SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ અ . [૫૯ તેમને પૂછેલું કે, “તમે આટઆટલા બીમાર અને કઈ બીજે ઉકેલી ન શકે એટલા બધા ભિન્ન ભિન્ન વિષયેના, ભિન્ન ભિન્ન પ્રશ્નો કયા અભ્યાસ, કયા વાચન અને કયા બળને લીધે ઉકેલે છે ?” આવી મતલબના પ્રશ્નને ઉત્તર તેમણે નમ્ર વાણુમાં એટલે જ આપ્યાનું યાદ છે કે, “મારું વાચન અતિ અલ્પ છે. પણ મારી પાસે એકમાત્ર કટી સત્ય અને અહિંસાની છે. એ કસોટીએ હું બધું વિચારું છું અને જે કાંઈ સૂઝે તે લખું છું.’ એમના આખા જીવનની ચાવી જ આ છે. ગાંધીજીએ નવજીવન ઘડવાના વિચારે અને સિદ્ધાંત પૂર્ણ રૂપે મૂક્યા. કિશોરલાલભાઈએ પિતાનાં અનેક લખાણોમાં એ પૂણીઓને કાંતી ભાપી ન શકાય એટલા સૂતરની ફાળકીઓ. પીરસી. કિશોરલાલભાઈ રૂઢ ગુરુ-શિષ્ય ભાવમાં ન માનતા. એટલે તેઓ જેમ બીજાને પોતાના વિચારમાં મૂંડવાનો જરાય આગ્રહ ન સેવતા, તેમ બીજાના વિચારોમાં માત્ર શ્રદ્ધાથી મૂંડાવાની વૃત્તિ પણ ન સેવતા. તેથી જ, આપણે જોઈએ છીએ કે, તેમણે પોતાનાં ધાર્મિક, આધ્યાત્મિક વિવેચનવાળાં લખાણમાં પિતાને માન્ય હોય એવા મોટા મોટા પુરુષની પણ સાદરા સમીક્ષા કરી છે. તેઓ સાંપ્રદાયિક ગ્રંથિથી પર થયા ને તેમની સામે માનવજાતિના ભૂષણરૂપ બધા જ ધર્મપુરુષ સમાન ભાગે ઉપસ્થિત થયા. એ જ વિરલ ક્ષણે તેમણે રામ-કૃષ્ણ, બુદ્ધ-મહાવીર, ઈસુ ખ્રિસ્ત, સહજાનંદ જેવા સાંપ્રદાયિક લેખાતા મહાન પુરુષોની જીવનકથા વિવેચક ભક્તને શોભે એવી પ્રતીતિકર રીતે લખી છે. કિશોરલાલભાઈને પરિચયથી મને જે છેડે પણ દૃષ્ટિલાભ થયેલે તેને યાદ કરી મેં ૧૯૩૮ના મારા જીવલેણ ઓપરેશન વખતે કઈ દ્વારા વર્ધા એવા સમાચાર કહેવડાવ્યાનું યાદ છે કે, હું આ ઓપરેશનમાંથી બહાર નહિ આવું તે પણ તમારા દ્વારા થયેલ દષ્ટિ–લાભને મને ઊંડે સંતોષ છે. ત્યારબાદ તેમનું એક કાર્ડ તરત જ આવ્યું, જેમાં લખેલું કે અત્યારે મારી તબિયત કાંઈક ઠીક છે. હું શુશ્રષામાં થોડી પણ મદદ કરી શકતો હોઉં તો. મને તરત સૂચવે. મેં આ મારી અંગત વાત એ સૂચવવા લખી છે કે, એમની કર્મપરાયણ શુશ્રષાવૃત્તિ એ સહજ કરુણામાંથી પ્રગટેલી. જેના ચિત્તમાં વેગમાર્ગે કાંઈ પણ અસર કરી હોય છે તેના ચિતમાં મિત્રી, કરુણા આદિ ભાવ સહેજે ફૂટી નીકળે છે. તેથી જ કિશોરલાલભાઈ સાચા અર્થમાં સર્વ મિત્ર અને અજાતશત્રુ હતા. –બુદ્ધિપ્રકાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy