SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય હિંદુ કલ્પના પ્રમાણે માનવતારૂપ પુરુષનું મુખ બ્રાહ્મણ. બ્રાહ્મણ મુખ બને તે એના ગુણને કારણે ક્યા ગુણે? શું ઘાતકતાના ? નહિ, નહિ, કદી નહિ. નરમેધ–પશુમેધ–ની પ્રાકૃત ભૂમિકામાંથી બ્રાહ્મણ ક્યારનો ય ઊંચે ચડ્યો હતો અને તેણે તે યજ્ઞમાં પિષ્ટમય પશુને સ્થાન આપી અહિંસાની ઉચ્ચ ભૂમિકા પણ સિદ્ધ કરી હતી. એણે સર્વમૂતે રસ્તાને પાઠ પણ સૌને શીખવવા માંડ્યો હતો. એ બ્રાહ્મણ સર્વ ભૂતોના હિતમાં દરેક રીતે રત થયે. હતો. એનું જીવન તન્મય થયું હતું. આવા બ્રાહ્મણત્વને કલંકિત કરનાર કોઈ એક પણ બ્રાહ્મણ વ્યક્તિમાં કે નાનામોટા તેવા વર્ગમાં કેમ સંચર્યો હશે? શું હિંદુત્વ અને બ્રાહ્મણત્વને હવે શતમુખ વિનિપાત શરૂ થયું હશે કે જેથી તે સર્વમૂતહિતે રતની જ હત્યાને સંકલ્પ કરે? મહાકરુણાનું અવસાન કરવાને સંકલ્પ પણ મહાન એ ખરું, પણ એ સંકલ્પ ક્રર અને કઠોર હોઈ અનાર્ય જ હોવાને. અને જો પુરુષના મુખસ્થાને વિરાજવા લાયક ગણાયેલ બ્રાહ્મણમાં અને તે પણ ચિત્તને પાવન કરવાની ખ્યાતિ પામેલ બ્રાહ્મણ વંશમાં તેવો અનાર્ય સંસ્કાર ઉદ્ભવે તે પછી હિંદુજાતિ અને બ્રાહ્મણશ્રેષ્ઠ માટે કયું સારું તત્વ બચવા પામ્યું ગણાય? આ વિચારથી પણ સમજદાર કકળી ઊઠે છે અને આંસુ ખાળી શકતા નથી. - હવે દિલાસે કોણ આપશે ?—એ જ એકમાત્ર આપણું ઝંખના છે. જે દિલાસો આપવા આવે તે જ દિલગીરી, ગમગીની અને શોકનો ભોગ બને છે. પ્રસન્ન વદને અને હિમ્મતભરેલ હૃદયે આવીને કોઈ આશ્વાસન આપે એવું નજરે નથી પડતું. ત્યારે પણ છેવટે બાપુજી જ પિતાના વિયેગથી કકળી ઊઠેલ દુનિયાને આશ્વાસન આપતા દેખાય છે. જાણે બાપુજી અદશ્ય રહી સહુને એકસરખી રીતે કહેતા ન હોય કે તમે શું મને નથી ઓળખે? અને એળખે હોય તે રડે છે કેમ? શું હું ક્યારે ય રડ્યો હતે? શું મેં તમને પ્રસન્ન વદને કર્તવ્ય કરવા અને મરી ફીટવા નથી કહ્યું? મેં જે તમને કહ્યું હતું તે જ જે મેં આચર્યું છે એમ તમને લાગતું હોય અને તમે મારા ઉપર એ જ વિશ્વાસ ધરાવતા હે તે પછી રડો. છે શાને? ગળગળા થાઓ છો શાને ? રડવું, દીન બનવું, અનાથતા અનુભવવી એ ગીતામાં કે કોઈ પણ ધર્મશાસ્ત્રમાં વર્ષે જ મનાયું છે, તે તમે મને શ્રદ્ધાંજલિ આપનાર બધા બહાદુર બને અને સત્ય તેમ જ કરુણાનું આચરણ કરવાના મૃત્યુંજયી યુદ્ધમાં ખપી જાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy