન આપતા. મારી શંકાનું સમાધાન પણ કરતા. મને આ નિમિત્તે ખૂબ જાણવાનું મળતું. આ ક્રમ ઘણું કરી પાંચેક વર્ષ ચાલ્યું હશે. ત્યારબાદ તેઓ રશિયા ગયા ને થોડા વખત માટે એ ક્રમ તૂટી ગયે. કૌશાંબીજી સાથે મારે સહવાસ માત્ર અધ્યયન-અધ્યાપન પૂરતો જ ન હતું. પણ તે લગભગ ચોવીસે કલાકનો રહે. તેઓ મને જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy