________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૩૯
* ત્રીજા ઉપાય તરીકે જે તદ્વિદ્યસભાષાવિધિ ચરકમાં વર્ણવી છે તે જ મુખ્યપણે અહીં પ્રસ્તુત છે. તદ્વિદ્યસંભાષા એટલે સમાન વિદ્યાવાળાની અંદરોઅંદર વિદ્યાગોષ્ઠી અગર ચર્ચા. એ જ અર્થમાં ન્યાયસૂત્રકાર અક્ષપાદ “રઢિ ણ સંવા:” એવું વચન ઉચ્ચારે છે (જુઓ, ન્યા. સૂ૦ અ ૪, આ૦ ૨, મુ. ૪૭). ચરકકાર તદ્વિદ્યસંભાષાને બે પ્રકારની વર્ણવે છે: (૧) સંધાયસંભાષા અને (૨) વિગૃહ્યસંભાષા. સધાયસંભાષા એટલે મૈત્રીપૂર્વક ચર્ચા કરવી અને વિગૃહ્યસંભાષા એટલે વિરોધપૂર્વક ચર્ચા કરવી. અક્ષપાદ સંધાયસંભાષાને વાદ અને વિગૃહ્યસંભાષાને જલ્પ અને વિતષ્ઠાને નામે ઓળખાવે છે. અક્ષપાદ અને સરકારને કથાવિષયક વિભાગ કેટલેક સ્થાને માત્ર શબ્દથી જ જુદો પડે છે. અક્ષપાનું ત્રિવિધ કથા વિષેનું વર્ણન અને ચરકકારનું દ્વિવિધ સંભાષા વિષેનું વર્ણન એ બંને એકબીજાની આવશ્યક પૂર્તિરૂપે હાઈ કથા પદ્ધતિના અભ્યાસીનું ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. અક્ષપાદ જેટલું છલ, જાતિ અને નિગ્રહસ્થાનનું વિસ્તૃત વર્ણન ચરકકારે નથી કર્યું; પણ કેવા કેવા પ્રતિવાદી સાથે સંધાયસંભાષા કે વિગૃહ્યસંભાષા કરવી, કે પ્રકારે હરવી, પહેલાં કેવી તૈયારી કરવી કઈ જાતની સભામાં કરવી વગેરે અનેક બાબતનું જે મનોરંજક અને અનુભવસિદ્ધ વર્ણન ચરકકારે આપ્યું છે તે અક્ષપાદના સૂત્રમાં કે તેના ભાષ્યમાં નથી. બીજી ખાસ વિશેષતા એ છે કે અક્ષપાદનો અનુગામી વાત્સ્યાયન કોઈ પણ દાર્શનિક વષય લઈ અનુમાનવાક્ય યોજે છે, જે ઘણાને નીરસ પણ લાગે, જેમ કે “આત્મા નિત્ય છે; કારણ કે તે જન્ય છેઃ ” ત્યારે ચરકકાર વૈદકના વિષયમાંથી અનુમાનવાક્ય ઘડે છે, જે ખાસ આકર્ષક લાગે છે. જેમ કે “અમુક વ્યક્તિમાં બળ છે, કારણ કે તે વ્યાયામ કરી શકે છે, તેમ જ “અમુક વ્યક્તિમાં જઠરાગ્નિ પ્રદીપ્ત છે, કારણ કે તેને ખાધેલું જરે છે,” ઈત્યાદિ.
ચરકારે જે દિવિધ સંભાવાનું ચિત્ર આપ્યું છે, તેને મુદ્દાવાર ટૂંકમાં સાર નીચે મુજબ –
સંભાષા(ચર્ચા)થી થતા ફાયદા –જ્ઞાનપ્રાપ્તિનો આનંદ અને પ્રતિવાદી ઉપર આક્રમણ કરવાને આનંદ પ્રાણ્ડિત્ય, વાક્પટુતા, યશેલાભ; પ્રાથમિક અભ્યાસ વખતે રહી ગયેલા સંદેહનું નિરાકરણ અને જે તે વખતે સંદેહ ન રહ્યું હોય તે પણ તે વિધ્યનું દરીકરણ. પહેલાં કદી નહિ સાંભળેલી એવી વાતોનું શ્રવણ, વિજયેચ્છાના રસને લીધે પ્રતિવાદી તરફથી મુકાતી ગૂઢમાં ગૂઢ લીલે, જે તેણે બહુ શ્રમે ગુપ્રસાદથી મેળવી હેય તેને અનાયાસ લાભ –આ બધાં સુંદર પરિણામે ચર્ચામાં છે અને તેથી જ વિદ્વાને તેને પ્રશંસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org