________________
૩૪]
દર્શન અને ચિંતન અપાય છે એ યજ્ઞ રઘુને હાથે કરાવ્યો અને માત્ર માટીનું પાત્ર જ હાથમાં બાકી રહ્યું હોય એવા રઘુને રઘુવંશમાં વર્ણવી ગુપ્તકાલીન દાનદક્ષિણ ધર્મનું મહત્ત્વ સૂચવ્યું. હર્ષવર્ધને તે એકત્ર થયેલ ખજાનાને દર ત્રણ વર્ષે દાનમાં ખાલી કરી કર્ણનું દાનેશ્વરીપણું દર્શાવી આપ્યું. દરેક ધર્મ–પંથના મઠ, વિહારે, મંદિર અને વિદ્યાધામે જ નહિ પણ સેંકડે, હજારો અને લાખોની સંખ્યામાં અગાર છેડી અનગાર થયેલ ભિક્ષુ કે પરિવ્રાજકેની સંપૂર્ણ જીવનયાત્રા એ બધું પરિગ્રહત્યાગ અને દાનધર્મને જ આભારી રહ્યું છે. તેની સાક્ષીરૂપે અનેક દાનપત્રો, અનેક પ્રશસ્તિઓ આપણું સામે છે.
- જે મઠ, વિહારે, મંદિર અને ધર્મસ પરિગ્રહત્યાગની ભાવના માંથી જ અસ્તિત્વમાં આવ્યાં હતાં અને જે દાન દક્ષિણને લીધે જ પોષાયે જતાં હતાં તેઓ દાનદક્ષિણ દ્વારા મેળવેલ અને બીજી અનેક રીતે વધારેલ પૂંજી અને પરિગ્રહની માલિકી ધરાવવા છતાં સમાજમાં ત્યાગીની પ્રતિષ્ઠા પામતાં રહ્યાં અને સાથે સાથે ઉત્પાદક શ્રમનું સાર્વજનિક મૂલ્ય સમજવાની બુદ્ધિ ગુમાવવાને લીધે એક રીતે અકર્મણ્ય જેવાં બનતાં ચાલ્યાં. બીજી બાજુ સાચી-ખોટી ગમે તે રીતે ધનસંપત્તિ કે ભૂમિસંપત્તિ મેળવનાર વ્યક્તિઓ પણ, દાનદક્ષિણ દ્વારા પિતાના પાપનું પ્રક્ષાલન થાય છે એમ માની દાનદક્ષિણા આપતા રહ્યા અને સમાજમાં વિશેષ અને વિશેષ પ્રતિષ્ઠા પામતા પણ રહ્યા. આમ સમાજમાં પ્રતિષ્ઠા પામનાર મુખ્યપણે બે વર્ગ અસ્તિત્વમાં આવ્યા : એક ગમે તેટલું અને ગમે તે રીતે અપાયેલું દાન લેનાર, એનો સંગ્રહ અને વધારે કરનાર છતાં ત્યાગી મનાતે બ્રાહ્મણશ્રમણવર્ગ અને બીજે ન્યાય અન્યાય ગમે તે રીતે મેળવેલ સંપત્તિનું દાન કરનાર ભોગી વર્ગ. આ બે વર્ગ વચ્ચે એક ત્રીજો વર્ગ પણ રહ્યો કે જેના આધારે ઉપરના બને વર્ગોનું અસ્તિત્વ હોવા છતાં સમાજમાં જેનું આવશ્યક ગૌરવ લેખાતું નહિ. તે વર્ગ એટલે નહિ કાઈના દાન ઉપર નભનાર કે નહિ કેઈ દાન-દક્ષિણા દ્વારા નામના મેળવનાર, પણ માત્ર કાંડાબળે જાતશ્રમ ઉપર નભનાર વર્ગ.
અહિંસા અને મમતાત્યાગને જે ધર્મ મૂળે સમાજમાં સર્વક્ષેત્રે સમતા આણવા અસ્તિત્વમાં આવ્યું હતું તે જ ધર્મ અવિવેકને લીધે સામાજિક વિષમતામાં અનેક રીતે પરિણમે. એવી વિષમતા નિવારવા અને કર્મવેગનું મહત્ત્વ સ્થાપવા કેટલાક દષ્ટાઓએ અનાસક્ત કર્મગ તેમ જ સમગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org