________________
૧૨૦૪ ]
દર્શન અને ચિંતન માત્ર ગૌતમના ન્યાયસૂત્રનું જ અનુકરણ ન હોવાથી કાંઈકે પૂર્વવત ભિન્ન પરંપરાનું સૂચક માનવું જોઈએ. આ ગ્રંથમાં વર્ણવેલી ચર્ચાનું વધારે ઉપયુક્ત વર્ણન જોવા માટે જુઓ પરિશિષ્ટ ૩.
૧૧. કથાનું વિશેષ સ્વરૂપ –હવે આપણે જોઈએ કે ગૌતમ કથાના સ્વરૂપ વિશે શું લખે છે. તે કથાના ત્રણ ભેદ કરે છે : વાદ, જલ્પ અને વિતષ્ઠા. અને દરેક ભેદનું સ્વરૂપ આ પ્રમાણે વર્ણવે છેઃ (૧) જે વચનવ્યાપારમાં પક્ષ અને પ્રતિપક્ષને સ્વીકાર હાય અર્થાત્ જેમાં એક જ પદાર્થના પરસ્પરવિધી એવા બે અંશોમાંથી એક એક અંશને વાદીએ અને પ્રતિવાદીએ પોતપોતાના પક્ષ તરીકે નિયમપૂર્વક સ્વીકાર કર્યો હોય અને તેથી જેમાં વાદી-પ્રતિવાદી બંને પ્રમાણ અને તર્ક દ્વારા પિતાના પક્ષનું સ્થાપન અને પરપક્ષનું નિરાકરણ કરતા હોય તેમ જ આ સાધન અને નિરાકરણને પ્રકાર પ્રતિજ્ઞા વગેરે પાંચ અવયવરૂપ ન્યાયવાક્યથી યુક્ત હેય
અને જે સિદ્ધાન્તથી વિરુદ્ધ ન હોય એ વચનવ્યાપાર તે વાદ. (૨) વાદના ઉક્ત બધાં લક્ષણે હોવા ઉપરાંત જેમાં છળ, જાતિ અને નિગ્રહસ્થાનના પ્રગથી સ્વપક્ષનું સાધન અને પરપક્ષનું નિરાકરણ કરી શકાતું હોય તેવા વચનવ્યાપારને જલ્પ કહેવામાં આવે છે. (૩) એ જ જલ્પ પ્રતિપક્ષની સ્થાપનાને બાદ કરીએ તે વિતષ્ઠા કહેવાય છે. ૧૧
૧૨. પરસ્પર સામ્ય-વૈષમ્ય–કથાકારેની નિયમપૂર્વક ચર્ચારૂપ તે વાદ, જલ્પ, વિતષ્ઠા એ ત્રણે સમાન છે. છતાં તેઓમાં મેટી અસમાનતા પણ છે. વાદાત્મક ચર્ચા, તત્વનિર્ણયની ઈચ્છામાંથી જન્મ લે છે અને જલ્પ અને વિતડાત્મક ચર્ચા વિજયની ઈચ્છામાંથી જન્મ લે છે. એટલે જલ્પ અને વિતષ્ઠા એ બંને વિજિગીષુકથારૂપે સમાન છે અને વાદ તેથી તત્ત્વનિર્ણિનીષ કથારૂપે તે બંનેથી જુદા પડે છે. વિજિગીષ કથારૂપે સમાન હોવા છતાં જલ્પ અને વિતષ્ઠા વચ્ચે એક તફાવત છે અને તે એ કે વિતષ્ઠામાં વૈતડિક વાદી સામાપક્ષનું ખંડન જ કરતો જાય છે અને પિતાના પક્ષનું સ્થાપન કરતો જ નથી. સામાનું ખંડન કરતાં અથપત્તિથી તેને અમુક પક્ષ ભલે માની લેવામાં આવે પણ તે વિધિરૂપે પિતાના પક્ષની સ્થાપના કરતો નથી અને તેથી તેને પોતાના પક્ષનું ખંડન કરવાની ફિકર હતી જ નથી. ગમે તે રીતે વિપક્ષનું ખંડન કરવું એ જ તેનું ધ્યેય હોય છે. જ્યારે જલ્પમાં
૧૧. ન્યા.સૂ, અ. ૧, આ. ૨. સુ. ૧, ૨, ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org