SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ કથાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૧૯૭અને સચવાઈ રહ્યો. આ લેખમાં એ શબ્દ પોતાના પારિભાષિક અર્થોમાં જ સમજવાના છે. તેથી કથા શબ્દના કોઈ પણ વિચારણીય વિષચમાં મતભેદ ધરાવનાર બંને પક્ષકારોની નિયમસર ઉક્તિપ્રત્યુતિ રૂપ ચર્ચા’૧ એવો એક અર્થ રૂઢ થયા છે. ૩. ઉત્તિષીજઃ-કથાપતિ મતભેદમાંથી જન્મે છે. તેથી નતભેદ તેની ઉત્પત્તિનું પ્રાથમિક ખીજ છે. પણ અમુક વિષયમાં એ વ્યક્તિના મતભેદ થયા એટલે તે મતભેદમાત્રથી જ કાંઈ બને જણ્ તે વિષય ઉપર કથાપદ્ધતિ દ્વારા વિચાર કરવા મંડી જતા નથી. પરંતુ જ્યારે એ મતભેદ પુષ્ટ બની માણસના ચિત્તમાં વ્યક્તરૂપ પામે છે ત્યારે પક્ષભેનું રૂપ ધારણ કરે છે, અને તે પક્ષભેદ પક્ષકારને મતભેદના વિષયમાં કથાપદ્ધતિદ્વારા ચર્ચા કરવા પ્રેરે છે. આ પદ્મભેદ ઘણીવાર શુદ્ધ, કોઈ પણ જાતની સાંપ્રદાયિક અસ્મિતાથી અદૂષિત હોય છે; તેા ઘણીવાર કાઈ ને કાઈ જાતની અસ્મિતાથી દૂષિત થયેલા પણ હોય છે. શુદ્ધ પક્ષબેદમાંથી ચાલતી કથાપદ્ધતિ અને દૂષિત પક્ષભેદમાંથી ચાલતી કથાપતિ વચ્ચે જી જ અંતર હાય છે. તેનું કારણ એ છે કે શુદ્ધ પક્ષભેદ હોય ત્યારે પક્ષકારાનાં મનમાં તત્ત્વનિણૅય ( સત્યજ્ઞાન ) આપવાની કે મેળવવાની ઇચ્છા હાય છે; જ્યારે મલિન પક્ષભેદમાં તેમ નથી હાતું. તેમાં તે એકબીજાને જીતવાની અને જીત દ્વારા ખ્યાતિ પ્રાપ્ત કરવાની અગર ખીજા કાઈ ભૌતિક લાભો મેળવવાની ઈચ્છા હોય છે. તેથી મતભેદ એ કથાપદ્ધતિનું સામાન્ય કારણ અને તત્ત્વનિ યની ઈચ્છા તથા વિજયની ક્ચ્છ એ તેનાં વિશેષ કારણેા છે એ સમજી લેવુ જોઈ એ. ૪. ઉત્પાદક પ્રસંગઃ—માણસ એકલા મટી સમુદાયમાં મુકાયા એટલે તેને કાઈની સાથે મતભેદ તે થવાના જ. જોકે મતભેદની પ્રેરક અને પોષક આંતરિક સામગ્રી (યેાગ્યતા, વાસના અને દૃષ્ટિભેદ) તે! સંદેશ, અને સČકાળે મનુષ્યહૃદયમાં સમાન હોય છે, પણ તેના બાહ્ય પ્રસ ંગો દરેક દેશ, દરેક કાળ અને દરેક જાતિના મનુષ્ય માટે કાંઈ સરખા જ હોતા નથી. સેક્રેટીસ પહેલાંના પ્રાચીન ગ્રીક અને પ્રાચીન ભારતીય સાહિત્યિક ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે કે બંને દેશના તે વખતના વિદ્વાને!ની ચર્ચાપદ્ધતિના ઉત્પાદક માહ્ય પ્રસંગે જુદા જ હતા. ગ્રીક વિદ્યાના સામાજિક અને રાજકીય મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈ ચર્ચામાં ઊતરતા, અને વક્તૃત્વ કળાની કસરત ૧ જુએ, ન્યાયમૂત્રવૃત્તિ, અ. ૧, આ. ૨ સૂર ૧. તથા બંગાળી અનુવાદ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy